SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ अध्य० - ८ : भक्ती २०७ देवाप्पिया ! मम दोच्चेणं बहूणि गामागर जाव संण्णिवेसाई आहिंडसि, बहूणि राईसर जावगिहाई अणुपविससि, तं अत्थि णं तुमं कहिंचि एरिसए सिरिदामगंडे दिट्ठपुव्वे, जारिसए णं इमे पउमावईए देवीए सिरिदामगंडे ? ભાવાર્થ :- ત્યાર પછી પ્રતિબુદ્ઘિ રાજા લાંબા સમય સુધી તે શ્રીદામકાંડનું નિરીક્ષણ કરતા રહ્યા. શ્રીદામકાંડને જોઈને રાજાને ખૂબ જ આશ્ચર્ય ઉત્પન્ન થયું. તેણે સુબુદ્ધિ પ્રધાનને આ પ્રમાણે કહ્યું– હે દેવાનુપ્રિય ! મારા દૂતરૂપે તમારે ઘણા ગ્રામ, આકર યાવત્ સન્નિવેશો આદિમાં જવાનું થાય છે. ઘણા રાજાઓ, ઈશ્વરો વગેરેના ગૃહોમાં તમારું આવાગમન થાય છે, ત્યાં પદ્માવતી દેવીના શ્રીદામકાંડ જેવો શ્રીદામકાંડ શું તમે પહેલાં ક્યાંય જોયો છે ? ४३ तए णं सुबुद्धी पडिबुद्धिं रायं एवं वयासी - एवं खलु सामी ! अहं अण्णया कयाइं तुब्भं दोच्चेणं मिहिलं रायहाणिं गए, तत्थ णं मए कुंभगस्स रण्णो धूयाए पभावई देवीए अत्तयाए मल्लीए विदेहवररायकण्णाए संवच्छरपडिलेहणगंसि दिव्वे सिरिदामगंडे दिपव्वे । तस्स णं सिरिदामगंडस्स इमे पउमावईए सिरिदामगंडे सयसहस्सइमं पि कलं ण अग्घइ । ભાવાર્થ :- ત્યારે સુબુદ્ધિ અમાત્યે પ્રતિબુદ્ઘિ રાજાને કહ્યું– હે સ્વામિન્ ! એકવાર હું આપના દૂતરૂપે મિથિલા રાજધાનીમાં ગયો હતો. ત્યાં મેં કુંભરાજાની પુત્રી અને પ્રભાવતી દેવીની આત્મજા, વિદેહદેશની ઉત્તમ રાજકુમારી મલ્લીના સંવત્સર-પ્રતિલેખન ઉત્સવ (જન્મ દિનના મહોત્સવ) સમયે શ્રીદામકાંડ જોયો હતો. તે શ્રીદામકાંડની સામે પદ્માવતી દેવીનો આ શ્રીદામકાંડ લાખમો અંશ(લક્ષાંશ) પણ નથી. અર્થાત્ પદ્માવતીના શ્રીદામકાંડથી શ્રી મલ્લીકુમારીનો શ્રીદામકાંડ લાખ ગુણો અધિક સુંદર હતો. ४४ तए णं पडिबुद्धी राया सुबुद्धिं अमच्चं एवं वयासी - केरिसिया णं देवाणुप्पिया ! मल्ली विदेहवररायकण्णा जस्स णं संवच्छरपडिलेहणयंसि सिरिदामगंडस्स पउमावईए देवीए सिरिदामगंडे सयसहस्सइमं पि कलं ण अग्घइ ? ભાવાર્થ :- ત્યાર પછી પ્રતિબુદ્ધિ રાજાએ સુબુદ્ધિ મંત્રીને આ પ્રમાણે કહ્યું – હે દેવાનુપ્રિય ! વિદેહની શ્રેષ્ઠ રાજકુમારી મલ્લી કેવી છે ? કે જેના જન્મદિનના ઉત્સવમાં બનાવેલા શ્રીદામકાંડની સામે પદ્માવતી દેવીનો આ શ્રીદામકાંડ લાખમો અંશ નથી ? ४५ त णं सुबुद्धी अमच्चे पडिबुद्धिं इक्खागरायं एवं वयासी- एवं खलु सामी ! मल्ली विदेहवररायकण्णगा सुपइट्ठियकुम्मुण्णयचारूचरणा, वण्णओ । ભાવાર્થ :- ત્યારે સુબુદ્ધિ મંત્રીએ પ્રતિબુદ્ધિને કહ્યું– હે સ્વામિન્ ! વિદેહની શ્રેષ્ઠ રાજકુમારી મલ્લી સુપ્રતિષ્ઠિત અને કાચબાની સમાન ઉન્નત્ત અને સુંદર ચરણવાળી છે, ઇત્યાદિ વર્ણન જંબૂદ્રીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર અનુસાર જાણી લેવું જોઈએ. ४६ त पडिबुद्धी राया सुबुद्धिस्स अमच्चस्स अंतिए एयमट्ठे सोच्चा णिसम्म सिरिदामगंडजणियहरिसे दूयं सद्दावेइ, सद्दावित्ता एवं वयासी- गच्छाहि णं तुमं देवाणुप्पिया ! मिलिं रायहाणिं; तत्थ णं कुंभगस्स रण्णो धूयं पभावईए देवीए अत्तयं मल्लि विदेहवरराय
SR No.008763
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSumanbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages564
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy