________________
શ્રી પશવણા સૂત્ર : ભાગ-૧
વર્ણ પરિણત પુદ્ગલના ૧૦૦ ભાંગા :– પાંચ વર્ણ પરિવ્રત જે જે પુદ્ગલો છે તેમાં પ્રત્યેક વર્ણના ૨૦-૨૦ માંગા થાય છે. યથા– કાળા વર્ણના પુદ્દગલોમાં અન્ય ચાર વર્ષની પૃચ્છા નથી, માટે તેની ગણના કરી નથી. કાળા વર્ણના પુદ્દગલમાં અન્ય ગંધ, રસ, સ્પર્શ કે સંસ્થાનાદિ સર્વની સંભાવના છે. તેમાં કોઈ સુગંધી પણ હોય અને કોઈ દુર્ગંધી પણ હોય છે. કાળા વર્ણના પુદ્ગલોમાં કોઈ તીખા રસવાળા પણ હોય, તો કોઈ કડવા, કપાયેલા, ખાટા કે મધુર રસવાળા પણ હોય છે. તે જ રીતે કર્કશાદિ આઠ સ્પર્શમાંથી કોઈ પણ સ્પર્શ અને પરિમંડળ આદિ પાંચ સંસ્થાનમાંથી કોઈ પણ સંસ્થાન હોય શકે છે.
૨૬
આ રીતે કાળા વર્ણમાં અન્ય ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનોની અપેક્ષાએ પરસ્પર સંબંધિત ૨૦ ભંગ થાય છે. આ રીતે કાળા વર્ણના પુદ્ગલોમાં ૨ ગંધ + ૫ રસ + ૮ સ્પર્શ + ૫ સંસ્થાન = કુલ ૨૦ મંગ , તે જ રીતે પ્રત્યેક વર્ણના ૨૦-૨૦ ભંગ થાય છે, તેથી પાંચ વર્ણના (૨૦ × ૫ = ) ૧૦૦ ભંગ થાય છે.
ગંધ પરિણત પુદ્ગલના ૪૬ ભંગ- સુગંધી પુદ્ગલોમાં દુર્ગંધની ગણના નથી, કારણ કે સુગંધી પુદ્ગલની જ પૃચ્છા છે. તેમાં વર્ણાદિ અન્ય ગુણો હોય છે. તેથી ૫ વર્ણ + ૫ રસ + ૮ સ્પર્શ + પ સંસ્થાનના સંયોગે ૨૩ ભંગ થાય, તે જ રીતે દુર્ગંધના પણ વર્ણાદિના સંયોગે ૨૩ ભંગ થાય. તેથી ગંધ પરિક્ષત પુદ્ગલોના ૨૩ × ૨ - ૪૬ ભંગ થાય છે.
જ
રસ પરિણત યુગલોના ૧૦૦ ભંગ− પ્રત્યેક રસમાં પાંચ વર્ણ + બે ગંધ + આઠ સ્પર્શ + પાંચ સંસ્થાન = ૨૦ ભંગ થાય. તેથી પાંચ રસના ૨૦ × ૫ = ૧૦૦ ભંગ થાય છે.
સ્પર્શ પરિણત પુદ્દગલોના ૧૮૪ ભંગ– એક સ્પર્શમાં પાંચ વર્ણ + બે ગંધ + પાંચ રસ + છ સ્પર્શ + પાંચ સંસ્થાન = ૨૩ ભંગ થાય છે.
સ્પર્શની પૃચ્છામાં જે સ્પર્શની પૃચ્છા હોય, તે સ્પર્શ અને તેનો પ્રતિપક્ષી સ્પર્શ, આ બંનેને છોડીને શેષ છ સ્પર્શની ગણના થાય છે. વર્ણ, ગંધ, રસ આદિમાં શેષ બધા વર્ણ, ગંધ, રસ પ્રતિપક્ષી છે પરંતુ સ્પર્શની પૃચ્છામાં શીતનો પ્રતિપક્ષી ઉષ્ણ, સ્નિગ્ધનો પ્રતિપક્ષી રૂક્ષ, કર્કશનો પ્રતિપક્ષી મૃદુ અને ગુરુનો પ્રતિપક્ષી લઘુ સ્પર્શ છે. તેમાંથી જે બોલની પૃચ્છા હોય તેનો પ્રતિપક્ષી સ્પર્શ તેમાં હોતો નથી. શેષ છ સ્પર્શ હોય શકે છે.
આ રીતે કોઈ પણ એક સ્પર્શમાં ૫ વર્ણ + ૨ ગંધ + ૫ રસ + ૬ સ્પર્શ + ૫ સંસ્થાન = ૨૩ ભંગ થાય, તેથી આઠ સ્પર્શના ૨૩ × ૮ = ૧૮૪ ભંગ થાય છે.
સંસ્થાન પરિભ્રત પુગલના ૧૦૦ ભંગ- પરિમંડલાદિ એક-એક સંસ્થાનમાં પાંચ વર્ણ + બે ગંધ + પાંચ રસ + આઠ સ્પર્શ - ૨૦ બોલ હોય છે, તેથી પાંચ સંસ્થાનમાં ૨૦ × ૫ - ૧૦૦ ભંગ થાય છે. સર્વ મળીને વર્ણ પરિવ્રત પુદ્ગલના ૧૦૦ + ગંધ પરિણત પુદ્ગલના ૪૬ + રસ પરિણત પુદ્ગલના ૧૦૦ + સ્પર્શ પરિભ્રત પુદ્ગલના ૧૮૪ + સંસ્થાન પરિભ્રત પુદ્ગલના ૧૦૦ - ૫૩૦ મંગ પુદ્ગલ દ્રવ્યના એટલે રૂપી અજીવના થાય છે.