________________
| १३०
શ્રી વિવાઈસૂત્ર
મહાવીર સ્વામીને વંદન-નમસ્કાર કર્યા અને પરોક્ષરૂપે તેઓની સમીપે અઢાર પાપસ્થાન, ચાર આહાર અને પોતાનું શરીર, તે ત્રેવીસ(૨૩) બોલના પચ્ચકખાણ કર્યા.
આ રીતે અંબઇ પરિવ્રાજકના શિષ્યોના આ વર્ણનથી સ્પષ્ટ થાય છે કે તેઓ વૈદિક પરંપરાની પરિવ્રાજક પર્યાય અને નિગ્રંથ પરંપરાના શ્રાવક વ્રતોનો સમન્વય કરીને સાધના કરી રહ્યા હતા. પ્રભુ મહાવીર સ્વામીના વિચરણકાલમાં અન્ય મતાવલંબીઓ દ્વારા પોતાની ચર્યાનો ત્યાગ કરી શ્રમણચર્યાનો સ્વીકાર કરવાનું વર્ણન તો ઘણાં શાસ્ત્રોમાં છે પરંતુ પોતાની પરિવ્રાજક ચર્યાને કાયમ રાખીને જિનમતનો સ્વીકાર કરી, બાર વ્રતધારી શ્રમણોપાસક પર્યાયનું પાલન કરી, આરાધકપણે સમાધિમરણને પ્રાપ્ત થવાનું આ અજોડ અને અનુપમ દષ્ટાંત છે. તેમજ આ દૃષ્ટાંતથી જિનશાસનની મહાનતા અને ઉદારતા પ્રફુટ थाय छे. સાતસો શિષ્યોની ગતિ- તેઓએ જીવનપર્યત પરિવ્રાજક ચર્યાનું પાલન કર્યું તેના પરિણામે વૈમાનિક જાતિના દેવોમાં પાંચમા બ્રહ્મલોક દેવલોકમાં ઉત્પન્ન થયા અને નિગ્રંથ પ્રવચનના દેશવિરતિ ધર્મની આરાધનાપૂર્વક મૃત્યુ પામ્યા તેના પરિણામે તે સર્વે પરલોકના આરાધક થયા. અંબડ પરિવ્રાજક - | २७ बहुजणे णं भंते ! अण्णमण्णमस्स एवमाइक्खइ, एवं भासइ, एवं पण्णवेइ, एवं परूवेइ- एवं खलु अम्मडे परिव्वायए कंपिल्लपुरे णयरे घरसए आहारमाहरेइ, घरसए वसहि उवेइ, से कहमेयं भंते ! एवं?
गोयमा ! जंणं से बहुजणे अण्णमण्णस्स एवमाइक्खइ जाव एवं परूवेइ- एवं खलु अम्मडे परिव्वायए कंपिल्लपुरे घरसए आहारमाहरेइ, घरसए वसहि उवेइ, सच्चे णं एसमढें । अहं पिणं गोयमा ! एवमाइक्खामि जावएवं परूवेमि- एवं खलु अम्मडे परिव्वायए कंपिल्लपुरे णयरे घरसए आहारमाहरेइ, घरसए वसहिं उवेइ ।
से केणटेणं णं भंते ! एवं वुच्चइ- अम्मडे परिव्वायए जाव वसहि उवेइ ?
गोयमा ! अम्मडस्स णं परिव्वायगस्स पगइभद्दयाए, पगइउवसंतयाए, पगइपयणु कोहमाणमायालोहयाए, मिउमद्दवसंपण्णयाए, अल्लीणयाए, विणीययाए छटुंछडेणं अणिक्खित्तेणं तवोकम्मेणं उर्ल्ड बाहाओ पगिज्झिय पगिज्झिय सूराभिमुहस्स आयावणभूमीए आयावेमाणस्स सुभेणं परिणामेणं, पसत्थेहिं अज्झवसाणेहि, विसुज्झमाणीहिं लेसाहिं अण्णया कयाइ तदावरणिज्जाणं कम्माणं खओवसमेणं ईहापोहमग्गणगवेसणं करेमाणस्स वीरियलद्धीए वेउव्वियलद्धीए, ओहिणाणलद्धीए समुप्पण्णाए जणविम्हावणहे कंपिल्लपुरे णयरे घरसए जाव वसहि उवेइ । से तेणटेणं गोयमा ! एवं वुच्चइ- अम्मडे परिव्वायए कंपिल्लपुरे णयरे घरसए जाव वसहिं उवेइ । ભાવાર્થ - હે ભગવન! ઘણા લોકો એક બીજાને આ પ્રમાણે કહે છે, ભાષણ કરે છે, વિશેષરૂપે સમજાવે છે, પ્રરૂપણા કરે છે કે અંબડ પરિવ્રાજક કમ્પિલપુર નગરમાં સો ઘરોમાં આહાર કરે છે, સો ઘરોમાં નિવાસ