________________
ચૌદમું પદ કાય
-
૬ વિષે ખં અંતે ! પોતે પત્તે ? ગોયમા ! પબ્લિકે જોરે પળો, તું હાआभोगणिव्वत्तिए, अणाभोग णिव्वत्तिए उवसंते, अणुवसंते। एवं णेरइयाणं जाव वेमाणियाणं । एवं माणेण वि मायाए वि लोभेण वि चत्तारि दंडगा ।
૯
ભાવાર્થ::- પ્રશ્ન- હે ભગવન્ ! ક્રોધના કેટલા પ્રકાર છે ? ઉત્તર- હે ગૌતમ ! ક્રોધના ચાર પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) આભોગ નિર્વર્તિત, (૨) અનાોગ નિર્તિત, (૩) ઉપશાંત અને (૪) અનુપશાંત.
આ જ રીતે નારકોથી લઈને વૈમાનિક સુધી ૨૪ દંડકના જીવોમાં ચાર પ્રકારના ક્રોધનું કથન કરવું જોઈએ. ક્રોધની સમાન માન, માયા અને લોભના (આભોગ નિર્તિત આદિ) ચાર-ચાર ભેદ હોય છે તથા નારકોથી લઈ વૈમાનિકો સુધીના ૨૪ દંડકના જીવોમાં માન, માયા અને લોભના પણ આ ચાર-ચાર આલાપક હોય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં બે પ્રકારે કષાયોના ભેદોનું વિશ્લેષણ છે.
(૧) કષાયની તીવ્રતા-મંદતાના આધારે તેના ચાર ભેદ આ પ્રમાણે છે– ૧. અનંતાનુબંધી કષાય- અનંત સંસારનો અનુબંધ કરાવે તેવા તીવ્રતમ કપાયને અનંતાનુબંધી કહે છે. તે આત્માના સમ્યક્ત્વગુણનો વિઘાતક છે. જ્યાં સુધી અનંતાનુબંધી કષાયનો ઉદય હોય, ત્યાં સુધી જીવને સમ્યગ્દર્શન પ્રાપ્ત થતું નથી. ૨. અપ્રત્યાખ્યાની કષાય- જે કષાય દેશવિરતપણાના વિઘાતક હોય તેને અપ્રત્યાખ્યાની કષાય કહે છે. તે કષાયના ઉદયમાં જીવો શ્રાવકપણાનો સ્વીકાર કરી શકતા નથી, નવકારશી આદિ કોઈ પણ વ્રત પ્રત્યાખ્યાન લઈ શકતા નથી. ૩. પ્રત્યાખ્યાનાવરણ કાય– જે કષાય સર્વવિરતિ—સાધુપણાના ભાવોનો ઘાત કરે, જે કપાયના હૃદયમાં જીવ સવાંશે પ્રત્યાખ્યાન ગ્રહણ કરી ન શકે તેને પ્રત્યાખ્યાનાવરણ કાય કહે છે. ૪. સંજ્વલન કષાય— જે કષાય આત્માના યથાખ્યાતચારિત્ર ગુણનો ઘાત કરે, તે સંજ્વલન કષાય છે. તે કષાયના હૃદયમાં જીવને યથાખ્યાતચારિત્ર કે વીતરાગદશા પ્રાપ્ત થઈ શકતી નથી.
ચોવીસ દંડકના જીવોમાં ચાર પ્રકારના કાયો હોય છે. પ્રત્યેક જીવની યોગ્યતાનુસાર કષાયના ભાવોની તરતમતા, તીવ્રતા-મંદતા હોય છે.
(૨) પ્રકારાંતરથી કષાયના ચાર પ્રકાર આ પ્રમાણે છે– ૧. આભોગ નિર્તિત કાય− ઉપયોગપૂર્વક સભાન અવસ્થામાં, સંકલ્પપૂર્વક ઉત્પન્ન થયેલો કષાય. ૨. અનાભોગ નિર્તિત કપાય—ઉપસ્થિત પ્રસંગમાં ભાન ભૂલી જવાથી અણધાર્યો ઉત્પન્ન થયેલો કષાય. ૩. ઉપશાંત કાય– વચન અને પ્રવૃત્તિથી અપ્રગટ કપાય. ૪.અનુપશાંત કપાય– વચન અને પ્રવૃત્તિથી પ્રગટ થયેલા કષાય. આ ચારે કષાય ૨૪ દંડકના જીવોમાં પોતાની યોગ્યતા પ્રમાણે હોઈ શકે છે.
કાચ વડે કર્મોનો ચય આદિઃ
७ जीवा णं भंते ! कहहिं ठाणेहिं अट्ठ कम्मपगडीओ चिर्णिसु ? गोयमा ! चठहिं ટાળે િઅનુ મ્મપાડીઓ વિગિતુ, તેં નહા- વોòળ, માળેળ, માયા, લોમેળ । વં णेरइयाणं जाव वेमाणियाणं ।