SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ | વિભાગ-૧: સમવસરણ [૫૯] આવ્યંતર તપના ભેદ:|४९ से किं तं अभितरए तवे ? अभितरए छविहे पण्णत्ते, तं जहा- पायच्छित्तं, વિના, વેલાવવું, સલ્ફાગો, ફાઈ, વિવસ | ભાવાર્થ -પ્રશ્ન- આત્યંતર તપનું સ્વરૂપ કેવું છે? ઉત્તર– આત્યંતર તપના છ પ્રકાર છે– (૧) પ્રાયશ્ચિત્ત-વ્રત પાલનમાં લાગેલા દોષ અથવા અતિચારની વિદ્ધિ, (૨) વિનય-વિશેષ પ્રકારે નમ્રતાપૂર્વકનો વ્યવહાર, (૩) વૈયાવૃત્ય-શ્રમણોની આહાર પાણી આદિ દ્વારા સેવા, (૪) સ્વાધ્યાય-આગમ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે શાસ્ત્રોનું અપ્રમત્તભાવે પઠન, પાઠન, (૫) ધ્યાન–એકાગ્રતાપૂર્વક ચિંતન, ચિત્ત વૃત્તિઓનો નિરોધ, (૬) વ્યુત્સર્ગ–છોડવા યોગ્ય અથવા ત્યાગવા યોગ્ય પદાર્થોનો ત્યાગ. (૧) આત્યંતર તપઃ પ્રાયશ્ચિત્ત :|५० से किं तं पायच्छित्ते ? पायच्छित्ते दसविहे पण्णत्ते, तं जहा- आलोयणारिहे, पडिक्कमणारिहे, तदुभयारिहे, विवेगारिहे, विउस्सग्गारिहे, तवारिहे, छेदारिहे, मूलारिहे, अणवठ्ठप्पारिहे, पारंचियारिहे । से तं पायच्छित्ते । ભાવાર્થ – પ્રશ્ર– પ્રાયશ્ચિત્તનું સ્વરૂપ કેવું છે? ઉત્તર- પ્રાયશ્ચિત્તના દસ પ્રકાર છે. તે આ પ્રમાણે છે(૧) આલોચનાઈ (૨) પ્રતિક્રમણાઈ (૩) તદુભયાર્ણ (૪) વિવેકાઈ (૫) વ્યુત્સર્ગાઈ (૬) તપાઈ (૭) છેદાઈ (૮) મૂલાહ (૯) અનવસ્થાપ્યાહ (૧૦) પારાંચિતાર્ય. વિવેચનઃપ્રાયશ્ચિતન સ્વરૂ૫ - અતિચારોની શદ્ધિને માટે ગરુ સમક્ષ પાપને પ્રગટ કરી, તેનો પશ્ચાત્તાપ કરવો અને ગુરુના આદેશ અનુસાર તેના દંડ રૂપે તપનો સ્વીકાર કરવો, તેને પ્રાયશ્ચિત્ત કહે છે. (૧) આલોચનાઈ– ગુરુ સમક્ષ સરળ અને નિર્દોષ ભાવે, સ્પષ્ટ રૂપે પાપોને પ્રગટ કરવા તે આલોચના છે. જે દોષની શુદ્ધિ આલોચના માત્રથી થઈ જાય, તેને “આલોચના' પ્રાયશ્ચિત કહે છે. (૨) પ્રતિક્રમણાઈ–પાપથી પાછા ફરવા, માટે “મિચ્છામિ દુક્કડમ્' કહેવું અને ભવિષ્યમાં તે પાપનું પુનરાવર્તન ન થાય તેવો સંકલ્પ કરવો, તે પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ત છે. જે દોષનીશુદ્ધિ પ્રતિક્રમણથી થાય તેને પ્રતિક્રમણાઈ કહે છે. (૩) તદુર્ભયાહ–જે દોષની શુદ્ધિ આલોચના અને પ્રતિક્રમણ બંને દ્વારા થાય તે તદુર્ભયાઈ પ્રાયશ્ચિત્ત છે. (૪) વિવેકાઈ– અશુદ્ધ આહાર-પાણી આદિનો ત્યાગ કરવો. જે દોષની શુદ્ધિ આધાકમદિ આહાર વિવેકથી અર્થાત તેને પરઠવા માત્રથી થઈ જાય, તેને વિવેકાઈ પ્રાયશ્ચિત્ત કહે છે. (૫) વ્યુત્સર્ગાર્ડ– જે દોષની શુદ્ધિ શરીરની ચેષ્ટાને રોકીને સમયની મર્યાદા સાથે કાયોત્સર્ગ કરવાથી થાય છે, તેને વ્યુત્સગાઈ પ્રાયશ્ચિત્ત કહે છે. (૪) તપાઉ– જે દોષની શુદ્ધિ ઉપવાસ, આયંબિલ વગેરે તપથી થાય તેને તપાઉં પ્રાયશ્ચિત્ત કહે છે. (૭) છેદાઈ– જે દોષની શુદ્ધિ દીક્ષા પર્યાયનો છેદ કરવાથી થાય, તેને છેદાઈ પ્રાયશ્ચિત્ત કહે છે. (૮) મૂલાઈ– જે દોષની શુદ્ધિ, એક વાર સ્વીકૃત સંયમનો પૂર્ણતયા છેદ કરીને પુનઃ સંયમ સ્વીકારવાથી થાય, તેને મૂલાઈ પ્રાયશ્ચિત્ત કહે છે. છેદ પ્રાયશ્ચિત્તમાં પાંચ દિવસથી લઈને ચાર-છ મહિના સુધીની દીક્ષાપર્યાયનો છેદ કરાય છે અર્થાત્ જેટલા સમયની દીક્ષાપર્યાયનો છેદ થયો હોય તે
SR No.008769
Book TitleAgam 12 Upang 01 Auppatik Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKalpanabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages237
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aupapatik
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy