________________
૨૭૪
શ્રી ભગવતી સૂત્ર–૩
करेइ; अत्थेगइए कप्पोवएसु वा कप्पाईएसु वा उववज्जइ ।
ભાવાર્થ:- પ્રશ્ન— હે ભગવન્ ! જે જીવ જ્ઞાનની ઉત્કૃષ્ટ આરાધના કરે છે તે જીવ કેટલા ભવ કરીને સિદ્ધ થાય છે યાવત્ સર્વ દુઃખોનો અંત કરે છે ?
ઉત્તર– હે ગૌતમ ! કેટલાક જીવ, તે જ ભવમાં સિદ્ધ થાય છે યાવત્ સર્વ દુઃખોનો અંત કરે છે; કેટલાક જીવ બે ભવ કરીને સિદ્ધ થાય છે યાવત્ સર્વ દુઃખોનો અંત કરે છે; કેટલાક જીવ કલ્પોપપન્ન અથવા કલ્પાતીત દેવલોકોમાં ઉત્પન્ન થાય છે.
९ उक्कोसियं णं भंते! दंसणाराहणं आराहेत्ता कइहिं भवग्गहणेहिं सिज्झइ जाव सव्वदुक्खाणं अंतं करेइ ?
गोया ! जहेव णाणाराहणा तहेव दंसणाराहणा जाव कप्पाईएसु वा उववज्जइ । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! જે જીવ દર્શનની ઉત્કૃષ્ટ આરાધના કરે છે, તે જીવ કેટલા ભવ કરીને સિદ્ધ થાય છે યાવત્ સર્વ દુઃખોનો અંત કરે છે ?
ઉત્તર– હે ગૌતમ ! જે રીતે ઉત્કૃષ્ટ જ્ઞાન આરાધનાના વિષયમાં કહ્યું છે, તે રીતે ઉત્કૃષ્ટ દર્શન આરાધનાના વિષયમાં પણ જાણવું જોઈએ.
१० उक्कोसियं णं भंते ! चरित्ताराहणं आराहेत्ता कइहिं भवग्गहणेहिं सिज्झइ जाव सव्वदुक्खाणं अंतं करेइ ?
गोयमा ! एवं चेव, णवरं अत्थेगइए कप्पाईएसु उववज्जइ । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! જે જીવ ઉત્કૃષ્ટ ચારિત્રની આરાધના કરે છે, તે જીવ કેટલા ભવ કરીને સિદ્ધ થાય છે યાવત્ સર્વ દુઃખોનો અંત કરે છે ?
ઉત્તર– હે ગૌતમ ! જે રીતે ઉત્કૃષ્ટ જ્ઞાનારાધનાના વિષયમાં કહ્યું, તે રીતે ઉત્કૃષ્ટ ચારિત્ર આરાધનાના વિષયમાં પણ કહેવું જોઈએ. વિશેષતા એ છે કે કેટલાક જીવો કલ્પોપપન્ન દેવલોકમાં નહીં પરંતુ કલ્પાતીત દેવલોકમાં ઉત્પન્ન થાય છે; તે પ્રમાણે કથન કરવું.
११ मज्झिमियं णं भंते ! णाणाराहणं आराहेत्ता कइहिं भवग्गहणेहिं सिज्झ, जाव सव्वदुक्खाणं अंतं करेइ ?
गोयमा ! अत्थेगइए दोच्चेणं भवग्गहणेणं सिज्झइ जाव सव्वदुक्खाणं अंतं करेइ, तच्चं पुण भवग्गहणं णाइक्कमइ ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! જે જીવ જ્ઞાનની મધ્યમ આરાધના કરે છે, તે કેટલા ભવ કરીને સિદ્ધ