________________
| વિભાગ-૧: સમવસરણ
[ ૧૧૧]
કથનની તો વાત જ ક્યાં! એમ કહી તેઓ પણ જે દિશામાંથી આવી હતી, તે દિશામાં પાછી ચાલી ગઈ. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં ભગવાનના ઉપદેશ શ્રવણ પછી થયેલા પરિષદના પ્રતિભાવોનું નિરૂપણ છે.
ઉપદેશ શ્રવણનું ફળ વિરક્તિભાવ અને આચારશુદ્ધિ છે. તે ફળને પ્રાપ્ત કરવા માટે પરિષદમાં આવેલા જીવો પુરુષાર્થશીલ બન્યા. કેટલાક સમર્થ પુરુષોએ સર્વસ્વનો ત્યાગ કરી શ્રદ્ધાપૂર્વક શ્રમણધર્મનો, કેટલાકે તેવા સામર્થ્યના અભાવે શ્રદ્ધાપૂર્વક શ્રાવકધર્મનો સ્વીકાર કર્યો અને કેટલાક વ્રત સ્વીકાર કરવા સમર્થ નહતા તે દેવ-દેવીઓએ અને મનુષ્યોએ પોતાની ધર્મશ્રદ્ધાદઢ કરીને, નિગ્રંથ પ્રવચન પ્રતિ અહોભાવ પ્રગટ કર્યો. કોણિક રાજા અને સુભદ્રા આદિ રાણીઓએ પોતાની ધર્મશ્રદ્ધા પ્રગટ કરી.
તે પ્રથમ વિભાગ સંપૂર્ણ