SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ એકવીસમું પદ : અવગાહના સંસ્થાન एगिंदिय-कम्मगसरीरे जाव पंचेंदिय कम्मगसरीरे एवं जहेव तेयगसरीरस्स भेओ, संठाणं, ओगाहणा य भणिया तहेव णिरवसेसं भाणियव्वं जाव अणुत्तरोववाइय त्ति । ભાવાર્થ:- પ્રશ્ન—– હે ભગવન્ ! કાર્યણ શરીરના કેટલા પ્રકાર છે ? ઉત્તર– હે ગૌતમ ! તેના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– એકેન્દ્રિય કાર્મણ શરીર યાવત્ પંચેન્દ્રિય કાર્મણ શરી૨. જે રીતે તૈજસ શરીરના ભેદ, સંસ્થાન અને અવગાહનાનું કથન છે, તે જ રીતે કાર્યણ શરીરના ભેદ, સંસ્થાનાદિનું કથન કરવું જોઈએ. વિવેચનઃ ૪૯ તૈજસશરી૨ અને કાર્યણશરીર સહચારી છે, બંનેનો અવિનાભાવી સંબંધ છે. જીવ જ્યારે સર્વ કર્મોથી મુક્ત થાય, ત્યારે જ તૈજસ-કાર્મણ બંને શરીર એક સાથે છૂટે છે. તેથી બંને શરીરના ભેદ, સંસ્થાન અને અવગાહના એક સમાન છે. પુદ્ગલ ચયન દ્વાર : १११ ओरालियसरीरस्स णं भंते ! कइदिसिं पोग्गला चिज्जंति ? गोयमा ! णिव्वाघाएणं छद्दिसिं, वाघायं पडुच्च सिय तिदिसिं सिय चउदिसिं सिय पंचदिसिं । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! ઔદારિક શરીરના પુદ્ગલોનો ચય કેટલી દિશામાંથી થાય છે ? ઉત્તરહે ગૌતમ ! નિર્વ્યાઘાતની અપેક્ષાએ છ દિશામાંથી અને વ્યાઘાતની અપેક્ષાએ કદાચિત્ ત્રણ દિશામાંથી, કદાચિત્ ચાર દિશામાંથી અને કદાચિત્ પાંચ દિશામાંથી પુદ્ગલો એકઠા(ચય) થાય છે. | वेडव्वियसरीरस्स णं भंते ! कइदिसिं पोग्गला चिज्जंति ? गोयमा ! णियमा छद्दिसिं । एवं आहारगसरीरस्स वि । तेया- कम्मगाणं जहा ओरालियसरीरस्स । ભાવાર્થ:- પ્રશ્ન– હે ભગવન્ ! વૈક્રિય શરીરના પુદ્ગલોનો ચય કેટલી દિશામાંથી થાય છે ? ઉત્તર- હે ગૌતમ ! નિયમા છ દિશામાંથી પુદ્ગલોનો ચય થાય છે. આ જ રીતે આહારકશરીર માટે પણ નિયમા છ દિશામાંથી પુદ્ગલોનો ચય થાય છે. તૈજસ અને કાર્મણ શરીરના પુદ્ગલોનો ચય ઔદારિકશરીરની જેમ ત્રણ, ચાર, પાંચ કે છ દિશામાંથી થાય છે. ११३ ओरालियसरीरस्स णं भंते ! कइदिसिं पोग्गला उवचिज्जंति ? गोयमा ! एवं चेव जाव कम्मगसरीरस्स । एवं जहा उवचिज्जति तहेव अवचिज्जंति । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! ઔદારિકશરીરના પુદ્ગલોનો ઉપચય કેટલી દિશામાંથી થાય છે ? ઉત્તર– હે ગૌતમ ! ચય પ્રમાણે જ ઉપચય યાવત્ કાર્મણશરી૨ સુધી જાણવું જોઈએ. ઔદારિકાદિ શરીરોના પુદ્ગલોના ઉપચયની જેમ તેનો અપચય પણ થાય છે. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રોમાં પાંચ શરીર યોગ્ય પુદ્ગલોના ચય, ઉપચય અને અપચય સંબંધી વિચારણા છે.
SR No.008774
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages486
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy