SearchBrowseAboutContactDonate
Page Preview
Page 570
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૬ કહે છે. તે જીવ પરલોકને યોગ્ય જે આયુષ્ય બાંધે તેને અસંજ્ઞી આયુષ્ય કહે છે. અસંશી જીવો દ્વારા આયુષ્યનું ઉપાર્જન અથવા વેદન :– અસંશીને મનોલબ્ધિ વિકસિત ન હોવાથી તેને સારા-ખરાબનો વિવેક નથી. પરંતુ તેના આંતરિક અધ્યવસાયથી તે ચારે ગતિનું આયુષ્ય બાંધી શકે છે. અસંશીએ બાંધેલા આયુષ્યને અસંજ્ઞી આયુષ્ય કહે છે. અસંજ્ઞી જીવ નરકાયુનો કે દેવાયુનો બંધ કરે તો જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમા ભાગનું આયુષ્ય બાંધે છે. તેઓ નરકાયુનો બંધ કરે તો પ્રથમ નરકનો બંધ કરે છે, દેવાયુનો બંધ કરે તો ભવનપતિ કે વાણવ્યંતર જાતિની દેવગતિનો બંધ કરે છે. તિર્યંચાયુ અને મનુષ્યાયુમાં જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પોપમના અસંખ્યાતમા ભાગનો બંધ કરે છે. ઉત્કૃષ્ટ આયુષ્ય બંધ યુગલિક તિર્યંચાયુ અને યુગલિક મનુષ્યાયુની અપેક્ષાએ સમજવો જોઈએ. અલ્પબહુત્વ – ચારે ગતિનું ઉત્કૃષ્ટ અસંશી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ છે. તેમ છતાં અલ્પબહુત્વમાં સર્વથી થોડું અસંજ્ઞી દેવાયુ કહ્યું છે. વ્યાખ્યાકારે તેનું સ્પષ્ટીકરણ કરતાં કહ્યું છે કે અસંજ્ઞી દેવાયુ જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ અને ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વનું જ છે. તેથી તે સર્વથી અલ્પ છે. ક્રોડપૂર્વ પણ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ જ છે. પલ્યોપમના અસંખ્યાતમા ભાગના અસંખ્યાત ભેદ છે. તેથી મનુષ્ય, તિર્યંચ અને નારકોનું અસંક્ષી આયુષ્ય ક્રમથી અસંખ્યગુણું છે. તે દરેક પલ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ છે. જીવોને પદવી અને ૧૪ રત્નોની પ્રાપ્તિ : તીર્થંકર ચક્રવર્તી, બલદેવ, વાસુદેવ માંડલિક રાજા. પદવી ૫ પંચેન્દ્રિયરત્ન-૭ સેનાપતિ, ગાથાપતિ, પુરોહિત, વાર્ધકી(અક્ષર) સ્ત્રીરત્ન, ગજરત્ન, અશ્વરત્ન એકેન્દ્રિયરત્ન-૭ : ચક્રરત્ન, છત્રરત્ન, ચર્મરત્ન, અસિરત્ન, મણિરત્ન, કાંગણીરત્ન, દંડરન આગત જીવ ૫ પદવી |એકેન્દ્રિય રત્ન પંચેન્દ્રિય રત્ન વિશેષ પ્રથમ નરકથી બીજી નરકથી ત્રીજ નથી ચોથી નરકથી ૫–૬ નરકથી ૭મી નરકથી ભવ વ્ય જ્યો॰ દેવો ૫ ૪ ૨ ૧ ૧ X ૩ X X X X X શ્રી પશવણા સૂત્ર : ભાગ–૨ X ૭ ૭ ૭ ૭ ૨ ૭ એકેન્દ્રિયમાં ઉત્પન્ન થતા નથી ચક્રવર્તી તથા એકેન્દ્રિય રત્ન થતા નથી ચક્રવર્તી,બલદેવ,વાસુદેવ તથા એકે થતા નથી માંડલિક રાજા થાય, એકેન્દ્રિય થતા નથી પંચેન્દ્રિય રત્ન થાય. માંડલિક રાજા થાય, એકે રત્ન થતા નથી પંચેન્દ્રિય રત્ન થાય. મનુષ્ય તથા એકેન્દ્રિયરત્ન થતા નથી તિર્યંચ પંચેન્દ્રિયની બે પદવી પામે. તીર્થંકર અને વાસુદેવ ઘતા નથી.
SR No.008773
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages580
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy