________________
શતક-૯: ઉદ્દેશક-૩૧
[ ૩૦૩ ]
સાંભળ્યા વિના જ કોઈ જીવને કેવળી પ્રરૂપિત ધર્મશ્રવણનો લાભ થાય છે(ધર્મનો બોધ થાય છે, અને કોઈ જીવને થતો નથી.
પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે કોઈની પણ પાસેથી ઉપદેશ સાંભળ્યા વિના કેટલાક જીવોને કેવળી પ્રરૂપિત ધર્મનો લાભ થાય છે અને કેટલાક જીવોને થતો નથી?
ઉત્તર- હે ગૌતમ ! જે જીવે જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ કર્યો હોય, તેને કેવળી યાવતું કેવળી પાક્ષિક ઉપાસિકા પાસેથી સાંભળ્યા વિના જ કેવળી પ્રરૂપિત ધર્મ શ્રવણનો લાભ અર્થાતુ જ્ઞાન થાય છે અને જે જીવે જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ કર્યો ન હોય, તેને કેવળી પાવતુ કેવળી પાક્ષિકની ઉપાસિકા પાસેથી સાંભળ્યા વિના કેવળી પ્રરૂપિત ધર્મ-શ્રવણનો લાભ થતો નથી. તેથી હે ગૌતમ ! એ પ્રમાણે કહ્યું છે કે કેવળી આદિ પાસેથી ધર્મશ્રવણ કર્યા વિના જ કોઈને ધર્મ શ્રવણનો લાભ-જ્ઞાન થાય છે અને કોઈને જ્ઞાન થતું નથી. | २ असोच्चा णं भंते ! केवलिस्स वा जाव तप्पक्खिय-उवासियाए वा केवलं बोहिं बुज्झज्जा?
गोयमा ! असोच्चा णं केवलिस्स वा जाव तप्पक्खिय-उवासियाए वा अत्थेगइए केवलं बोहिं बुज्झेज्जा, अत्थेगइए केवलं बोहिं णो बुज्झेजा।
से केणटेणं भंते ! एवं वुच्चइ- असोच्चाणं जाव णो बुज्झज्जा?
गोयमा ! जस्स णं दरिसणावरणिज्जाणं कम्माणं खओवसमे कडे भवइ, से णं असोच्चा केवलिस्स वा जाव तप्पक्खिय-उवासियाए वा केवलं बोहिं बुज्झेज्जा; जस्स णं दरिसणावरणिज्जाणं कम्माणं खओवसमे णो कडे भवइ, से णं असोच्चा केवलिस्स वा जाव तप्पक्खिय-उवासियाए वा केवलं बोहिं णो बुज्झेज्जा; से तेणटेणं गोयमा ! एवं वुच्चइ- असोच्चा णं जाव णो बुज्झेज्जा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! કેવળી યાવતુ કેવળપાક્ષિકની ઉપાસિકા પાસેથી સાંભળ્યા વિના જ કોઈ જીવને શુદ્ધબોધિ(સમ્યગ્દર્શન) પ્રાપ્ત થાય છે?
ઉત્તર- હે ગૌતમ ! કેવળી આદિ પાસેથી સાંભળ્યા વિના જ કેટલાક જીવોને શુદ્ધબોધિ(સમ્યગુ દર્શન) પ્રાપ્ત થાય છે અને કેટલાક જીવોને શુદ્ધબોધિ (સમ્યગદર્શન) પ્રાપ્ત થતું નથી.
પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે કેટલાક જીવો સમ્યગુદર્શન પ્રાપ્ત કરે છે અને કેટલાક જીવો પ્રાપ્ત કરતા નથી ?
ઉત્તર- હે ગૌતમ! જે જીવે દર્શનાવરણીય(દર્શન મોહનીય) કર્મનો ક્ષયોપશમ કર્યો છે, તે જીવને કેવળી આદિ પાસેથી સાંભળ્યા વિના જ સમ્યગદર્શનનો લાભ થાય છે અને જે જીવે દર્શનાવરણીય કર્મનો