________________
શતક–૧૦: ઉદ્દેશક-૩
૪૯૫
શતક-૧૦ : ઉદ્દેશક-૩ જ સંક્ષિપ્ત સાર છે
જે
આ ઉદ્દેશકમાં દેવની ઉલ્લઘંન શક્તિ, અન્ય દેવ-દેવીની વચ્ચે જવાનું સામર્થ્ય, ઘોડાની ખુ-ખું ધ્વનિનું કારણ અને બાર પ્રકારની વ્યવહાર ભાષાનું નિદર્શન છે. ભવનપતિથી વૈમાનિક પર્વતના દેવો પોતાના આવાસથી ચાર-પાંચ આવાસ સુધી આત્મ ઋદ્ધિથી જાય છે. ત્યારપછી ઉત્તર વૈક્રિય શરીર બનાવીને જાય છે. દેવ-દેવીને અન્ય દેવ કે દેવીની મધ્યમાંથી પસાર થવા માટે વિવિધ પ્રકારની મર્યાદા હોય છે(૧) મહદ્ધિક દેવ-દેવી અલ્પદ્ધિક દેવ-દેવીની મધ્યમાંથી ગમે ત્યારે, ગમે તે રીતે અર્થાતુ વિમોહિત કરીને અથવા વિમોહિત કર્યા વિના પણ જઈ શકે છે. (૨) અલ્પદ્ધિક દેવ-દેવી મહદ્ધિક દેવ-દેવીની મધ્યમાંથી જઈ શકતા નથી. (૩) સમદ્ધિક દેવ-દેવી, સમદ્ધિક દેવ-દેવીની મધ્યમાંથી જઈ શકે છે, પરંતુ તે દેવ-દેવી અસાવધાન (પ્રમત્ત) હોય ત્યારે તેને વિમોહિત કરીને જ જઈ શકે છે.
ઘોડો જ્યારે દોડે છે, ત્યારે તેના હૃદય અને યકૃતની વચ્ચે કર્કટ નામનો વાયુ ઉત્પન્ન થાય છે, તેથી દોડતો ઘોડો ખુ-ખુ ધ્વનિ કરે છે.
*
આ પ્રજ્ઞાપના સુત્રોક્ત આમંત્રણી આદિ બાર પ્રકારની ભાષા તેમજ અમે આશ્રય કરીશું, શયન કરીશું આદિ ભવિષ્યકાલીન ભાષા પ્રયોગ વ્યવહાર ભાષા છે અને તે ભાષા પ્રજ્ઞાપની છે.
આ રીતે આ ઉદ્દેશકમાં મુખ્યતયા દેવશક્તિનું નિરૂપણ છે.