SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ | વિભાગ-૧: સમવસરણ [ ૭૩ ] ચોથી મહાસિંહ નિષ્ક્રીડિત - મહાસિંહ નિષ્ક્રીડિત તપક્રમમાં લઘુસિંહ નિષ્ક્રીડિત તપની જેમ પાછળના તપની આવૃત્તિ કરતા સોળ ઉપવાસ સુધી આગળ વધવાનું અને ત્યાર પછી ક્રમશઃ ઉતરવાનું હોય છે. આ તપની ચાર પરિપાટી કરવામાં આવે છે. મહાસિંહ નિખીડિત તપની ચાર પરિપાટી : પરિપાટી | પારણા વિગત | તપના દિવસ | પારણાના દિવસ | કુલ સમય પ્રથમ વિગય સહિત ૪૯૭ ૬૧ ૫૫૮ આહાર દિવસ દિવસ દિવસ બીજી વિગય રહિત આહાર અર્થાત્ અર્થાત્ અર્થાત્ લેપ રહિત, નીવીત | ૧ વર્ષ, ૪ માસ ૨ માસ ત્રીજી ૧ વર્ષ, ૬ માસ ૧૭ દિવસ ૧દિવસ ૧૮ દિવસ આયંબિલ કુલદિવસો ૧૯૮૮ દિવસ ૨૪૪ દિવસ | રર૩ર દિવસ (૫ વર્ષ, માસ | (૮ માસ, ૪ દિવસ) | (૬ વર્ષ, ૨ માસ ૮ દિવસ) ૧૨ દિવસ) ભદ્ર પડિમા:- આ પડિમા કાયોત્સર્ગ સાથે સંબંધિત છે. કાયોત્સર્ગ નિર્જરાના(તપના) બાર ભેદોમાંથી અંતિમ ભેદરૂપે છે. કાય+ઉત્સર્ગ = બંને શબ્દ મળીને કાયોત્સર્ગ શબ્દ બને છે. કાય = શરીર તથા ઉત્સર્ગ = ત્યાગ. શરીરનો ત્યાગ કરવો શક્ય નથી. પરંતુ આધ્યાત્મિક રીતે દેહને આત્માથી ભિન્ન માનવો, શરીરની પ્રવૃત્તિઓ, હલન ચલન વગેરે ક્રિયાઓ છોડી દેવી. દેહથી ભિન્ન આત્મતત્ત્વની અનુભૂતિ માટે પુરુષાર્થશીલ બનવું, શરીરની મમતાનો ત્યાગ કરવો, તે કાયોત્સર્ગ છે. સાધક કાયોત્સર્ગમાં દેહથી, પોતાના આત્માને એક પ્રકારે અલગ કરી દે છે, આત્મરમણતા માટે પ્રયત્ન કરે છે. આ પડિકામાં પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ તથા ઉત્તર દિશામાં મુખ રાખી ક્રમશઃ દરેક દિશામાં ચાર-ચાર પ્રહર સુધી કાયોત્સર્ગ કરવાનું વિધાન છે. આ પડિમાની સમય મર્યાદા ૧૬ પ્રહર અથવા બે દિન-રાત્રિ છે. મહાભદ્ર પડિમા :- આ પડિકામાં પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ તથા ઉત્તર દિશામાં મુખ રાખી ક્રમશઃ દરેક દિશામાં એક-એક અહોરાત્રિ સુધી કાયોત્સર્ગ કરવાનું વિધાન છે. આ પડિમાની સમય મર્યાદા ચાર અહોરાત્રની છે. સર્વતોભદ્ર પડિયા - આ પડિયામાં પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ, ઉત્તર, અગ્નિ, નૈટ્સત્ય, વાયવ્ય, ઈશાન, ઊર્ધ્વ અને અધો દિશા, આ રીતે ક્રમશઃ દસ દિશા તરફ મુખ રાખી દરેક દિશામાં એક-એક અહોરાત્રિ પર્યત કાયોત્સર્ગ કરવાનું વિધાન છે. આ પડિમાની સમય મર્યાદા ૧૦ અહોરાત્રિની છે, સર્વતોભદ્રતપની આરાધના તપથી પણ થઈ શકે છે. તેના બે પ્રકાર છે(૧) લઘુ સર્વતોભદ્ર તપ આ તપમાં ક્રમશઃ એક ઉપવાસથી પાંચ ઉપવાસ સુધી આગળ વધવાનું હોય છે. તેવી એક પંક્તિમાં ૧૫ ઉપવાસ અને પાંચ પારણા થાય, તે જ રીતે પાંચ પંક્તિના ૭૫ ઉપવાસ અને ૨૫ પારણા કરતાં ૧૦૦ દિવસે એક પરિપાટી પૂર્ણ થાય છે. તેવી ચાર પરિપાટીમાં ૪૦૦ દિવસ અર્થાત્ એક વર્ષ એક માસ અને દસ દિવસ થાય છે.
SR No.008769
Book TitleAgam 12 Upang 01 Auppatik Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKalpanabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages237
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aupapatik
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy