SearchBrowseAboutContactDonate
Page Preview
Page 523
Loading...
Download File
Download File
Page Text
________________ શતક–૧૬: ઉદ્દેશક-૧ ૪૫ કૃષ્ણપાક્ષિક પંચેન્દ્રિય તિર્યંચમાં આયુષ્ય બંધ સંબંધી પહેલો અને ત્રીજો ભંગ જ પ્રાપ્ત થાય છે. તે જીવ વર્તમાનમાં આયુષ્ય બાંધતા હોય કે ન બાંધતા હોય પણ ભવિષ્યમાં અવશ્ય આયુષ્ય બાંધશે. આ રીતે આયુષ્ય બંધકાલની અપેક્ષાએ પહેલો ભંગ અને આયુષ્ય અબંધકાલની અપેક્ષાએ ત્રીજો ભંગ હોય છે. મિશ્રદષ્ટિ તિર્યંચ પંચેન્દ્રિયમાં આયુષ્ય બંધનો અભાવ હોવાથી ત્રીજો અને ચોથો ભંગ હોય છે. - સમ્યગુષ્ટિ, સમુચ્ચય જ્ઞાન, ત્રણ જ્ઞાન તે પાંચ બોલયુક્ત તિર્યંચ પંચેન્દ્રિયમાં બીજા ભંગને છોડીને શેષ ત્રણ ભંગ હોય છે. (૧) તે જીવે ભૂતકાળમાં આયુષ્ય બાંધ્યું હતું. વર્તમાનમાં આયુષ્યબંધ કાલમાં બાંધે છે અને ભવિષ્યમાં પણ ભવભ્રમણ કરતા આયુષ્યનો બંધ કરશે. (૨) સમ્યગ્દષ્ટિ તિર્યંચ પંચેન્દ્રિય આયુષ્યબંધ કાલમાં અવશ્ય દેવગતિનું આયુષ્ય બાંધે છે. દેવગતિનું આયુષ્ય બાંધનાર મનુષ્ય ગતિમાં જન્મ ધારણ કરીને જ મોક્ષે જઈ શકે છે. તે ભવિષ્યમાં અવશ્ય આયુષ્યબંધ કરશે. તેથી આયુષ્ય બાંધ્યું હતું, બાંધે છે અને બાંધશે નહીં, આ બીજો ભંગ સમ્યગ્દષ્ટિ તિર્યંચ પંચેન્દ્રિયમાં થતો નથી. (૩) આયુષ્ય અબંધકાલમાં ત્રીજો ભંગ થાય છે. (૪) કોઈ પંચેન્દ્રિય તિર્યંચે મનુષ્યનું આયુષ્ય બાંધી લીધું, ત્યાર પછી પ્રાપ્ત થયેલા મનુષ્ય ભવમાં જ તે મોક્ષે જાય, તો ત્યાં આયુષ્ય બંધ કરતો નથી, ત્યારે તેમાં બાંધ્યું હતું, બાંધતો નથી. બાંધશે નહીં; આ ચોથો ભંગ સંભવે છે. ત્રણ અજ્ઞાન, ચાર સંજ્ઞા, વેદ, કષાય, યોગ, ઉપયોગ વગેરે શેષ ૩૩ બોલમાં ચાર ભંગ હોય છે. મનુષ્ય :- મનુષ્યોમાં અલેશી, કેવળજ્ઞાની અને અયોગી તે ત્રણ બોલોમાં ચોથો ભંગ; મિશ્રદષ્ટિ, અવેદી અને અકષાયી તે ત્રણ બોલોમાં ત્રીજો, ચોથો ભંગ; સમ્યગુદષ્ટિ, સમુચ્ચયજ્ઞાન, પ્રથમ ચાર જ્ઞાન, નોસંજ્ઞોપયુક્ત તે સાત બોલોમાં પહેલો, ત્રીજો અને ચોથો ભંગ; કૃષ્ણપક્ષીમાં પહેલો, ત્રીજો ભંગ અને શેષ ૩૩ બોલોમાં ચાર ભંગ હોય છે. આઠ કર્મોના ચાર ભંગના બંધક જીવો - ક્રમ ભંગ | પાંચ કર્મ | પાપ/મોહકર્મ | વેદનીય | આયુષ્ય | બાંધ્યું હતું, | અભવી તથા અભવી તથા અભવી તથા અભવી તથા બાંધે છે, |૧ થી ૧૦ ગુણસ્થાનના ૧ થી ૯ ગુણ.ના | ૧ થી ૧૩ ગુણ.ના સંસાર ભ્રમણ બાંધશે. કિચરમ સમયવર્તી દ્વિચરમ સમયવર્તી | દ્વિચરમ સમયવર્તી કરનારા ભવી જીવો ભવી જીવો ભવી જીવો ભવી જીવો | બાંધ્યું હતું, દસમાં ગુણસ્થાનના નવમાં ગુણસ્થાનના | ૧૩માં ગુણસ્થાનના | આયુષ્ય બંધકાલમાં બાંધે છે, | | ચરમ સમયવર્તી ચરમ સમયવર્તી ચરમસમયવર્તી દ્વિચરમ શરીરી જીવો બાંધશે નહીં. | જીવો જીવો બાંધ્યું હતું, |૧૧માં ગુણસ્થાનવર્તી દસમા, અગિયારમાં આયુષ્ય બાંધતા નથી, જીવો ગુણસ્થાનવર્તી અબંધકાલમાં બાંધશે. ઉપશામક જીવો અચરમ શરીરી જીવો બાંધ્યું હતું, | ૧૨, ૧૩, ૧૪મા | ૧૦, ૧૨, ૧૩, ૧૪મા | ૧૪મા ગુણસ્થાનવર્તી| ચરમ શરીરી તથા બાંધતા નથી, ગુણસ્થાનવર્તી જીવો | ગુણસ્થાનવર્તી જીવો | જીવો આયુષ્યબંધ પછીના બાંધશે નહીં. દ્વિચરમ શરીરી જીવો ૨ | જીવો
SR No.008762
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages731
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy