SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ વિભાગ-૧: સમવસરણ ૨૩ પૂજનીય માને છે, તેવા ત્રણે લોકના અધિપતિને ધર્મવર ચાતુરંત ચક્રવર્તી કહે છે. પ્રસ્તુત પાઠમાં આશરે તિત્યયરે.... આદિ બધા જ વિશેષણો ભગવાન મહાવીર સ્વામીના વર્ણન માટે છે. તેથી તે સર્વ વિશેષણો સમળે મળવું મહાવીની જેમ પ્રથમા વિભક્તિ એક વચનમાં છે. આવશ્યક સૂત્રમાં ‘નમોત્થણ’ના પાઠમાં ત્રિકાલવર્તી અનંત તીર્થંકરોની ગુણસ્તુતિ છે. તેથી ત્યાં નમસ્કારના યોગમાં આફરાળ તિથૅયા...... આદિ વિશેષણો ચતુર્થી વિભક્તિ બહુવચનમાં છે. જૈનશ્રમણોની વિહારચર્યાના સ્વરૂપને સમજાવવા સૂત્રકાર ત્રણ શબ્દોનો પ્રયોગ કરે છે. અહીં સ્વયં શ્રમણભગવાન મહાવીર સ્વામીના વિહારને દર્શાવતાં આ ત્રણ શબ્દનો પ્રયોગ થયો છે. પુત્રાળુદ્ધિ વરમાળે – પૂર્વના અનંત તીર્થંકરોની પરંપરા અનુસાર વિહાર કરે. પૂર્વના અનંત તીર્થંકરોએ પણ પાદવિહાર જ કરેલો છે અને તેમના શ્રમણોને માટે પણ પાદવિહારની જ તીર્થંકરોની આજ્ઞા છે. તેથી તે આજ્ઞાને અનુસરીને શ્રમણો પાદવિહાર કરે. ગામાણુગામ વુન્ગમાળે – ગ્રામાનુગ્રામ —એક ગામથી બીજા ગામમાં જતાં, અનુક્રમે વિહાર કરે છે. ગ્રામાનુગ્રામ વિહાર કરવાથી શાસનપ્રભાવનાનો મોટો લાભ થાય છે અને શ્રમણોની સ્વસ્થતા પણ જળવાઈ રહે છે. : : સુહૈં સુદેખં વિહરમાળે – સુખપૂર્વક વિચરતા. શ્રમણો ઇર્યાસમિતિનું પાલન કરતાં શાંતિ–સમાધિપૂર્વક વિહાર કરે. તે ઉપરાંત શરીરની શક્તિ અને સામર્થ્યનો વિચાર કરીને વિહાર કરે. વિહાર કર્યા પછી સાધુજીવનની સમાચારીનું પાલન યથાર્થ રીતે થઈ શકે, સ્વાધ્યાય કે ધ્યાનમાં સ્ખલના ન થાય, શરીર અત્યંત થાકી ન જાય અને મનની પ્રસન્નતા જળવાઈ રહે, તે રીતે સુખપૂર્વક વિહાર કરે. આ રીતે શ્રમણોની વિહારચર્યામાં તીર્થંકરોની આજ્ઞાનું પાલન, શાસન પ્રભાવના અને સંયમી જીવનની નિર્દોષતા તથા નિર્મળતા જળવાઈ રહે છે. ભગવાન મહાવીરના પદાર્પણના વધામણા : १५ तणं से पवित्तिवाउए इमीसे कहाए लट्टे समाणे हतु-चित्त-माणंदिए, पीइमणे, परमसोमणस्सिए, हरिसवस-विसप्पमाण-हियए [ण्हाए कयबलिकम्मे कयकोउयमंगलम्पायच्छित्ते] जावसुहोदएहिं पुणो पुणो कल्लाणग-पवस्मज्जणविहीए मज्जिए, तत्थ कोउयसएहिं बहुविहेहिं कल्लाणग-पवर-मज्जणावसाणे सुद्धप्पावेसाइं मंगलाई वत्थाई पवरपरिहिए, अप्पमहग्घाभरणालंकियसरीरे सयाओ गिहाओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता चंपा णयरीए मज्झमज्झेणं जेणेव कोणियस्स रण्णो गिहे, जेणेव बाहिरिया उवट्ठाणसाला, जेणेव कूणिए राया भंभसारपुत्ते, तेणेव उवागच्छइ, उवागच्छित्ता करयल-परिग्गहियं सिरसावत्तं मत्थए अंजलि कट्टु जएणं विजएणं वद्धावेइ, वद्धावित्ता एवं वयासी ભાવાર્થ:- ભગવાનના સમાચાર જાણવા માટે નિમણૂક કરાયેલા સંદેશાવાહકને ભગવાનના આગમનના સમાચાર મળ્યા ત્યારે તેને ઘણો હર્ષ અને સંતોષ થયો, ચિત્ત આનંદિત થયું, મનમાં પ્રેમ ઉદ્ભવ્યો, અત્યંત અનુરાગથી તેનું મન પ્રસન્ન થઈ ગયું, હર્ષાતિરેકથી હૃદય કમલ ખીલી ઊઠ્યું[તેણે સ્નાન કર્યું, બલિકર્મ કર્યું તેમજ કોતુક, મંગલ અને પ્રાયશ્ચિત્ત કર્મ કર્યા.] યાવત્ તેણે શુદ્ધ નિર્મળ જળથી કલ્યાણકારી શ્રેષ્ઠ વિધિથી વારંવાર
SR No.008769
Book TitleAgam 12 Upang 01 Auppatik Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKalpanabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages237
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aupapatik
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy