________________
**
અર્ધમાગધી ભાષાનો વિશેષ ઉલ્લેખ કરીને ઐતિહાસિક ખ્યાલ આપવામાં આવ્યો છે. એ જ રીતે રૂસ્થિયાઓ અર્થાત 'સ્ત્રી પ્રકરણ' પણ મૂકવામાં આવ્યું છે. 'મુક્તિશિલા' અને સિદ્ધોનું સ્થાન તથા સિદ્ધાત્માઓનું વિશુદ્ધ સ્વરૂપ નિશ્ચિત અને સચોટ શબ્દમાં અંકિત કરવામાં આવ્યું છે, જે નોંધપાત્ર છે. આ ઉપરાંત વિરોધી તત્ત્વો 'નિદ્ભવ' કે પ્રત્યેનીક વ્યક્તિઓના સ્વભાવ અને આચરણનો ઉલ્લેખ કરીને તેને પણ ક્ષમાના ભાજન તરીકે અપનાવી લેવામાં આવ્યા છે. ખરેખર ! 'ઉવવાઈ' 'શાસ્ત્ર' અષ્ટ નિધાન' જેને કહી શકાય, તેવી 'સિદ્ધિ' અને 'લબ્ધિ' ના ભાવોને પ્રગટ કરી બાહ્ય તથા આત્યંતર વ્યવહાર તથા પરમાર્થ, બંને જગતનું નિરૂપણ કરી, માનવીય બુદ્ધિને સમતોલ બનાવે છે આટલું કહી આપણે 'ઉવવાઈ' ઉપદેષ્ટા સાક્ષાત્ દેવાધિદેવ તથા શાસ્ત્રને ઝીલનારા ગણધર મહિર્ષઓને તથા શાસ્ત્રનું સંકલન કરનાર મહાન સંત–સતીજીઓને પુનઃ પુનઃ વંદન કરી વિરમશું...
AB
27
જયંતિમુનિ પેટરબાર