________________
વિભાગ-૧: સમવસરણ
૧૯
उज्जुय-समसहिय-जच्च-तणु- कसिणणिद्ध आइज्ज लडह-रमणिज्ज- रोमराई, झस - विहगसुजाय-पीण-कुच्छी, झसोयरे, सुइकरणे पउम वियङ-णाभे, गंगावत्तग- पयाहिणावत्ततरंगभंगुर - रविकिरण-तरुण-बोहिय- अकोसायंत- पउमगंभीर - वियडणाभे, साहय- सोणंदमुसल-दप्पण-णिकरिय-वर- कणग-च्छरु सरिस-वरवइर-वलिय-मज्झे, पमुइय-वर-तुरगसीहवर-वट्ठिय-कडी,
वरतुरग-सुजाय-गुज्झदेसे, आइण्ण- हउव्व - णिरुवलेवे, वर- वारण- तुल्ल- विक्कमविलसियगई,गय-ससण-सुजायसण्णिभोरू, समुग्ग- णिमग्ग- गूढजाणू, एणी-कुरुविंदावतवट्टाणु पुव्वजंघे, संठिय-सुसिलिट्ठ-गूढगुप्फे, सुप्पइट्ठिय-कुम्म- चारु-चलणे, अणुपुव्वसुसंहयंगुलीएउण्णय-तणु- तंब णिद्ध-णक्खे, रत्तुप्पल-पत्त-मउय- सुकुमाल - कोमलतले,
अट्ठसहस्स-वरपुरिस-लक्खणधरे, णग-नगर-मगर सागर- चक्कंक- वरंक- मंगलंकियचलणे, विसिट्ठरूवे, हुयवह- णिद्धूम-जलिय तडितडिय तरुण- रविकिरण- सरिसतेए, अणासवे, अममे, अकिंचणे, छिण्णसोए, णिरुवलेवे, ववगय-पेम-राग-दोस मोहे, णिग्गंथस्स पवयणस्स देसए, सत्थणायगे, पइट्ठावए समणगपई, समणगविंद-परिवड्डिए, चउत्तीस-बुद्ध-वयणाइसेसपत्ते, पणतीस-सच्च-वयणाइसेसे, आगासगएणं चक्केणं, आगासगएणं छत्तेणं, आगासियाहिं चामराहिं, आगास-फलियामएणं सपायपीढेणं सीहासणेणं, धम्मज्झएणं पुरओ पकड्डिज्ज माणेणं, चउद्दसहिं समणसाहस्सीहिं, छत्तीसाए अज्जियासाहस्सीहिं सद्धिं संपरिवुडे पुव्वाणुपुव्वि चरमाणे, गामाणुग्गामं दूइज्जमाणे, सुहंसुहेणं विहरमाणे चंपाए णयरीए बहिया उवणगरग्गामं उवागए चंपं णयरिं पुण्णभद्दं चेइयं समोसरिउकामे ।
ભાવાર્થ :- તે કાલે, તે સમયે શ્રમણ– ઘોર તપ સાધનારૂપ શ્રમમાં અનુરક્ત, ભગવાન- આધ્યાત્મિક ઐશ્વર્ય સંપન્ન, મહાવીર સ્વામી ચંપાનગરીના પૂર્ણભદ્ર ચૈત્યમાં પધાર્યા, તે ભગવાન મહાવીર આદિકર– શ્રુત અને ચારિત્રરૂપ ધર્મની આદિ કરનારા, તીર્થંકર– સાધુ-સાધ્વી, શ્રાવક, શ્રાવિકા તે ચતુર્વિધ સંઘની-તીર્થની સ્થાપના કરનારા, સ્વયંસંબુદ્ધ– અન્યના ઉપદેશ વિના સ્વયં બોધને પ્રાપ્ત થયેલા, પુરુષોત્તમ– જ્ઞાનાદિ અનંત ગુણોથી વિશિષ્ટ અથવા અતિશય સંપન્ન, પુરુષસિંહ– રાગ, દ્વેષાદિ કર્મશત્રુઓનો નાશ કરવામાં શૂરવીર, પુરુષવરપુંડરિક– સર્વ પ્રકારની મલિનતાથી રહિત શ્વેત કમળ જેવા નિર્મળ અને નિર્લેપ, પુરુષવરગંધહસ્તિ– અન્યદાર્શનિકો દ્વારા થતા ઉપદ્રવો તથા માર–મરકી આદિ આપત્તિઓ પર ગંધ હસ્તિની જેમ હંમેશાં વિજય પ્રાપ્ત કરનારા, લોગુત્તમ– ચોત્રીસ અતિશય તથા વાણીના પાંત્રીસ અતિશય સંપન્ન, લોકનાથ– ભવ્ય જીવોના યોગક્ષેમની રક્ષા કરનારા, લોકપ્રદીપ– ભવ્યજીવોના મિથ્યાત્વરૂપ અંધકારનો નાશ કરી સમિતરૂપ દીપ પ્રગટાવનારા, લોકપ્રદ્યોતકર– લોકાલોકના પદાર્થોને પ્રકાશિત કરનારા, અભયદાતા– સમસ્ત જીવોને સર્વ પ્રકારના સંકટમાંથી મુક્ત કરી અભયદાન દેનારા, કોઈ પણ જીવોની હિંસા ન કરનારા, ચક્ષુદાતા— જ્ઞાનરૂપ ચક્ષુના દાતા, માર્ગદાતા— સમ્યગ્ દર્શનરૂપ મોક્ષ માર્ગના દાતા, શરણદાતા- કર્માધીન વ્યાકુળ પ્રાણીઓને ઉપદ્રવ રહિત શરણભૂત સ્થાનના દાતા, જીવદાતા- સંયમરૂપ જીવનના દાતા, બોધિદાતા–ધર્મની સંપ્રાપ્તિ
રૂપ
। ધર્મબોધિના દાતા, ધર્મદાતા— દુર્ગતિમાં પડતાં જીવોનો ઉદ્ધાર કરે તેવા શ્રુત અને ચારિત્રરૂપ ધર્મના દાતા,