SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ હું લાંબા લાંબા સમાસબદ્ધ કાવ્યમય વાક્યોનો જે પ્રયોગ થયો છે. તે જેનાગમ વખતની સાહિત્યિક ભાષાના વિકાસની અનુપમ સાક્ષી આપે છે. કાદંબરી જેવા એકેક બબ્બે પાનાના સમાચબદ્ધ વાક્યો જેમાં છે, તેવા ગ્રંથને પણ પાછળ મૂકી દે, તેવી કડીબદ્ધ કાવ્યમય પંક્તિની રચનાઓ ઉવવાઈ સૂત્રમાં જોવા મળે છે. પ્રશ્ન એ થાય છે કે– આ જાતની લચ્છાદાર, સુગઠિત, સમાસબદ્ધ, વર્ણનાત્મક પંક્તિઓ લખવાની પ્રથાનો કયારે ઉદય થયો હશે? વેદકાળની આર્ષ સંસ્કૃતમાં ઘણા મંત્રો રચાયેલા છે પરંતુ તે વાક્યો ટૂંકા હોય છે. વેદકાળ પછીના વ્યાકરણબદ્ધ સંસ્કૃત સાહિત્યના ઉદયકાળ લગભગ શ્લોક અને શેય પદોમાં રચના થઈ છે. બીજા નૈતિક કથાવાર્તાના ગ્રંથો પણ સરળ સંસ્કૃતમાં ઉદિત થયા છે. કાવ્યમય લચ્છાદાર ભાષા લખવાનો સમય કે તેવા પ્રકારની રચનાઓ ચોથી શતાબ્દી પછીની હોય તેવું જણાય છે. જ્યારે જૈનગમો ઘણા જ પ્રાચીન સમયમાં લખાયેલા છે. છતાં પણ ઉપાંગ સૂત્રોનો કાલ પાછળનો પણ હોય શકે. ખાસ કરીને શ્વેતાંબર શાસ્ત્રો પુરાણી પ્રાકૃત ભાષામાં રચના પામ્યા છે. દિગંબર સાહિત્ય પણ અર્વાચીન સંસ્કૃતિનું અવલંબન લઈને આગળ વધ્યું છે. શ્વેતાંબર પરંપરાનું પણ સંસ્કૃત સાહિત્ય પાછળની શતાબ્દીનું છે. જ્યારે જૈન આગમો ઘણા જ પ્રાચીન અને માગધી ભાષામાં લખાયા છે. જેમાં આ જાતના કડીબદ્ધ (સમાચબદ્ધ) વિશાળ સમાસ યુક્ત સુદીર્ઘ વાક્યો, તે વખતના જૈન શાસ્ત્રકારોની ઉત્કૃષ્ટ સાહિત્ય સાધનાનો નમૂનો છે. લાગે છે કે આ જાતની કડીબદ્ધ, સમાસબદ્ધ, કાવ્યમય સુશ્તીષ્ટ વર્ણનાત્મક ભાષાશૈલીનો આ શાસ્ત્રકારોએ ઉદય કર્યો હોય ! અને મૂળમાં ભારતવર્ષીય સાહિત્યસાધનામાં જૈન શાસ્ત્રકારો પ્રથમ હોય ! અને ત્યારબાદ આ શૈલીનો પ્રભાવ પાછળની શતાબ્દીઓની કાવ્યમય રચનાઓ ઉપર પડ્યો હોય, તો તે માનવા યોગ્ય છે. અસ્તુ... - અહીં આપણે એક નમૂનો મૂકીને આ વાતને ઉજાગર કરીશું. તેમાં જોઈ तेणं समएणं समणस्स भगवओ महावीरस्स अंतेवासी बहवे अणगारा भगवंतो इरियासमिया भासासमिया एसणासमिया आयाणभंडमत्तणिक्खेवणासमिया उच्चारपासवणखेलसिंघाणजल्लपारिठावणियासमिया मणगुत्ता वयगुत्ता कायगुत्ता गुत्ता गुतिंदिया गुत्तबंभयारी अममा अकिंचणा छिण्णग्गंधा छिण-सोया निरुवलेवा कंसपाईव मुक्कतोया, संख इव निरंगणा, जीवो विव अप्पडिहयगई, जच्चकणगंपिव जायरूवा, आदरिसफलगााविव पागड़भावा, कुम्मो इव गुतिंदिया, पुक्खरपत्तं इव निरुवलेवा, गगण मिव निरालंबणा, अणिलो इव 22 05
SR No.008769
Book TitleAgam 12 Upang 01 Auppatik Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKalpanabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages237
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aupapatik
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy