________________
વિભાગ-૨: ઉપપાત
[ ૧૨૫ ]
देवत्ताए उववत्तारो भवंति । सेसंतं चेव । णवरं तहिं तेसिं दस सागरोवमाई ठिई पण्णत्ता । ભાવાર્થ :- પરિવ્રાજકો આ પ્રકારના આચારનું પાલન કરતાં કરતાં ઘણાં વર્ષો સુધી પરિવ્રાજક પર્યાયનું પાલન કરીને મૃત્યુના સમયે મૃત્યુ પામીને ઉત્કૃષ્ટ પાંચમા બ્રહ્મલોક કલ્પમાં દેવરૂપે ઉત્પન્ન થાય છે. તે સ્થાનને અનુરૂપ તેની ગતિ આદિ હોય છે. તેની સ્થિતિ ૧૦ સાગરોપમ છે. શેષ પૂર્વવત્ જાણવું. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પરિવ્રાજકોની જીવનચર્યાનું વિસ્તૃત વર્ણન છે.
સૂત્રકારે અનેક પ્રકારના પરિવ્રાજકોનું કથન કર્યું છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે તે સમયે વિવિધ પ્રકારના સંપ્રદાયો, સંન્યાસ, પરંપરાઓ અને વિવિધ સાધના પદ્ધતિઓ પ્રચલિત હતી.
તે પરિવ્રાજકો વૈદિક પરંપરામાં થયા હોવાથી ચાર વેદ આદિ વૈદિક ગ્રંથોના જ્ઞાતા હતા, ભગવા વસ્ત્રો, લાકડાના, માટીના કે તુંબડાના મર્યાદિત પાત્રો રાખતા અને યાચક વૃત્તિથી જીવન વ્યવહાર ચલાવતા હતા. તેમના વિવિધનિયમો ભાવાર્થથી સ્પષ્ટ છે. સૂત્રોક્ત સર્વ પરિવ્રાજકોમિથ્યાત્વાવસ્થામાં જ દેવલોકની પ્રાપ્તિ કરતા હોવાથી તે પરલોકના આરાધક થતા નથી. આ સૂત્રના વ્યાખ્યાકારે કેટલાક પરિવ્રાજકોનો પરિચય આપ્યો છે. જેમ કે
સાંખ્ય બુદ્ધિ, અહંકાર, પાંચ તન્માત્રા, પાંચ મહાભૂત રૂપ પ્રકૃતિને જગતનું કારણ માને છે અને પુરુષ–આત્માને અકર્તા, નિર્ગુણ ભોક્તા સ્વરૂપ માને તેને સાંખ્ય કહે છે.
હંસ- જે પર્વતોની ખીણમાં, આશ્રમોમાં, દેવસ્થાનોમાં આદિ નિર્જન સ્થાનોમાં જ રહે અને ભિક્ષા લેવા માટે જ ગામમાં આવે છે તેને હંસ પરિવ્રાજક કહે છે.
પરમહંસ- નદી કિનારે એક કૌપીન પહેરીને રહે છે અને પ્રાણ ત્યાગ સમયે કૌપીનનો ત્યાગ કરે છે, તે પરમહંસ કહેવાય.
બદક ગામમાં એક રાત અને નગરમાં પાંચ રાત રહે અને જે મળે તેનો આહાર કરે; આ પ્રકારના નિયમોનું પાલન કરે, તેને બહૂદક કહે છે.
કુટીચર- ક્રોધ, માન, માયા, લોભથી રહિત થઈને પર્ણકૂટિરમાં રહેનારાને કુટીચર કહે છે. હંસ, પરમહંસ, બહૂદક અને કુટીચર આ સર્વે પરિવ્રાજકોના ભિન્ન ભિન્ન પ્રકાર છે. પત્થા વનસઃ ગણસ:- પ્રસ્થ અને આઢક પ્રમાણ જલ. “પ્રસ્થ” અને આઢક માપ તે માગધ દેશમાં પ્રચલિત હતા. પરિવ્રાજકો પીવા માટે પ્રસ્થ પ્રમાણ અને પાત્રાદિ ધોવા માટે આઢક પ્રમાણ પાણીનો ઉપયોગ કરે છે.
અનુયોગદ્વાર સૂત્રના દ્રવ્ય પ્રમાણમાં પ્રસ્થ અને આઢકના માપનો નિર્દેશ કર્યો છે. આ માપનું પ્રથમ એકમ અસ્કૃતિ છે. અમૃતિ એટલે હથેળી પ્રમાણ અને બે હથેળી એટલે ખોબા પ્રમાણ માપને પ્રસૂતિ કહે છે.
અનુયોગદ્વાર સૂત્ર ૨ અમૃતિ = ૧ પ્રકૃતિ ૨ પ્રસૂતિ = ૧ સેતિકા ૪ સેતિકા = ૧ કડવ