________________
૧૨૬
૪ કુંડવ
૪ પ્રસ્થ ૪ આઢક
=
=
૧ પ્રસ્થ
૧ આક
૧ દ્રોણ
શ્રી ઉવવાઈ સૂત્ર
પરિવ્રાજકોની જલ મર્યાદા – પ્રસ્તુત સૂત્રોમાં પરિવ્રાજક સંન્યાસીઓની જીવન ચર્યાનું વર્ણન છે. તેમાં સૂત્ર ૧૯ ગત પ્બર્ માહિ આપ્...ળો રે વ ં પિવિત્તણ્ સિમાન્તણ્ વા...। આ સૂત્ર પાઠ વિચારણીય જણાય છે. આ સૂત્ર પ્રમાણે પરિવ્રાજકોને એક પ્રસ્થ પ્રમાણ પાણી પીવા માટે કલ્પે છે, તે પાણી હાથ-પગ વગેરે ધોવા માટે સ્નાન માટે કલ્પતું નથી અને એક આઢક પ્રમાણ પાણી હાથ-પગ ભોજનના પાત્ર, કડછી વગેરે ધોવા માટે કલ્પે છે, તે પાણી પીવા માટે કે સ્નાન માટે કલ્પતું નથી. આરીતે તેઓની જલમર્યાદામાં સ્નાન માટેના પાણીનું વિધાન નથી પરંતુ નિષેધ છે. પરિવ્રાજકો માટે સ્નાન ન કરવું તે શક્ય લાગતું નથી. કારણ કે તેઓએ શૂચિમૂલ ધર્મનો સ્વીકાર કર્યો છે. સૂત્ર ૧૭માં સ્પષ્ટ કથન છે ओ एवं खलु अम्हे चोक्खा चोक्खायारा सुई, सुइसमायारा भवित्ता अभिसेयजलपूयप्पाणो अविघेणं સમાં ગમિસ્લામો । અર્થાત્ અમે પવિત્ર શરીર અને પવિત્ર વસ્ત્રાદિથી યુક્ત તથા નિર્મલ આચારવાળા છીએ. અમે પવિત્ર આચાર તથા અભિષેક(સ્નાન) આદિ ક્રિયાઓથી પોતાને પવિત્ર બનાવી નિર્વિદનપણે સ્વર્ગને પ્રાપ્ત કરશું. વળી સૂત્ર ૩રમાં અંબડ સંન્યાસી દ્વારા કરેલી પાણીની મર્યાદામાં તેણે એક આઢક પ્રમાણ પાણી સ્નાન માટે રાખ્યું હતું. તેથી વિચારણા કરતાં જણાય છે કે પરિવ્રાજકો માટેના પાઠમાં પણ સ્નાનનું વિધાન કરતા શબ્દો હોવા જોઈએ. તેથી સૂત્ર ૧૯માં... છે વિય હત્ય પાય પરુ સમક્ષ વાતઃથાત્ ખો चेवणं पिबित्तए वा सिणाइत्तए वा सूत्रना स्थाने से वि य हत्थ - पाय - चरु - चमस पक्खालणट्ट्याए, સિગાર્ત્તણ્ વા નો ચેવ ખં પિવિત્તણ્ વા આ રીતે સૂત્ર પાઠ સ્વીકારવામાં આવે તો અર્થ થાય છે કે તે પરિવ્રાજકોને એક આઢક પાણી હાથ-પગ-ભોજનના વાસણો, કડછી વગેરે ધોવા માટે અને સ્નાન માટે કલ્પે છે, તે પાણી પીવા માટે કલ્પતું નથી અને પીવા માટે એક પ્રસ્થ પ્રમાણ પાણી કલ્પે છે તે હાથપગ-પાત્રાદિ ધોવા માટે અને સ્નાન માટે કલ્પતું નથી; આ રીતે પાઠ અને અર્થની સંગતિ થઈ શકે છે. અંબડ પરિવ્રાજકના શિષ્યોઃ
२१ तेणं कालेणं तेणं समएणं अम्मडस्स परिव्वायगस्स सत्त अंतेवासिसयाई गिम्हकालसमयंसि जेट्ठामूलमासंमि गंगाए महाणईए उभओकूलेणं कंपिल्लपुराओ णयराओ पुरिमतालं णयरं संपट्ठिया विहाराए ।
ભાવાર્થ :- તે કાળે− અવસર્પિણી કાલના ચોથા આરાના અંતભાગમાં, તે સમયે– ભગવાન મહાવીર સ્વામી સદેહે બિરાજતા હતા તે સમયે એકવાર ગ્રીષ્મૠતુના જેઠ માસમાં અંબડ પરિવ્રાજકના ૭૦૦ અંતેવાસી શિષ્યો ગંગા મહાનદીના બંને કિનારાઓથી કાંપિલ્યપુર નામના નગરથી પુરીમતાલ નામના નગર તરફ જવા નીકળ્યા.
२२ त णं तेसिं परिव्वायगाणं तीसे अगामियाए, छिण्णावायाए, दीहमद्धाए अडवीए कंचि देतरमणुपत्ताणं से पुव्वगहिए उदए अणुपुव्वेणं परिभुंजमाणे झीणे ।
ભાવાર્થ :- તે પરિવ્રાજકો ચાલતાં ચાલતાં ગામ રહિત, મનુષ્યોના આવાગમનથી રહિત, નિર્જન, લાંબા અને વિકટ માર્ગવાળા એક જંગલમાં પહોંચી ગયા. તે જંગલમાં થોડુંક ચાલ્યા, ત્યાં જ પોતાની સાથે લીધેલું