________________
વિભાગ-૧: સમવસરણ
૫૫
એકપાદિકા
સમપાદિકા
ઠંડી અને ગરમીથી શરીરને તપાવવું તેને આતાપના કહે છે. આતાપના લેવાની વિધિ આગમોમાં દર્શાવવામાં આવી છે તેમાં સાધુને માટે ઉપાશ્રયની બહાર ખુલ્લા સ્થાનમાં, સૂર્યની સામે મુખ કરીને, હાથ-પગને ફેલાવીને, ઊભા રહીને આતાપ લેવાનું નિરૂપણ છે અને સાધ્વી માટે ઉપાશ્રયની અંદર, ચૌતરફ ચાદરથી પડદો કરીને, સમતલ પગે, હાથ સીધા લાંબા રાખીને, ઊભા થઈને તેમજ બેસીને, સૂર્યની સામે મુખ કરીને આતાપના લેવાનું કથન છે. તે જ રીતે ઠંડીની આતાપના સ્વતઃ સમજી લેવી જોઈએ; તેના માટે આગમમાં વિધિનો ઉલ્લેખ મળતો નથી. તે ઉપરાંત અન્ય આસનોનું વિધાન આગમમાં જોવા મળતું નથી. વ્યાખ્યાકારોએ આતાપનાના ત્રણ પ્રકાર કરીને વિભિન્ન આસનોથી આતાપના લેવાનું કચન ક્યું છે. તે અનુસાર તેના ત્રણ ભેદ આ પ્રમાણે છે– (૧) ઉત્કૃષ્ટ– નિષ્પન્ન આતાપના. સૂતા-સૂતા લેવાતી આતાપના. તે ત્રણ પ્રકારે થાય છે. ૧. અધોમુખ શાયિતા— ઊંધા સૂઈને ૨. પાર્શ્વ શાયિતા— પડખાભર સુઇને અને ૩. ઉત્તાન શાયિતા— ચત્તા સૂઈને. (૨) મધ્યમ– અનિષ્પન્ન આતાપના. બેઠા-બેઠા લેવાતી આતાપના. તે પણ ત્રણ પ્રકારે થાય છે. ૧. ગોદુહાસને બેસીને ૨. ઉંકડા આસને બેસીને ૩. પર્યંકાસન– પલાંઠીવાળીને બેસીને લેવાતી આતાપના. (૩) જઘન્ય– ઊર્ધ્વ સ્થિતિ. ઊભા-ઊભા લેવાતી આતાપના. તે પણ ત્રણ પ્રકારે થાય છે. ૧. હસ્તિશડિકા– જમીન પર બેસીને એક પગને હાથીની સૂંઢની જેમ ઊંચો રાખીને ૨. એક પાદિકા- એક પગે ઊભા રહીને ૩. સમયાદિકા- સીધા ઊભા રહીને લેવાતી આતાપના. આ ત્રણે પ્રકારની આતાપના કરનાર સાધક આતાપક કહેવાય છે.
તે
·
(૯) અપ્રાવૃતક :– વસ્ત્રથી શરીરને ઢાંકયા વિના, નિર્વસ્ત્ર બનીને ગરમી, ઠંડીની આતાપના લેનાર. (૧૦) અકચક્ર – ખુજલી આવવા છતાં નહીં ખંજવાળનાર.
:
(૧૧) અનિષ્ઠીવક :– થૂંક આવવા છતાં નહીં થૂંકનાર.
(૧૨) સર્વગાત્ર પરિકર્મ વિભૂષા :– શરીરની શુશ્રુષા અથવા શોભા શણગાર નહીં કરનાર.
કષ્ટસાધ્ય આસનોની કઠિનતમ સાધનાથી પે કુછ્યું મહાતના સિદ્ધાંત કર્મોની નિર્જરા રૂપ મહાન ફળ પ્રાપ્ત થાય છે, તપના સર્વ ભેદોનો મુખ્ય ઉદ્દેશ્ય કર્મક્ષયનો જ હોય છે.