________________
૫૪ |
શ્રી અંતગડ સૂત્ર
પદાર્થનો ત્યાગ (૨) અચિત્ત પદાર્થનો ત્યાગ (વિવેક) (૩) ઉત્તરાસંગ (દુપટ્ટા)થી જતના (૪) દષ્ટિ પડતાં જ બંને હાથ જોડવા (૫) મનને એકાગ્ર કરવું. આ પાંચ અભિગમ કરીને ભગવાન અરિષ્ટનેમિ સન્મુખ જઈ વાવ વિનય પૂર્વક ભગવાનની પર્યાપાસના કરવા લાગ્યા. તે સમયે અરિષ્ટનેમિ પ્રભુએ કૃષ્ણ વાસુદેવ, ગજસુકુમાલ તથા ઉપસ્થિત વિશાળ ધર્મસભાને ધર્મોપદેશ આપ્યો. ધર્મકથા સાંભળી કૃષ્ણ વાસુદેવ પોતાના આવાસે પાછા ફર્યા.
ત્યાર પછી ગજસુકમાલે અરિહંત અરિષ્ટનેમિ સમીપે ધર્મશ્રવણ કરી, તેને હૃદયમાં ધારણ કરી, હૃષ્ટતુષ્ટ થઈ અહંતુ અરિષ્ટનેમિને ત્રણવાર આદક્ષિણા-પ્રદક્ષિણા કરી; વંદન નમસ્કાર કર્યા; વંદનનમસ્કાર કરી આ પ્રમાણે કહ્યું- હે ભગવન્! હુંનિગ્રંથ પ્રવચન પર શ્રદ્ધા કરું છું, હું તેના ઉપર પ્રતીતિ કરું છું અને મને નિગ્રંથ પ્રવચન રુચે છે, ભગવન્! નિગ્રંથ પ્રવચન અંગીકાર કરવા ઈચ્છું છું. આ આમ જ છે,(જેવું આપે કહ્યું છે) આ તેમજ છે, યથાર્થ સત્ય છે. હું ઈચ્છું છું, પુનઃ પુનઃ ઈચ્છું છું. ભગવન્! મને નિગ્રંથ પ્રવચન ઈચ્છિત એવં પુનઃ પુનઃ ઈચ્છિત છે. આ તેમજ છે જેવું આપે ફરમાવ્યું છે. વિશેષતા એ કે હે દેવાનુપ્રિય! મારા માતા પિતાની આજ્ઞા પ્રાપ્ત કરી, મુંડિત થઈ અગારથી અણગાર બનીશ.
ભગવાને કહ્યું– દેવાનુપ્રિય! જેમ સુખ ઉપજે તેમ કરો પરંતુ ધર્મકાર્યમાં વિલંબ ન કરો.
ત્યાર પછી ગજસુકમાલ કુમારે અરિહંત અરિષ્ટનેમિને વંદન નમસ્કાર કર્યા, વંદન નમસ્કાર કરી, જ્યાં હસ્તિરત્ન હતું ત્યાં ગયા, જઈને હસ્તિસ્કંધ પર આરૂઢ થઈને મહાન સુભટો અને વિપુલ સમૂહ વાળા પરિવારની સાથે દ્વારકા નગરીની મધ્યમાં થઈ પોતાના ભવને આવ્યા, આવીને હસ્તિસ્કંધથી નીચે ઊતર્યા, ઊતરીને જ્યાં માતા પિતા હતા ત્યાં ગયા, જઈને માતા પિતાના ચરણોમાં પ્રણામ કર્યા, કરીને આ પ્રમાણે બોલ્યા- હે માતા પિતા! મેં ભગવાન અરિષ્ટનેમિ સમીપે ધર્મ સાંભળ્યો અને મેં તે પ્રાપ્ત કરવાની ઈચ્છા કરી છે, વારંવાર ઈચ્છા કરી છે. ધર્મ મને રુચ્યો છે.
વિવેચન :
આ સૂત્રમાં અરિષ્ટનેમિ પ્રભુના ઉપદેશથી ગજસુકમાલના વૈરાગ્ય ભાવનું, બોધ પ્રાપ્તિનું તથા માતા પિતા સમક્ષ સંયમ આજ્ઞાની રજૂઆતનું વર્ણન છે.
આ સૂત્રમાં મેઘકુમારની જેમ માતાપિતાને પૂછીને દીક્ષા લીધા સુધીનો વિશેષતા સાથે સંક્ષિપ્ત પાઠ છે પરંતુ પ્રસ્તુતમાં દીક્ષા સંવાદનો સંપૂર્ણ પાઠ અન્ય સૂત્રના આધારે રાખ્યો છે. અન્ય સંસ્કરણોમાં ઉપલબ્ધ સંક્ષિપ્ત પાઠ સંબંધી સ્પષ્ટીકરણ – વિવાહ કર્યા પછી અને વંશવૃદ્ધિ પછી તું સંયમ લેજે. અહીં વિવાહ અને વંશ માટે શબ્દ પ્રયુક્ત થયા છે મલિયા વન તથા વય ને મોનિયા વ આ પદના બે અર્થ કરવામાં આવ્યા છે. મહિલારહિત અને અવિવાહિત. જેના લગ્ન ન થયા હોય તે મહિલા વર્યુ છે. સૂત્રકારે ગજસુકમાલના જીવનને ગહ મેહો મેઘકુમાર સમાન બતાવ્યું છે. મેઘકુમાર વિવાહિત હતા, જ્યારે ગજસુકુમાલ અવિવાહિત હતા. આ ફરક બતાવવા માટે મોતિયા