SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ બાવલીનું પદ કિયા . [ ૮૫ ] (૫) મિથ્યાદર્શન પ્રત્યયાકિયા - મિથ્યાત્વ જ ક્રિયા. તત્ત્વમાં અતત્ત્વબુદ્ધિ અને અતત્ત્વમાં તત્ત્વબુદ્ધિ રાખવી. જિનમાર્ગથી ઓછી, અધિક કે વિપરીત શ્રદ્ધા, પ્રરૂપણા કે સ્પર્શના કરવી, તે મિથ્યાત્વ છે. તર્જન્ય ક્રિયામિથ્યાદર્શન પ્રત્યયાક્રિયા છે. તેના બે ભેદ છે–૧. અનભિગૃહીત મિથ્યાદર્શનક્રિયા- જે જીવોએ અન્ય દર્શનોના અભિપ્રાયને સર્વથા જાણ્યા કે ગ્રહણ કર્યા ન હોય, તેવા સંજ્ઞી કે અસંજ્ઞી જીવોના મિથ્યાત્વને અનભિગૃહીત મિથ્યાત્વ કહે છે. તર્જન્ય ક્રિયા, તે અનભિગૃહીત મિથ્યાદર્શન પ્રત્યયાક્રિયા છે. ૨.અભિગૃહીત મિથ્યાદર્શન ક્રિયા- તેના બે ભેદ છે– (૧) હીનાતિરિક્તમિથ્યાદર્શન ક્રિયા- જિનેશ્વર કથિત તત્ત્વથી પોતાની માન્યતા ઓછી કે અધિક રાખવી. જેમ કે આત્માને અંગુષ્ઠ માત્ર અથવા સર્વ લોક વ્યાપી માનવો. (૨) તવ્યતિરિક્ત મિથ્યાદર્શન ક્રિયા- સભૂત પદાર્થોના અસ્તિત્વનો સ્વીકાર ન કરવો અથવા વિપરીત રીતે સ્વીકાર કરવો, જેમ કે- આત્માને ન માનવો અથવા કુદેવ, કુગુરુ અને કુધર્મનો સ્વીકાર કરવો. આ ક્રિયા આપવરસાવિ મિચ્છાવંસ ા પહેલા અને ત્રીજા ગુણસ્થાને મિથ્યાત્વનો ઉદય છે અને બીજા ગુણસ્થાને સાસ્વાદન સમ્યક્ત્વ હોવા છતાં તે જીવમિથ્યાત્વાભિમુખ હોવાથી તેને મિથ્યાત્વજન્ય ક્રિયા લાગે છે. આ રીતે પહેલા, બીજા અને ત્રીજા ગુણસ્થાનવર્તી જીવોને આ ક્રિયા હોય છે. આરંભિકી આદિ આ પાંચે ય પ્રકારની ક્રિયાઓ ૨૪ દંડકના જીવોને સંભવે છે. આરંભિકી આદિ ક્રિયાઓનો પરસ્પર સહભાવ:५८ जस्स णं भंते ! जीवस्स आरंभिया किरिया कज्जइ, तस्स परिग्गहिया किरिया कज्जइ ? जस्स परिग्गहिया किरिया कज्जइ, तस्स आरंभिया किरिया कज्जइ ? गोयमा ! जस्स णं जीवस्स आरंभिया किरिया कज्जइ तस्स परिग्गहिया किरिया सिय कज्जइ सिय णो कज्जइ, जस्स पुण परिग्गहिया किरिया कज्जइ तस्स आरभिया किरिया णियमा कज्जइ । ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! જે જીવને આરંભિકી ક્રિયા હોય છે, તેને પારિગ્રાદિકી ક્રિયા હોય છે? જેને પારિગ્રહિક ક્રિયા હોય છે, તેને શું આરંભિકી ક્રિયા હોય છે? ઉત્તર- હે ગૌતમ! જે જીવને આરંભિકી ક્રિયા હોય છે, તેને પારિગ્રહિક ક્રિયા કદાચિતું હોય છે, કદાચિતુ હોતી નથી, જેને પારિગ્રાહિતી ક્રિયા હોય છે, તેને આરંભિકી ક્રિયા નિયમાં હોય છે. ५९ जस्स णं भंते ! जीवस्स आरंभिया किरिया कज्जइ तस्स मायावत्तिया किरिया कज्जइ पुच्छा ? गोयमा ! जस्स णं जीवस्स आरंभिया किरिया कज्जइ तस्स मायावत्तिया किरिया णियमा कज्जइ, जस्स पुण मायावत्तिया किरिया कज्जइ तस्स आरभिया किरिया सिय कज्जइ सिय णो कज्जइ । ભાવાર્થ -પ્રશ્ન–હે ભગવન્! જે જીવને આરંભિક ક્રિયા હોય છે, તેને શું માયાપ્રત્યયા ક્રિયા હોય છે? તથા જેને માયા પ્રત્યયા ક્રિયા હોય છે, તેને શું આરંભિકી ક્રિયા હોય છે? ઉત્તર- હે ગૌતમ ! જે જીવને આરંભિકી ક્રિયા હોય છે, તેને માયાપ્રત્યયા નિયમા હોય છે અને જેને માયા પ્રત્યયા ક્રિયા હોય છે, તેને આરંભિકી ક્રિયા કદાચિત્ હોય છે અને કદાચિત્ હોતી નથી.
SR No.008774
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages486
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy