________________
[ ૧૦ ]
શ્રી વિવાઈસૂત્ર
મઘમઘાયમાન રહેતું, અનેક પ્રકારના સુગંધી પદાર્થોથી સુવાસિત હોવાથી તે સુગંધની ગુટિકા જેવું લાગતું હતું.
- નટો, નર્તકો, જલ્લો, મલ્લો, મૌષ્ટિકો, વિદૂષકો, પ્લવકો, કથાકારો, રાસ રમનારાઓ, નૈમિત્તજ્ઞો, લખો, મંખો, બાજીગરો, વીણાવાદકો, ભોજકો-સેવકો અને સ્તુતિપાઠકોથી તે મંદિર હંમેશાં ભરચક રહેતું હતું. તેની પ્રસિદ્ધિ અનેક નગરજનો અને અન્ય દેશના નિવાસીઓ સુધી પહોંચી ગઈ હતી. ઘણા લોકોને માટે તે આહાનીય- દાન દેવા યોગ્ય હતું અર્થાત્ ઘણા લોકો ત્યાં દાન આપતા હતા. પ્રાહાનીય- વારંવાર દાન આપતા હતા.
લોકો તે યક્ષાયતનને ચંદનાદિથી પૂજા દ્વારા અર્ચનીય, સ્તુતિ આદિ દ્વારા વંદનીય, પંચાંગથી નમસ્કરણીય, પુષ્પથી પૂજનીય, વસ્ત્રાદિથી સત્કારણીય, બહુમાનપૂર્વક સન્માનનીય માનતા હતા. લોકોના ઇષ્ટ અર્થને સિદ્ધ કરતા હોવાથી કલ્યાણ સ્વરૂપ, અનર્થકારી ઘટનાઓના નાશ કરતા હોવાથી મંગલસ્વરૂપ, મનોવાંછિત ફળ આપતા હોવાથી દિવ્ય સ્વરૂપ, લોકોની અભિલાષાને જાણતા હોવાથી ચૈત્યસ્વરૂપ એટલે જ્ઞાન સ્વરૂપ અને વિનયપૂર્વક ઉપાસના કરવા યોગ્ય માનતા હતા. આ રીતે તે યક્ષાયતન દિવ્ય, સત્ય, આશાપૂરક અને દેવાધિષ્ઠિત હતું. તેનાં અભુત પ્રભાવથી હજારો લોકો યજ્ઞ-યાગાદિ દ્વારા તેમની સેવા-પૂજા કરતા હતા અને સાંસારિક અભિલાષાઓ પૂર્ણ થતાં દાન દેતા હતા. આ રીતે ઘણા લોકો પૂર્ણભદ્ર ચેત્યની
ખ્યાતિ-પ્રખ્યાતિ કરતા હતા. વિવેચન :રેડ્યું - ચૈત્ય શબ્દ અનેક અર્થવાચી છે. હેમીય નામમાલામાં હેમચંદ્રાચાર્યે ૧૦૮ અર્થ કર્યા છે. પ્રસ્તુત સૂત્રમાં આ શબ્દનો બે પ્રકારે પ્રયોગ થયો છે– (૧) રેવા હત્યા (૨) રેવયં વેદ્ય પ્રથમ પ્રયોગમાં આ શબ્દ ઉદ્યાનયુક્ત યક્ષાયતન અર્થમાં પ્રયુક્ત થયો છે. બીજો પ્રયોગ “જ્ઞાનયુક્ત” અર્થમાં પ્રયુક્ત છે, જેનું તાત્પર્ય એ છે કે તે યક્ષાયતનમાં બિરાજમાન યક્ષ અવધિજ્ઞાનાદિ અતિશય જ્ઞાન સંપન્ન હોવાના કારણે લોકોના પ્રશ્નોનું યથાર્થ સમાધાન થતું હતું.
ચૈત્યના પ્રસ્તુત વર્ણનથી સ્પષ્ટ થાય છે કે નગરજનો માટે તે પૂર્ણભદ્ર યક્ષાયતન લૌકિક અપેક્ષાએ પૂજાનું સ્થાન હતું. લોકો ત્યાં આવીને આનંદ પ્રમોદ કરી શકે તેવી ઉદ્યાનાદિની સર્વ વ્યવસ્થાઓ હતી. બાળ સહસ્ત્ર = હજારો સેવકોના યજ્ઞ-યાગાદિને અને માધાપડિછ = દાનરૂપે તેઓની સંપત્તિના ભાગને પ્રાપ્ત કરનાર, સાહિત્ય પાકોરે = પ્રાતિહાર્ય યુક્ત, અતિશયધારી દેવયુક્ત અર્થાત્ તે યક્ષાયતન દેવાધિષ્ઠિત હતું. વનખંડ:| ३ सेणं पुण्णभद्दे चेइए एक्केणं महया वणसंडेणं सव्वओ समंता सपरिक्खित्ते। सेणं वणसंडे किण्हे, किण्होभासे, णीले, णीलोभासे, हरिए, हरिओभासे, सीए, सीओभासे, गिद्धे, णिद्धोभासे, तिव्वे, तिव्वोभासे, किण्हे, किण्हच्छाए, णीले, णीलच्छाए, हरिए, हरियच्छाए, सीए, सीयच्छाए, णिद्धे, णिद्धच्छाए, तिव्वे, तिव्वच्छाए, घणकडिअकडच्छाए, રમે, મહામેળ મૂE I ભાવાર્થ:- તે પૂર્ણભદ્ર ચેત્ય ચારે બાજુથી એક વિશાળ વનખંડથી(બગીચાથી ઘેરાયેલું હતું. તે વનખંડ અતિશય સઘન હોવાથી અંધકારમય લાગતો હતો. તેથી કૃષ્ણવર્ણવાળો અને કૃષ્ણકાંતિવાળો, નીલ વર્ણ