SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ | પ્રતિપત્તિ ૮૯ ] ધાર્મિક વ્યવસ્થાઓ હોય તેને કર્મભૂમિ કહે છે. તેના પંદરક્ષેત્રો છે. પાંચ ભરતક્ષેત્ર, પાંચ ઐરાવતક્ષેત્ર અને પાંચ મહાવિદેહક્ષેત્ર. એક ભરતક્ષેત્ર, એક ઐરાવતક્ષેત્ર અને એક મહાવિદેહક્ષેત્ર, આ ત્રણ કર્મભૂમિના ક્ષેત્રો જંબૂઢીપમાં છે. બે ભરતક્ષેત્ર, બે ઐરવતક્ષેત્ર અને બે મહાવિદેહક્ષેત્ર, આ છ કર્મભૂમિના ક્ષેત્રો ધાતકીખંડ દ્વીપમાં છે. બે ભરતક્ષેત્ર, બે ઐરાવતક્ષેત્ર અને બે મહાવિદેહક્ષેત્ર, આ છ કર્મભૂમિના ક્ષેત્રો પુષ્કરાદ્ધ દ્વીપમાં છે. આ રીતે ૩+ ૬+ ૬ = ૧૫ કર્મભૂમિના ક્ષેત્રો થાય છે. મનુષ્યો– અકર્મભૂમિમાં ઉત્પન્ન થનારા મનુષ્યોને અકર્મભૂમિજ મનુષ્યો કહે છે. યથાવત્તવિવેત્તા મૂકવા તેમપૂન: અસિ, મસિઅને કૃષિરૂપવ્યાપાર તથા મોક્ષાનુષ્ઠાનરૂપ ધર્મ જ્યાં ન હોય તેને અકર્મભૂમિ કહે છે. તેના ૩૦ ક્ષેત્રો છે– પાંચ હેમવય ક્ષેત્ર, પાંચ હરણ્યવય ક્ષેત્ર, પાંચ હરિવાસ ક્ષેત્ર, પાંચ રમ્યવાસ ક્ષેત્ર, પાંચ દેવકુરુક્ષેત્ર અને પાંચ ઉત્તરકુરુ ક્ષેત્ર. તેમાં એક હેમવયક્ષેત્ર, એક હરણ્યવયક્ષેત્ર, એક હરિવાસક્ષેત્ર, એક રમ્યવાસક્ષેત્ર, એક દેવકુરુક્ષેત્ર, એક ઉત્તરકુરુક્ષેત્ર, આ છે અકર્મભૂમિના ક્ષેત્રો જંબૂદ્વીપમાં છે. બાર અકર્મભૂમિના ક્ષેત્રો ધાતકીખંડ દ્વીપમાં અને બાર અકર્મભૂમિના ક્ષેત્રો પુષ્કરાદ્ધ દ્વીપમાં છે. આ રીતે દ+ ૧૨ + ૧૨ = ૩અકર્મભૂમિના ક્ષેત્રો થાય છે. ત્યાંના મનુષ્યો યુગલિક છે, દશ પ્રકારના વૃક્ષોથી જીવન વ્યવહાર કરે છે. (૩) અંતરદ્વીપજ મનુષ્યો– લવણ સમુદ્રની અંદર દ્વીપરૂપે હોવાથી તે દ્વીપોને અંતર્લીપ કહે છે. તેમાં રહેનારા મનુષ્યોને “અન્તર્લીપજ' કહે છે. અંતર્લીપોનું લવણ સમુદ્રમાં સ્થાન–જબૂદ્વીપના ભરત ક્ષેત્ર અને હેમવત ક્ષેત્રની મર્યાદા કરનાર ચુલ્લહિમવાન' પર્વત છે. તે પર્વત પૂર્વ અને પશ્ચિમ દિશામાં લવણ સમુદ્રને સ્પર્શે છે. તે પર્વતના પૂર્વ અને પશ્ચિમ ચરમાત્તથી ચારે વિદિશાઓ(ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય)માં લવણ સમુદ્રમાં ૩૦૦-૩૦૦ યોજન જઈએ ત્યારે પ્રત્યેક વિદિશામાં જેબૂદ્વીપની જગતીથી ૩૦૦ યોજન દૂર એક-એક દ્વીપ આવે છે. જેમ કે– ઈશાન કોણમાં એકોરુક, અગ્નિ કોણમાં આભાસિક, નૈઋત્ય કોણમાં નાંગોલિક અને વાયવ્યકોણમાં વૈષાણિક દ્વીપ છે. તે દ્વીપ ગોળ છે, તેની લંબાઈ, પહોળાઈ ૩૦૦ યોજનની છે, તેની પરિધિ૯૪૯ યોજનથી કિંઈક ન્યૂન છે. તે દ્વીપોથી ૪૦૦-૪00 યોજન દૂર અને જંબુદ્વીપની ગતીથી પણ ૪00 યોજન દૂર સમુદ્રમાં ક્રમશઃ પ્રત્યેક વિદિશામાં પાંચમો, છઠ્ઠો, સાતમો અને આઠમો દ્વીપ છે. તેની લંબાઈ પહોળાઈ ૪00-800 યોજનની છે, તે પણ ગોળ છે. તે પ્રત્યેકની પરિધિ ૧,૨૫ યોજનથી કંઈક ન્યૂન છે. આ જ રીતે પૂર્વ-પૂર્વના દ્વીપોથી ક્રમશઃ ૫૦૦, ૬૦૦, ૭૦૦, ૮૦૦, ૯૦૦ યોજનના અંતરે અને જંબૂઢીપ જગતીથી પણ ક્રમશઃ પ00, 00, ૭૦૦, ૮૦૦, ૯૦૦ યોજન દૂર એક-એક દ્વીપ આવે છે. તેની લંબાઈ-પહોળાઈ ક્રમશઃ ૫00 થી ૯૦૦યોજન સુધીની જાણવી જોઈએ. તે સર્વ ગોળ છે. પ્રત્યેક દ્વીપની ત્રિગુણીથી કંઈક અધિક પરિધિ છે. આ રીતે ચુલ્લહિમવંત પર્વતની ચારે વિદિશાઓમાં ૨૮ અંતર્લીપ છે. જે રીતે ચુલહિમવંત પર્વતની ચારે વિદિશાઓમાં ૨૮ અંતર્લીપ છે, તે જ રીતે શિખરી પર્વતની ચારે વિદિશાઓમાં પણ ૨૮ અંતર્દીપ છે. તેનું વર્ણન શ્રી ભગવતી સૂત્ર શતક-૧૦, ઉદ્દેશક-૭ થી ૩૪ સુધીના ૨૮ ઉદ્દેશકોમાં છે. આ રીતે કુલ પ૬ અંતરદ્વીપ છે. છપ્પન અંતર્લીપ દાઢાઓ ઉપર કે દાઢાઓના આકારે?:- વ્યાખ્યા ગ્રંથોના વર્ણન પ્રમાણે ચુલ્લહિમવંત
SR No.008771
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages860
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy