________________
૧૮૬ |
શ્રી ભગવતી સૂત્ર-૩
ઐયપથિક કર્મની કાલ મર્યાદા:१३ तं भंते ! किं साइयं सपज्जवसियं बंधइ, साइयं अपज्जवसियं बंधइ, अणाइयं सपज्जवसियं बंधइ अणाइयं अपज्जवसियं बंधइ?
गोयमा ! साइयं सपज्जवसियं बंधइ, णो साइयं अपज्जवसियं बंधइ, णो अणाइयं सपज्जवसियं बंधइ, णो अणाइयं अपज्जवसियं बंधइ ।
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જીવ ઐર્યાપથિક કર્મ શું (૧) સાદિ સપર્યવસિત બાંધે છે, કે (૨) સાદિ અપર્યવસિત બાંધે છે, કે (૩) અનાદિ સપર્યવસિત બાંધે છે, કે (૪) અનાદિ અપર્યવસિત બાંધે છે?
ઉત્તર- હે ગૌતમ ! સાદિ સપર્યવસિત બાંધે છે પરંતુ સાદિ અપર્યવસિત બાંધતા નથી, અનાદિ સપર્યવસિત બાંધતા નથી કે અનાદિ અપર્યવસિત પણ બાંધતા નથી.
|१४ तं भंते ! किं देसेणं देसंबंधइ, देसेणं सव्वं बंधइ, सव्वेणं देसं बंधइ, सव्वेणं सव्वं बंधइ ? गोयमा ! णो देसेणं देसं बंधइ, णो देसेणं सव्वं बंधइ, णो सव्वेणं देसं बंधइ, सव्वेणं सव्वं बंधइ । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! જીવને ઐર્યાપથિક કર્મનો બંધ શું દેશથી દેશ થાય છે, દેશથી સર્વ બંધ થાય છે. સર્વથી દેશ બંધ થાય છે કે સર્વથી સર્વ બંધ થાય છે? ઉત્તર- હે ગૌતમ! ઐર્યાપથિક કર્મનો બંધ દેશથી દેશ થતો નથી, દેશથી સર્વ થતો નથી, સર્વથી દેશ પણ થતો નથી, પરંતુ સર્વથી સર્વ બંધ થાય છે. વિવેચન :
ઐર્યાપથિક કર્મબંધની કાલ મર્યાદાના સ્પષ્ટીકરણ માટે સૂત્રકારે ચાર ભંગથી પ્રશ્ન પૂછ્યા છે. (૧) સાદિ સપર્યવસિત – આદિ અને અંત સહિત – સાદિ સાંત. (૨) સાદિ અપર્યવસિત – જેની આદિ હોય, પરંતુ અંત ન હોય – સાદિ અનંત. (૩) અનાદિ સપર્યવસિત – જેની આદિ ન હોય, પરંતુ અંત હોય – અનાદિ સાંત. (૪) અનાદિ અપર્યવસિત – જેની આદિ પણ ન હોય અને અંત પણ ન હોય – અનાદિ અનંત.
આ ચાર વિકલ્પોમાંથી ઐર્યાપથિક કર્મબંધ માટે પ્રથમ વિકલ્પ– સાદિ સાત જ ઘટે છે. કારણ કે તે બંધનો પ્રારંભ વીતરાગ અવસ્થાથી જ થાય છે અને અયોગી અવસ્થામાં તેનો અંત થઈ જાય છે. તેથી અન્ય વિકલ્પો શક્ય નથી.
સેઇ રેd - ઐર્યાપથિક કર્મબંધ આત્મા સાથે કઈ રીતે થાય છે. તત્સંબંધી પણ સૂત્રકારે ચાર વિકલ્પોથી પ્રશ્ન પૂછ્યા છે. યથા– (૧) દેશથી દેશ બંધ – આત્માના એક દેશથી કર્મદલિકોના અનંત પ્રદેશી સ્કંધના એક દેશનો બંધ. (૨) દેશથી સર્વ બંધ - આત્માના એક દેશથી સમગ્ર કમંદલિકોનો બંધ.