________________
| અઢાર પદઃ કાયસ્થિતિ
[ ૪૬૫ ]
વિવેચન : -
પ્રસ્તુત સૂત્રોમાં ચાર દર્શનની કાયસ્થિતિનું પ્રતિપાદન છે. ચાદર્શનની કાયસ્થિતિ :- જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સાધિક એક હજાર સાગરોપમની છે. એકેન્દ્રિયાદિ કોઈ પણ જીવ ચૌરેન્દ્રિય કે પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય, ત્યાં ચક્ષુદર્શનને પ્રાપ્ત કરે ત્યાં અંતર્મુહૂર્તનું આયુષ્ય પૂર્ણ કરીને પુનઃ એકેન્દ્રિયાદિમાં ઉત્પન્ન થાય, તો ચક્ષુદર્શનની જઘન્ય અંતર્મુહૂર્તની સ્થિતિ ઘટિત થાય છે. અને કોઈ જીવનિરંતર ચૌરેન્દ્રિય અને પંચેન્દ્રિયમાં જ જન્મ-મરણ કરે, તો પંચેન્દ્રિયની કાયસ્થિતિની અપેક્ષાએ ચક્ષુદર્શનની ઉત્કૃષ્ટ સ્થિતિ સાધિક હજાર સાગરોપમની થાય છે.
કોઈ પણ જીવ એક ભવનું આયુષ્ય પૂર્ણ કરીને અન્ય ગતિમાં જન્મ ધારણ કરવા ગતિ કરે છે ત્યારે તેની વાટે વહેતી અવસ્થામાં દ્રવ્યેન્દ્રિયનો અભાવ હોવાથી ચક્ષુદર્શન હોતું નથી પરંતુ તે જીવમાં ભાવેન્દ્રિયનો સદ્ભાવ હોવાથી ભવિષ્યમાં અવશ્ય દ્રવ્યેન્દ્રિય પ્રાપ્ત કરીને ચક્ષુદર્શનને પ્રાપ્ત કરશે. આ રીતે લબ્ધિની અપેક્ષાએ ચક્ષુદર્શનનું સાતત્ય સાધિક એક હજાર સાગરોપમ સુધી રહે છે. આ રીતે અહીં ભાવેદ્રિયની અપેક્ષાએ ચક્ષુદર્શનની કાયસ્થિતિનું નિરૂપણ છે. અન્યત્ર(ભગવતી સૂત્ર શતક-૧૩, ઉદ્દેશક–૧રમાં તથા બીજા આગમોમાં પણ) વાટવહેતા જીવમાં અને અપર્યાપ્તા જીવમાં ચક્ષુદર્શનનો નિષેધ મળે છે, ત્યાં દ્રવ્યેન્દ્રિયની અપેક્ષાએ નિરૂપણ છે. આમ, શાસ્ત્રોમાં સાપેક્ષ નિરૂપણ અનેક સ્થાનોમાં પ્રાપ્ત થાય છે. અચદર્શનની કાયસ્થિતિ - સંસારી કોઈ પણ જીવને કેવળદર્શન પ્રાપ્ત ન થાય, ત્યાં સુધી અચક્ષુદર્શન હોય જ છે. તેના બે પ્રકાર છે– (૧) અભવીની અપેક્ષાએ અનાદિ અનંત અને (૨) મોક્ષગામી ભવી જીવોની અપેક્ષાએ અનાદિ સાંત છે. અવધિદર્શનની કાયસ્થિતિ-જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ સાધિક ૧૩ર સાગરોપમની છે. અવધિજ્ઞાની કે વિર્ભાગજ્ઞાની બંનેને અવધિદર્શન હોય છે. કોઈ મનુષ્ય કે તિર્યંચ પંચેન્દ્રિયને પ્રતિપાતિ અવધિજ્ઞાન કે વિર્ભાગજ્ઞાન ઉત્પન્ન થાય અને બીજા જ સમયે પરિણામોના પરિવર્તનથી કે મૃત્યુ પામતાં તે અવધિદર્શનનો નાશ થઈ જાય તો તેની જઘન્ય એક સમયની સ્થિતિ ઘટિત થાય છે.
ઉત્કૃષ્ટ સાધિક ૧૩ર સાગરોપમની સ્થિતિ છે. અવધિજ્ઞાનની સ્થિતિ સાધિક છ સાગરોપમ છે અને વિર્ભાગજ્ઞાનની સ્થિતિ પૂર્વકોટિ વર્ષ અધિક ૩૩ સાગરોપમ છે, તેથી કોઈ પણ જીવ નિરંતર અવધિજ્ઞાનમાંથી વિર્ભાગજ્ઞાન અને વિર્ભાગજ્ઞાનમાંથી અવધિજ્ઞાનને પ્રાપ્ત કરતો ૧૩ર સાગરોપમ કાલ વ્યતીત કરે, તો અવધિદર્શનની ઉત્કૃષ્ટ સ્થિતિ ઘટિત થાય છે, તે આ પ્રમાણે સમજવી
કોઈ અવધિજ્ઞાની મનુષ્ય બારમા દેવલોકની રર સાગરોપમની સ્થિતિમાં નિરંતર ત્રણ ભવ કરે; ત્યાર પછી મનુષ્ય ભવમાં અલ્પ સમય માટે વિર્ભાગજ્ઞાન પ્રાપ્ત કરી પુનઃ અવધિજ્ઞાન પ્રાપ્ત કરે અને ત્યાર પછી પ્રથમ ગ્રેવેયકના ર૦ સાગરોપમના ત્રણ ભવ કે અનુત્તર વિમાનના ૩૩ સાગરોપમના બે ભવ અવધિજ્ઞાન સાથે કરે; તો આ રીતે અવધિદર્શનની બે ઇ(૧૩ર)સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ ઘટિત થાય છે. ટીકાકારે અહીં સાતમી નરકની સાથે ઉત્કૃષ્ટ સ્થિતિને ઘટિત કરી છે. તેમાં વિર્ભાગજ્ઞાન સહિત તિર્યંચમાં ઉત્પત્તિ કહી છે, તે ભગવતી સૂત્ર શતક ૧૩ ઉદ્દેશક–૧/ર અનુસાર ઉપયુક્ત થતી નથી. કારણ કે તિર્યંચમાં વિર્ભાગજ્ઞાન લઈને કોઈ ઉત્પન્ન થઈ શકે નહીં.
આ રીતે બારમા દેવલોકના ત્રણ ભવ અને નવ રૈવેયકના ત્રણ ભવ કે અનુત્તર વિમાનના બે ભવ