________________
વિભાગ-૨: ઉપપાત
[ ૧૧૩ |
ભાવાર્થ :- ત્યારે તે ભગવાન ગૌતમસ્વામીના મનમાં શ્રદ્ધાપૂર્વક ઇચ્છા ઉત્પન્ન થઈ સંશયને દૂર કરવા પ્રભુને પૂછવાની જિજ્ઞાસા અને કુતૂહલ ઉત્પન્ન થયા; શ્રદ્ધા, સંશય અને કુતૂહલ વધ્યું; શ્રદ્ધા, સંશય અને કુતૂહલ પ્રબળતમ થયું. ત્યારે તે પોતાના સ્થાનેથી ઊઠીને ભગવાન મહાવીર પાસે આવ્યા, ત્યાં આવીને ભગવાન મહાવીરને જમણી તરફથી આરંભીને ત્રણવાર પ્રદક્ષિણાપૂર્વક વંદન-નમસ્કાર કર્યા. ત્યાર પછી બહુ દૂર નહીં તેમજ બહુ નજીક નહીં તેવા યોગ્ય સ્થાને સાંભળવાની ઇચ્છાપૂર્વક નમસ્કાર કરતાં, ભગવાનની સન્મુખ વિનયપૂર્વક બંને હાથ જોડી, પર્યાપાસના કરતા તેમણે આ પ્રમાણે કહ્યું– કર્મબંધ:| ३ जीवेणं भंते ! असंजए अविरए अप्पडिहयपच्चक्खायपावकम्मे सकिरिए, असंवुडे एगंतदंडे एगंतबाले एगंतसुत्ते पावकम्म अण्हाइ? हंता अण्हाइ । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જે અસંયત– સર્વ સાવધ અનુષ્ઠાનમાં તત્પર છે, અવિરત– હિંસા આદિ પાપ પ્રવૃત્તિનો ત્યાગ કર્યો નથી, અપ્રતિહત-અપ્રત્યાખ્યાત પાપકર્મા– ભૂતકાળના પાપની નિંદા અને ભવિષ્યના પ્રત્યાખ્યાન દ્વારા પાપકર્મોનો ત્યાગ કર્યો નથી, સક્રિય-કાયિકી આદિ ક્રિયાઓ સહિત છે, અસંવૃત્ત- ઇન્દ્રિયોનો નિરોધ કર્યો નથી, એકાંત દંડિત–પોતાને તથા બીજાને પાપદંડથી દંડિત કરે છે, એકાંતબાલ- એકાંત મિથ્યાત્વી અથવા અજ્ઞાની, એકાંત સુખ- અજ્ઞાનરૂપી ગાઢ નિદ્રામાં સૂતેલા છે, તેવા જીવો શું પાપકર્મનો બંધ કરે છે? ઉત્તર- હા ગૌતમ! કરે છે. | ४ जीवे णं भंते ! असंजए जाव एगंतसुत्ते मोहणिज्जं पावकम्मं अण्हाइ? हंता અઠ્ઠા | ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જે જીવ અસંયત છે યાવત્ મિથ્યાત્વરૂપી ગાઢ નિદ્રામાં સૂતેલા છે તે શું મોહનીયકર્મનો બંધ કરે છે? ઉત્તર- હા, ગૌતમ કરે છે. | ५ जीवेणं भंते ! मोहणिज्जं कम्मं वेदेमाणे किं मोहणिज्ज कम्मं बंधइ ? वेयणिज्ज कम्मं बंधइ? गोयमा ! मोहणिज्ज पि कम्मं बंधइ, वेयणिज्ज पि कम्मं बंधइ, णण्णत्थ चरिममोहणिज्ज कम्मं वेदेमाणे वेयणिज्ज कम्मं बंधइ, णो मोहणिज्ज कम्मं बंधइ । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું જીવ મોહનીય કર્મનું વેદન કરતો, મોહનીયકર્મનો બંધ કરે છે? શું વેદનીય કર્મનો બંધ કરે છે? ઉત્તર- હા, ગૌતમ! તે મોહનીય કર્મનો પણ બંધ કરે છે અને વેદનીય કર્મનો બંધ પણ કરે છે પરંતુ (સૂક્ષ્મ સંપરાય નામના દશમા ગુણસ્થાનમાં) ચરમ મોહનીય કર્મનું વેદન કરતો જીવ વેદનીય કર્મનો જ બંધ કરે છે, મોહનીયકર્મનો બંધ કરતો નથી. વિવેચનઃ
પ્રસ્તુત સુત્રમાં અસંયત જીવોમાં અને સમુચ્ચય જીવોમાં પાપકર્મ, મોહનીયકર્મ અને વેદનીય કર્મબંધનું નિરૂપણ છે.
અસંયત, અવિરત, મિથ્યાત્વી જીવોને પ્રથમ ગુણસ્થાન હોય છે. તેથી તે જીવો પાપકર્મ, મોહનીય કર્મ અને વેદનીય કર્મનો બંધ કરે છે. સમુચ્ચય જીવમાં ચૌદ ગુણસ્થાન હોય છે. મોહનીય કર્મનું વદન દશ ગુણસ્થાન સુધી અને મોહનીય કર્મનો બંધ નવ ગુણસ્થાનક સુધી થાય છે. સામાન્ય રીતે મોહનીય કર્મના