SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૧૫: ગોશાલક અધ્યયન | ૨૫૩ | दोच्चंपितच्चाए वालुयप्पभाए जावउव्वट्टितादोच्चंपिपक्खीसुउववज्जिहिइ । तत्थविणं सत्थवज्जेजावकिच्चादोच्चाएसक्करप्पभाए जावउब्वट्टित्तासरीसवेसुखवज्जिहिइ। तत्थ विणंसत्थवज्जे जावदोच्चंपिदोच्चाए सक्करप्पभाए जावउव्वट्टित्ता दोच्चंपिसरीसवेसु उववज्जिहिइ । तत्थ वियणंसत्थवज्जे जावइमीसेरयणप्पभाए पुढवीएक्कोसकालठिड्यसि णरसिणेरइयत्ताएउववज्जिहिइ जाववट्टित्तासण्णिसुववज्जिहिइ । तत्थविणंसत्थवज्झे जावअसण्णीसुववज्जिहिइ। तत्थविणसत्थवज्झेजावदोच्चपिझ्मीसेरयणप्पभाएपुढवीए पलिओवमस्सअसंखेज्जझ्भागट्ठिइयसिणरगसिणेरइयत्ताएउववज्जिहिइ। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! સુમંગલ અણગાર દ્વારા ઘોડા, રથ અને સારથિ સહિત ભસ્મીભૂત કરાયેલા વિમલવાહન રાજા ક્યાં જશે? ક્યાં ઉત્પન્ન થશે? ઉત્તર- હે ગૌતમ! સુમંગલ અણગાર દ્વારા ઘોડા, રથ અને સારથિ સહિત ભસ્મીભૂત કરાયેલા વિમલવાહન રાજા, અધઃ સપ્તમ પૃથ્વીમાં, ઉત્કૃષ્ટ કાલની સ્થિતિવાળા નરકોમાં નૈરયિક રૂપે ઉત્પન્ન થશે. ત્યાંના આયુ, સ્થિતિ આદિનો ક્ષય કરીને, ત્યાંથી નીકળીને મત્સ્યોમાં ઉત્પન્ન થશે. ત્યાં શસ્ત્ર દ્વારા વધ અને દાહજ્વરની પીડાથી કાલધર્મ પ્રાપ્ત કરીને ફરી અધઃસપ્તમ પૃથ્વીમાં, ઉત્કૃષ્ટ સ્થિતિવાળા નરકાવાસોમાં, નૈરયિક રૂપે ઉત્પન્ન થશે. ત્યાંથી નીકળીને બીજી વાર મત્સ્યોમાં જન્મ ધારણ કરશે. ત્યાં શસ્ત્ર વધ અને દાહજ્વર દ્વારા મૃત્યુ પામીને છઠ્ઠી ત:પ્રભા પૃથ્વીમાં ઉત્કૃષ્ટ સ્થિતિવાળા નરકાવાસોમાં નૈરયિક થશે. ત્યાંથી નીકળીને સ્ત્રી રૂપે ઉત્પન્ન થશે. ત્યાં પણ શસ્ત્રાઘાત અને દાહજવર દ્વારા મરીને બીજીવાર તમઃપ્રભા નરકમાં ઉત્કૃષ્ટસ્થિતિવાળા નરકાવાસોમાં નૈરયિકરૂપે(નારકપણે) ઉત્પન્ન થશે. ત્યાંથી નીકળીને બીજીવાર સ્ત્રી રૂપે ઉત્પન્ન થશે. ત્યાં પણ શસ્ત્રાઘાતથી મરીને પાંચમી ધુમપ્રભા નરકમાં ઉત્કૃષ્ટ સ્થિતિવાળા નરયિક થશે. ત્યાંથી નીકળીને ઉર પરિસર્ષોમાં ઉત્પન્ન થશે. ત્યાં પણ શસ્ત્ર દ્વારા મરીને બીજી વાર પાંચમી નરકમાં ઉત્પન્ન થશે. ત્યાંથી નીકળીને બીજી વાર ઉર:પરિસર્પોમાં ઉત્પન્ન થશે. ત્યાંથી કાલધર્મ પ્રાપ્ત કરીને ચોથી પંકપ્રભા નરકમાં ઉત્કૃષ્ટ સ્થિતિવાળા નૈરયિક થશે. ત્યાંથી નીકળીને સિંહપણે ઉત્પન્ન થશે. ત્યાં પણ શસ્ત્ર દ્વારા આઘાત પામીને બીજી વાર ચોથી નરકમાં ઉત્પન્ન થશે. ત્યાંથી નીકળીને બીજી વાર સિંહપણે ઉત્પન્ન થશે. ત્યાંથી કાલધર્મ પ્રાપ્ત કરીને ત્રીજી વાલુકાપ્રભા નરકમાં ઉત્કૃષ્ટ સ્થિતિવાળા નૈરયિક રૂપે ઉત્પન્ન થશે. ત્યાંથી નીકળીને પક્ષીઓમાં ઉત્પન્ન થશે. ત્યાં પણ શસ્ત્ર દ્વારા મરીને કાલધર્મને પ્રાપ્ત કરીને બીજીવાર વાલુકાપ્રભા નામની ત્રીજી નરકમાં ઉત્પન્ન થશે. ત્યાંથી નીકળીને બીજી વાર પક્ષીઓમાં ઉત્પન્ન થશે. ત્યાંથી કાલધર્મ પામી બીજી શર્કરા પ્રભા નરકમાં ઉત્પન્ન થશે. ત્યાંથી નીકળીને સરીસર્પોમાં ઉત્પન્ન થશે. ત્યાં પણ શસ્ત્ર દ્વારા મરીને બીજી વાર શર્કરામભામાં ઉત્પન્ન થશે. ત્યાંથી કાલધર્મ પ્રાપ્ત કરીને બીજીવાર સરીસર્પોમાં ઉત્પન્ન થશે. ત્યાંથી કાલધર્મ પામીને રત્નપ્રભા પૃથ્વીમાં ઉત્કૃષ્ટ સ્થિતિ- વાળા નરકાવાસોમાં ઉત્પન્ન થશે. ત્યાંથી નીકળીને સંજ્ઞી જીવોમાં ઉત્પન્ન થશે. ત્યાં પણ શસ્ત્ર દ્વારા ઘાત પામીને, કાલધર્મને પ્રાપ્ત કરીને અસંજ્ઞી જીવોમાં ઉત્પન્ન થશે. ત્યાં પણ શસ્ત્ર દ્વારા ઘાત પામીને બીજી વાર રત્નપ્રભા પૃથ્વીમાં પલ્યોપમના અસંખ્યાતમાં ભાગની સ્થિતિવાળા નરકાવાસોમાં નૈરયિક રૂપે ઉત્પન્ન થશે. ९६ से णं तओ अणंतरं उव्वट्टित्ता जाइं इमाइंखहयरविहाणाई भवंति,तं जहाचम्मपक्खीणं,लोमपक्खीणं, समुगपक्खीणं, विययपक्खीणंतेसुअणेगसक्सहस्सखुत्तो
SR No.008761
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages706
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size13 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy