________________
ધન્ય હો મા ભગવતી, ધન્ય હો મા ભગવતી, અનન્ય જ્ઞાન શરણ દાતા મા ભગવતી, મમ રક્ષા કુરુ કુરુ મા ભગવતી ! આ રીતે પૌષધોપવાસ કરી કર્મની મલિનતા ધોવા લાગ્યા.
આભાર : સાધુવાદ : ધન્યવાદ :
પ્રસ્તુત આગમ શ્રી ભગવતી સૂત્રના આ ત્રીજા ભાગના અનુવાદિકા તથા સહસંપાદિકા અમારા સુશિષ્યા ડો. સાધ્વી આરતીબાઈ મ. છે. જેમણે અનુવાદ સ્વાધ્યાય કરવાનો જે પુરુષાર્થ ઉપાડ્યો તે ઘણો ઘણો પ્રશંસનીય છે. હું તેમની કદર કરું છું, ધન્યવાદ આપી ભૂરી ભૂરી પ્રશંસા કરું છું અને શુભ કામના કરતાં કહું છું કે તમે આગમનું ઊંડું અવલોકન કરી, અરિહંત બની જવા નિર્બાધ સંયમ યાત્રાનું નિર્વહન કરતા રહો. એ જ મંગલ ભાવના કરું છું.
પ્રસ્તુત આગમના રહસ્યોને ખુલ્લા કરી અણમોલો અભિગમ પ્રેષિત કરનાર મહાઉપકારી ગોંડલ ગચ્છ શિરોમણિ, પરમ દાર્શનિક, અમારા આગમ કાર્યને પ્રોત્સાહિત કરી આશીર્વાદની વર્ષા વરસાવનારા ગુરુદેવ શ્રી જયંતિલાલજી મ.સા. નો અનન્ય ભાવે આભાર માનું છું અને શતકોટી સાદર ભાવે પ્રણિપાત નમસ્કાર કરું છું.
શ્રદ્ધેય, પ્રેરક, માર્ગદર્શક જેમના પસાયે ત્રિલોક મુનિનો યોગ પ્રાપ્ત થયો છે, તેવા વાણીભૂષણ પૂ. ગિરીશ ગુરુદેવનો સહૃદયતાપૂર્વક આભાર માની વંદન કરું છું. આ આગમને સુશોભિત બનાવનાર, સુંદર હાર્દના ભાવભરી અલંકૃત કરનાર, મૂળ પાઠનું સંશોધન કરી વ્યવસ્થિત કરનાર, આગમ મનીષી પૂ. ત્રિલોકમુનિવર્યને મારી શતકોટી વંદના પાઠવું છું.
આગમ શાસ્ત્રની દરેક કાર્યવાહિકામાં સકુશલા ઉત્સાહધરા સાઘ્વીરત્ના ઉષાબાઈ મ. એવું આગમ અવગાહન કરાવનાર સહયોગી સાધ્વીરત્ના હસુમતી, વીરમતી સહિત સાધ્વીવૃંદને અનેકશઃ ધન્યવાદ આપું છું.
સતત પ્રયત્નશીલ, અનેક આગમોનું અવગાહન કરીને અનુવાદની કાયાપલટ કરી આગમને સરલ, સુમધુર, સંમાર્જિત કરનાર, શબ્દાર્થ-ભાવાર્થ અને વિવેચનનું સંતુલન જાળવી રાખનાર, ભગીરથ કાર્યના યશસ્વી સાધ્વી રત્ના મમશિષ્યા– પ્રશિષ્યા સહ સંપાદિકા ડૉ. સાધ્વીશ્રી આરતી એવં સાધ્વીશ્રી સુબોધિકાને અભિનંદન સહિત સાદર ધન્યવાદ આપું છું.
49