________________
૨૮૮ ]
શ્રી ભગવતી સૂત્ર-૪
इमाइंअट्ठ उक्खित्तपसिणवागरणाइंपुच्छइ, पुच्छित्ता संभंतियवंदणएणं वंदइ, वंदित्ता तमेव दिव्वंजाणविमाणंदुरूहइ,दुरूहित्ता जामेव दिसंपाउन्भूएतामेव दिसंपडिगए। શબ્દાર્થ – આમિરણ આવી શકે છે મત્ત = પાછા જઈ શકે છે વારિત્તU = ઉત્તર આપવામાં ખિલાવેનિસ્તાવે-આંખ ખોલવા અને બંધ કરવામાં અંતિય ઉત્સુકતાપૂર્વક અથવા શીઘ્ર વેફર = ઉપભોગ કરવામાં ઉપસિગવારગાડું = સંક્ષિપ્ત પ્રશ્નો કરીને, ચંચલતા ઉતાવળથી પ્રશ્નોત્તર કરીને. ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! મહદ્ધિક યાવતુ મહાસુખી દેવ, આ રીતે બહારના પુદ્ગલ ગ્રહણ કરીને (૧) આવવામાં (૨) ગમન કરવામાં (૩) બોલવામાં, ઉત્તર આપવામાં, (૪) આંખ ખોલવામાં, બંધ કરવામાં (૫) શરીરના અવયવોનો સંકોચ અને વિસ્તાર કરવામાં (૬) સ્થાન, શય્યા, નિષધા અને સ્વાધ્યાય ભૂમિમાં બેસવામાં કે સૂવામાં તથા (૭) વિક્રિયા કરવામાં અથવા (૮) પરિચારણા કરવામાં સમર્થ છે?
ઉત્તર-હા, શક્ર!તે ગમનથી પરિચારણા પર્વતની પ્રત્યેક ક્રિયા કરવામાં સમર્થ છે. દેવેન્દ્ર દેવરાજ શક્રેન્દ્ર પૂર્વોક્ત સંક્ષિપ્ત આઠ પ્રશ્ન પૂછીને ઉત્સુકતાપૂર્વક(શીઘ્રતાથી) ભગવાનને વંદન નમસ્કાર કરીને, તે જ દિવ્યયાન-વિમાન પર આરુઢ થઈને જે દિશામાંથી આવ્યા હતા, તે દિશામાં ચાલ્યા ગયા. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં શક્રેન્દ્ર શક્તિ સંપન્ન દેવની પુદ્ગલની સહાયતા સહિત અને પુગલની સહાયતા રહિત થતી પ્રક્રિયાઓ વિષયક પ્રશ્નો પૂછ્યા છે અને પ્રભુએ તેનું સમાધાન કર્યું છે. તેનાથી સ્પષ્ટ છે કે દિવ્ય શક્તિના ધારક દેવ પણ બહારના પુગલોને ગ્રહણ કર્યા વિના કોઈ પણ ક્રિયા કરી શકતા નથી.
આ પ્રશ્નોત્તરથી સ્પષ્ટ થાય છે કે કોઈ પણ જીવ બહારના પુલો ગ્રહણ કરીને જ ત્રણે યોગજન્ય ભૂલ કે સૂક્ષ્મ પ્રવૃત્તિ કરે છે. જે રીતે જીવ મન અને વચનયોગની પ્રવૃત્તિ માટે મનોવર્ગણા અને ભાષાવર્ગણાના પુદ્ગલો ગ્રહણ કરે છે, તે જ રીતે કાયયોગની સૂત્રોક્ત ગમનાગમન, સંકોચ, વિસ્તાર વગેરે પ્રવૃત્તિઓ માટે પણ ઔદારિક કે વૈક્રિયવર્ગણાના પુગલો ગ્રહણ કરવા આવશ્યક બની જાય છે,
આ કથન સૂક્ષ્મતમ અપેક્ષાથી છે. સ્થલ દષ્ટિએ શ્રી સ્થાનાંગ સૂત્ર, સ્થાન- ૩/૧/ર માં ત્રણ-ત્રણ પ્રકારની વિક્રિયા(વિભૂષા)માં એક પ્રકારની વિક્રિયામાં આવ્યંતર કે બાહ્ય પુદ્ગલને ગ્રહણ કર્યા વિના જ વિક્રિયા થાય છે, તે પ્રમાણે કથન છે. આ કારણે હાથ પગના સંકોચ-વિસ્તાર આદિ પ્રસ્તુત સૂત્રોક્ત અનેક ક્રિયાઓમાં સ્કૂલ દષ્ટિએ બાહ્ય પુલોનું ગ્રહણ થતું હોય તેમ જણાતું નથી, તેમ છતાં સૂક્ષ્મદષ્ટિએ યોગજન્ય દરેક પ્રવૃત્તિમાં પગલો ગ્રહણ કરવા આવશ્યક થાય છે. શક્રેન્દ્રના શીધ ગમનનું કારણ:| ४ भत्तेत्ति भगवंगोयमे समणं भगवं महावीरं वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी- अण्णया णं भंते ! सक्के देविंदे देवराया देवाणुप्पियंवदइ णमंसइ सक्कारेइ जावपज्जुवासइ, किण्णं भंते ! अज्ज सक्के देविंदे देवराया देवाणुप्पियं अट्ठ उक्खित्त पसिणवागरणाइंपुच्छइ, पुच्छित्ता संभंतियवंदणएणं वंदइ णमंसइ जावपडिगए?