SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ | વિભાગ-૧: સમવસરણ ભાવાર્થ - પ્રશ્ન- કષાયપ્રતિસલીનતાનું સ્વરૂપ કેવું છે? ઉત્તર- કષાય પ્રતિસલીનતાના ચાર પ્રકાર છે. તે આ પ્રમાણે છે– (૧) ક્રોધના ઉદયને રોકવો, ક્રોધ ન થાય, તે લક્ષ રાખવું અર્થાત્ શાંત અને શીતલ પરિણામોનો અભ્યાસ રાખવો અને જો ક્રોધનો ઉદય થઈ જાય તો તેને જ્ઞાન અને વૈરાગ્યથી નિષ્ફળ બનાવવો અર્થાતુ ક્રોધના પરિણામે કોઈ નિર્ણય લેવા નહીં અને લેવાયા હોય તો તેને બદલાવી નાખવા. (૨) તે જ રીતે અહંકારના ઉદયનો નિગ્રહ કરવો, અહંકારનો ઉદય થઈ જાય, તો તેને નિષ્ફળ બનાવવો. (૩) માયાના ઉદયનો નિગ્રહ કરવો અને માયાના પરિણામ થઈ જાય, તો તેને અટકાવી દેવા. (૪) લોભના ઉદયનો નિગ્રહ કરવો અને જો તેનો ઉદય થઈ જાય, તો તેને નિષ્ફળ બનાવવો. આ કષાય પ્રતિસલીનતા છે. |४४ से किं तं जोगपडिसलीणया ? जोगपडिसंलीणया तिविहा पण्णत्ता, तं जहामणजोगपडिसलीणया, वयजोगपडिसलीणया, कायजोगपडिसलीणया । ભાવાર્થ :- પ્રશ્ન- યોગ પ્રતિસલીનતાનું સ્વરૂપ કેવું છે? ઉત્તર- યોગ પ્રતિસલીનતાના ત્રણ પ્રકાર છે– (૧) મનયોગ પ્રતિસલીનતા (૨) વચનયોગ પ્રતિસલીનતા, (૩) કાયયોગ પ્રતિસલીનતા. ४५ से किं तं मणजोगपडिसंलीणया? मणजोगपडिसंलीणया अकुसलमणणिरोहो वा, कुसलमणउदीरणं वा, से तं मणजोगपडिसंलीणया । ભાવાર્થ - પ્રશ્ન- મનયોગ પ્રતિસલીનતાનું સ્વરૂપ કેવું છે? ઉત્તર- અકુશલ(અશુભ વિચારોથી) મનને રોકવું અને મનને શુભ અને સવિચારોમાં પ્રવૃત્ત કરવું. મનમાં સારા વિચારો આવે તેવો અભ્યાસ કરવો, તે મનયોગ પ્રતિસલીનતા છે. |४६ से किं तं वयजोगपडिसंलीणया? वयजोग पडिसंलीणया अकुसलवयणिरोहो वा, कुसलवयउदीरणं वा, से तं वयजोगपडिसंलीणया । ભાવાર્થ - પ્રશ્ન-વચનયોગ પ્રતિસલીનતાનું સ્વરૂપ કેવું છે? ઉત્તર- અશુભ વચનનો વિરોધ કરવો અર્થાત્ ખરાબ વચન બોલવા નહીં. સારા અને સર્વચન બોલવાનો અભ્યાસ કરવો, તે વચનયોગ પ્રતિસલીનતા છે. |४७ से किं तं कायजोगपडिसंलीणया ? कायजोगपडिसंलीणया जं णं सुसमाहियपाणिपाए कुम्मो इव गुत्तिदिए सव्वगायपडिसंलीणे चिट्ठइ, से तं कायजोगपडिसंलीणया । ભાવાર્થ – પ્રશ્ર– કાયયોગ પ્રતિસલીનતાનું સ્વરૂપ કેવું છે? ઉત્તર- હાથ, પગ આદિ ઇન્દ્રિયોને કાચબાની જેમ સારી રીતે ગોપવી રાખવી. શારીરિક પ્રવૃત્તિઓથી નિવૃત્ત થઈ સારી રીતે સ્થિર થવું, તે કાયયોગ પ્રતિસલીનતા છે. આ યોગ પ્રતિસલીનતાનું સ્વરૂપ છે. | ४८ से किं तं विवित्तसयणासणसेवणया? विवित्तसयणासणसेवणया जंणं आरामेसु, उज्जाणेसु, देवकुलेसु, सहासु, पवासु, पणियगिहेसु, पणियसालासु, इत्थीपसुपंडगसंसत्तविरहियासु वसहीसु, फासुएसणिज्जं पीढ-फलग-सेज्जा-संथारगं उवसंपज्जित्ताणं विहरइ। से तं विवित्तसयणासणसेवणया, से तं पडिसंलीणया, से तं बाहिरए तवे । ભાવાર્થ - પ્રશ્ન- વિવિક્ત શયનાસન સેવનતાનું સ્વરૂપ કેવું છે?
SR No.008769
Book TitleAgam 12 Upang 01 Auppatik Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKalpanabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages237
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aupapatik
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy