________________
| ચોત્રીસમું પદઃ પરિચારણા
૩૦૯
સમસ્ત સંસારી જીવોના અધ્યવસાય સ્થાન અસંખ્યાતા છે. સમયે સમયે અધ્યવસાયોમાં પરિવર્તન થયા જ કરે છે તેથી સર્વ જીવોના અસંખ્યાતા-અસંખ્યાત અધ્યવસાય કહ્યા છે. ક્યારેક તે અધ્યવસાય શુભ-પ્રશસ્ત અને ક્યારેક અશુભ-અપ્રશસ્ત પણ હોય છે. (૫) સમ્યકત્વ અભિગમ દ્વારઃ११ णेरइया णं भंते ! किं सम्मत्ताभिगमी मिच्छत्ताभिगमी सम्मा-मिच्छत्ताभिगमी?
गोयमा ! सम्मत्ताभिगमी वि मिच्छत्ताभिगमी वि सम्मामिच्छत्ताभिगमी वि । एवं जाव वेमाणिया । णवर- एगिदिय-विगलिंदिया णो सम्मत्ताभिगमी, मिच्छत्ताभिगमी, णो सम्मामिच्छत्ताभिगमी । ભાવાર્થ :-પ્રશ્ન- હે ભગવન્! નરયિકો સમ્યક્ત્વાભિગમી હોય છે કે મિથ્યાત્વાભિગમી હોય છે કે સમ્યગૃમિથ્યાત્વાભિગમી હોય છે? ઉત્તર-હે ગૌતમ!તેઓ સમ્યકત્વાભિગમી પણ હોય છે,મિથ્યાત્વાભિગમી પણ છે અને સમ્યગુ-મિથ્યાત્વાભિગમી પણ હોય છે.
આ જ રીતે યાવત વૈમાનિક સધી જાણવું જોઈએ. વિશેષતા એ છે કે એકેન્દ્રિય અને વિકસેન્દ્રિય જીવો માત્ર મિથ્યાત્વાભિગમી હોય છે, તેઓ સમ્યક્ત્વાભિગમી કે સમ્યગુ-મિથ્યાત્વાભિગમી હોતા નથી. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ચોવીસ દંડકોના જીવોમાં સમ્યકત્વાભિગમી આદિનું નિરૂપણ છે. સમ્યગુદષ્ટિ જીવો સમ્યક્ત્વાભિગમી હોય છે, તે જ રીતે મિથ્યાદષ્ટિ જીવો મિથ્યાત્વાભિગમી અને મિશ્રદષ્ટિ જીવો મિશ્રાભિગમી હોય છે.
એકેન્દ્રિયો એકાંત મિથ્યાત્વી હોવાથી મિથ્યાત્વાભિગમી જ હોય છે વિકસેન્દ્રિય જીવોમાં કેટલાક જીવોને અપર્યાપ્તાવસ્થામાં સાસ્વાદન સમકિત હોય છે પરંતુ સાસ્વાદન સમ્યકત્વ અત્યંત અલ્પકાલીન અને મિથ્યાત્વની અભિમુખ હોવાથી અહીં વિશ્લેન્દ્રિયોને પણ મિથ્યાત્વાભિગમી કહ્યા છે. શેષ નારકી, ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક દેવો, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્ય તે સોળ દંડકના જીવોમાં ત્રણે દષ્ટિ હોવાથી તે જીવો સમ્યત્વાભિગમી, મિથ્યાત્વાભિગમી અને સભ્યત્વ-
મિથ્યાત્વાભિગમી હોય છે. (૬) પરિચારણા દ્વાર:१२ देवा णं भंते ! किं सदेवीया सपरियारा, सदेवीया अपरियारा, अदेवीया सपरियारा, अदेवीया अपरियारा ? गोयमा ! अत्थेगइया देवा सदेवीया सपरियारा, अत्थेगइया देवा अदेवीया सपरियारा, अत्थेगइया देवा अदेवीया अपरियारा, णो चेव णं देवा सदेवीया अपरियारा ।
से केण?णं भंते ! एवं वुच्चइ- अत्थेगइया देवा सदेवीया सपरियारा तं चैव जाव णो चेव णं देवा सदेवीया अपरियारा ?
गोयमा ! भवणवइ-वाणमंतर-जोइस-सोहम्मीसाणेसु कप्पेसु देवा सदेवीया