SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૮૪] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર ૧,૩૯,000+ ૧૨= ૧૧,૫૮૩૩ યોજન પ્રમાણ પ્રત્યેક આંતરાનું માપ નીકળી જાય છે. આ જ રીતે બીજી આદિ નરક પૃથ્વીના અંતરનું પ્રમાણ જાણી શકાય છે. ઉપર-નીચેના એક-એક હજાર એટલે બે હજાર યોજન(છત અને તળીયાના) ન્યુન કરતાં બીજી નરક પૃથ્વીમાં ૧,૩૦,000 યોજનના ક્ષેત્રમાં ૩૦૦૦ હજાર યોજન જાડા ૧૧ પ્રસ્તટ છે, તેથી ૩૦૦૦૪૧૧=૩૩000 યોજન થાય, તેને ૧,૩૦,૦૦૦ યોજનમાંથી બાદ કરીને ૧૦ આંતરાથી ભાગ આપતાં (૧,૩૦,૦૦૦૩૩,000= ૯૭000+૧૦ =) ૯,૭૦૦ યોજન પ્રમાણ પ્રત્યેક આંતરાનું માપ નીકળી જાય છે. ઉપરોક્ત વિધિથી આંતરાનું પ્રમાણ કાઢતાં ત્રીજી પૃથ્વીમાં પ્રત્યેક આંતરા ૧૨,૩૭૫ યોજનાના છે. ચોથી પૃથ્વીમાં સાધિક ૧૬,૧૬૩યોજનના, પાંચમી પૃથ્વીમાં ર૫,૨૫૦થોજનના, છઠ્ઠી પૃથ્વીમાં પર,૫00 યોજનના છે. સાતમી પૃથ્વીમાં એક જ પ્રસ્તટ હોવાથી અંતર નથી. સાતે નરક પૃથ્વીઓમાં કુલ મળી ૧૩+૧૧+૯+૦+૫+૩+૧=૪૯ પ્રસ્તો છે. આ બધા જ પ્રસ્તટો ૩000 યોજનની જાડાઈ (ઊંચાઈ) ધરાવે છે. તેમાં નીચેના ૧000 યોજનની પીઠિકાનો ભાગ નક્કર છે. મધ્યના ૧000 યોજનનો વિભાગ પોલાણવાળો છે અને ઉપરના ૧000 યોજનનો વિભાગ નક્કર છે. મધ્યના 1000 યોજનના પોલાણમાં નારકીઓના આવલિકા બદ્ધ અને પ્રકીર્ણક, એમ બે પ્રકારના આવાસો છે. તે આવાસોમાં પેટાળ મોટું અને મોટું સાંકડું હોય તેવી કુંભના આકારવાળી કુંભીઓ છે, તેમાં નારકીઓ ઉત્પન્ન થઈને અંતર્મુહૂર્તમાં બહાર નરકાવાસોમાં ફેંકાય છે. નરકમાં પાથડા, આંતરા અને તેનું પરિમાણ :કમ. | છત અને | પાથડા | પાઘડાનું | પાઘડાનો | આતરા | આંતરાનું | આંતરાનો તળીયું + | સંખ્યા x | માપ - કુલ વિસ્તાર માપ | કુલ વિસ્તાર ૧ ૧000 યોx૨ ૧૩ x 8000 યો = ૩૯,૦૦૦ યો-| ૧૨ x ૧૫,૫૮૩; યો– ૧૩૯૦૦૦ ચો ૨ |૧000યો ૪૨, ૧૧ x 3000 યો = ૩૩,000 યો| ૧૦ x | ૯૭૦૦ યો= | ૯૭૦૦૦ યો ૩ ૧000યો x૨ ૯ x |3000 યો= ર૭,000 યો| ૮ ૪ | ૧૨૩૭૫ યો= | ૯૯૦00 યો ૪ |૧000યો.૪૨ ૭ x ૩૦૦૦ યો= ૨૧,000 યો| ૬ x |૧૧૬૬૬ યો=| ૯૭000 યો ૫ ૧000યો.૪૨ ૫ x ૩000 યો= ૧૫,000 યો| ૪ x | રપર૫૦ યો= ૧૦૧000 યોગ ૬ /૧000યો x૨ ૩ ૪ |3000 યો= |૯000 યો | ૨ x | પર૫00 યો = ૧૦૫000 યો. ૭ | પર૫૦૦૪૨ | ૧ x |૩૦૦૦ યો= | ૩૦૦૦ યો - - નોંધઃ છત + તળીયુ + પાથડાનો કુલ વિસ્તાર + આંતરાનો કુલ વિસ્તાર = સંપૂર્ણ નરક પિંડ થાય છે. જેમ કે– પ્રથમ રત્નપ્રભા પૃથ્વી–૧000 યોજન છત + ૧000 યોજન તળીયું+૩૯,000 યોજન પાથડાનો કુલ વિસ્તાર+૧૩૯000 યોજન આંતરાનો કુલ વિસ્તાર, આ સર્વ મળીને ૧,૮0,000 યોજન પૃથ્વી પિંડ થાય છે. તે જ રીતે સાતે ય નરક | પૃથ્વીપિંડનો વિસ્તાર જાણવો. નરકાવાસ - નારકી જીવોના રહેવાના ભયંકર આવાસ સ્થાનને નરકાવાસ કહે છે. તેના બે પ્રકાર છેઆવલિકા પ્રવિષ્ટ અને પ્રકીર્ણક. આવલિકા પ્રવિષ્ટ નારકાવાસ – પ્રત્યેક પ્રસ્તટની મધ્યમાં એક મુખ્ય કેન્દ્રભૂત નરકાવાસ હોય છે.
SR No.008771
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages860
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy