SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ | વિભાગ-૧: સમવસરણ શ્રમણ-નિગ્રંથોને જ થાય છે. તેના બે ભેદ છે– વિદ્યાચરણ– વિદ્યાના પ્રભાવે એક ઉડાનમાં માનુષોત્તર પર્વત પર્યત જઈ શકે અને ત્યાંથી બીજા ઉડાનમાં નંદીશ્વર દ્વીપ સુધી તિરછું ગમન કરી શકે, તે જ રીતે ઊર્ધ્વ દિશામાં જાય, તો પ્રથમ ઉડાનમાં નંદનવન અને બીજા ઉડાનમાં પંડગવન સુધી જઈ શકે છે. ત્યાંથી એક જ ઉડાનમાં સ્વસ્થાને પાછા ફરી શકે તેવી શક્તિને વિદ્યાચરણ લબ્ધિ કહે છે. જેઘાચરણ– જંઘાનાબળે એકજ ઉડાનમાં રૂચકવર દ્વીપ સુધી તિર ગમન કરી શકે અને ત્યાંથી સ્વસ્થાને પાછા ફરતાં એક ઉડાનમાં નંદીશ્વર દ્વીપ સુધી અને બીજા ઉડાનમાં સ્વસ્થાને પહોંચે છે. ઊર્ધ્વદિશામાં જાય, તો એક જ ઉડાનમાં પંડગવન સુધી જઈ શકે, ત્યાંથી પાછા ફરતાં પ્રથમ ઉડાનમાં નંદનવન સુધી અને બીજા ઉડાનમાં સ્વસ્થાને પહોંચે છે. તેવી શક્તિને જંઘાચરણલબ્ધિ કહે છે. વિસ્તૃત વિવેચન માટે જૂઓ શ્રી ભગવતીસૂત્ર ભાગ ૪ શતક ૨૦ ઉ. ૯ પા.નં. ૫૮૩ થી ૫૮૮. ચોવીસમાં તીર્થકર ભગવાન મહાવીરના શાસનમાં ઉત્કૃષ્ટ છ માસનું તપ થઈ શકે છે. એક, બે, ત્રણ આદિ ઉપવાસના ક્રમે તપના વિવિધ પ્રકાર થઈ શકે છે. રત્નાવલી તપ - જે તપની આરાધના રત્નાવલી નામના આભૂષણની રચનાની જેમ કરવામાં આવે છે, તેને રત્નાવલી તપ કહે છે. રત્નાવલી આભૂષણ બંને તરફથી પ્રારંભમાં પાતળું હોય અને ક્રમશઃ જાડું થતું જાય અને મધ્યમાં પૈડલના સ્થાને વિશેષ મણિઓથી સુશોભિત હોય છે. તેમ રત્નાવલી તપમાં ૧, ૨, ૩ ઉપવાસ, ત્યાર પછી એકી સાથે ૮ છઠ, ત્યાર પછી ક્રમશઃ ચઢતા ક્રમે એક ઉપવાસથી ૧૬ ઉપવાસ, મધ્યમાં ૩૪ છઠ, ત્યાર પછી ઉતરતા ક્રમે ૧૬ ઉપવાસથી એક ઉપવાસ, ૮ છઠ અને પછી ૩, ૨, ૧ ઉપવાસ કરવામાં આવે છે. આ રીતે એક પરિપાટી પૂર્ણ થાય છે. આ જ રીતે ચાર પરિપાટી કરવામાં આવે છે. રત્નાવલી તપની ચાર પરિપાટી : પરિપાટી પ્રથમ બીજી ત્રીજી પારણાવિગત | તપના દિવસ | પારણાના દિવસ | કુલ સમય સર્વરસ યુક્ત ૩૮૪ ૮૮ ૪૭૨ વિગય સહિત દિવસ દિવસ દિવસ આહાર | વિગય રહિત આહાર | અર્થાત્ અર્થાત્ અર્થાત્ લેપ રહિત આહાર ૧ વર્ષ ૨ માસ ૧ વર્ષ, ૩ માસ નીવી તપ ૨૪ દિવસ ૨૮ દિવસ રર દિવસ આયંબિલ ૧૫૩૬ દિવસ | ૩પર દિવસ ૧૮૮૮ દિવસ (૪ વર્ષ, ૩ માસ (૧૧ માસ | (૫ વર્ષ, ૨ માસ ૬ દિવસ). રર દિવસ) | | ૨૮ દિવસ). ચોથી કુલ સમય કનકાવલી તપ - આ તપની આરાધના રત્નાવલી તપની જેમજ કરાય છે પરંતુ રત્નાવલી તપમાં બેવાર જ્યાં ૮ છઠ કરવામાં આવે છે, ત્યાં કનકાવલી તપમાં ૮ અઠ્ઠમ અને મધ્યમાં ૩૪ છઠના સ્થાને ૩૪ અટ્ટમ કરવાના હોય છે.
SR No.008769
Book TitleAgam 12 Upang 01 Auppatik Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKalpanabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages237
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aupapatik
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy