SearchBrowseAboutContactDonate
Page Preview
Page 439
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૭ : ઉદ્દેશક ૭ (૧૧, ૧૨, ૧૩મા ગુણસ્થાનવર્તી) અણગારને ઐર્યાપથિકી ક્રિયા લાગે છે, તેમજ જે સૂત્રાનુસાર આચરણ (યથાખ્યાત ચારિત્રનું પાલન) કરે તેને ઈરિયાવદિ ક્રિયા લાગે છે અને જે સૂત્રાનુસાર ક્રિયા ન કરે તેઓને સાંપરાયિકી ક્રિયા લાગે છે. વિવેક સહિત ઉપરોક્ત ક્રિયાઓ કરનાર અણગાર સૂત્રાનુસાર આચરણ કરે છે તેથી હે ગૌતમ ! તેને યાવત્ સાંપરાયિકી ક્રિયા લાગતી નથી. વિવેચન - ૩૦૭ શતક–૭/૧/૧૮માં વર્ણિત અવિવેક કે અનુપયોગથી ગમનાદિ ક્રિયા કરનાર અણગારને લાગતી સાંપરાયિકી ક્રિયાની જેમ અહીં ઉપયોગપૂર્વક પ્રવૃત્તિ કરનાર સંવૃત અને અકષાયી અણગારને ઐર્યાપથિકી ક્રિયા લાગવાની સયુક્તિક પ્રરૂપણા કરી છે. વિષયનું સ્પષ્ટીકરણ પ્રસ્તુત સૂત્રના ભાવાર્થમાં અને ઉદ્દેશક પ્રથમમાં થઈ ગયું છે. કામભોગ : ૨ રવી નેં મતે ! વામા, અવી ામાં ? ગોયમા ! વી જામા, નો અવી ગમા । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! કામ(કાન અને આંખના વિષયભૂત શબ્દ અને રૂપ)રૂપી છે કે અરૂપી છે ? ઉત્તર– હે ગૌતમ ! કામરૂપી છે પરંતુ અરૂપી નથી. રૂ. સવિત્તા મતે ! ગમા, અવિત્તા ગમા ? ગોયમા ! વિત્તા વિ ામા, अचित्ता वि कामा । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! કામ સચિત્ત છે કે અચિત છે ? ઉત્તર- હે ગૌતમ ! કામ સચિત્ત પણ છે અને અચિત્ત પણ છે. ૪ નીવા ભંતે ! વામા, અનીવા વામા ? ગોયમા ! બીવા વિ ગમા, वि कामा । अजीवा ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! કામ જીવ છે કે અજીવ છે ? ઉત્તર– હે ગૌતમ ! કામ જીવ પણ છે અને અજીવ પણ છે. ૧ ગીવાળ મતે ! જામા, અનીવાળ જામ ? પોયમા ! નીવાળ જામા, णो अजीवाणं कामा । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! કામ જીવોને હોય છે કે અજીવોને હોય છે ? ઉત્તર- હે ગૌતમ ! કામ જીવોને હોય છે, અજીવોને નથી.
SR No.008759
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages505
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy