________________
શતક-૭: ઉદ્દેશક-૨
[ ૩૨૫]
શતક-૭ : ઉદ્દેશક-ર
- સંક્ષિપ્ત સાર
,
આ ઉદ્દેશકમાં સુપ્રત્યાખ્યાન અને દુપ્રત્યાખ્યાનનું સ્વરૂપ, પ્રત્યાખ્યાનના ભેદ-પ્રભેદ, ૨૪ દંડકમાં તેનું અસ્તિત્વ અને તેના અલ્પબદુત્વ વગેરે વિષયોનું નિરૂપણ છે. * પ્રત્યાખ્યાન - પાપકારી પ્રવૃત્તિના ત્યાગને પ્રત્યાખ્યાન કહે છે. સમ્યગુ જ્ઞાનપૂર્વકના પ્રત્યાખ્યાન, સુપ્રત્યાખ્યાન છે. તેના બે ભેદ છે (૧) મૂળગુણ પ્રત્યાખ્યાન (૨) ઉત્તરગુણ પ્રત્યાખ્યાન. મુળગુણ પ્રત્યાખ્યાન:- અહિંસાદિ મુખ્ય પાંચ વ્રતના પચ્ચખાણને મૂળગુણ પ્રત્યાખ્યાન કહે છે. તેમાં પાંચ સ્થૂલ વ્રત કે પાંચ અણુવ્રત દેશતઃ અને પાંચ મહાવ્રત સર્વતઃ મૂળગુણ પ્રત્યાખ્યાન છે.
ઉત્તરગુણ પ્રત્યાખ્યાન - મૂળ ગુણની પુષ્ટિ માટે જે પ્રત્યાખ્યાન કરાય તેને ઉત્તર ગુણ પ્રત્યાખ્યાન કહે છે. તેના પણ બે ભેદ છે. દેશતઃ અને સર્વતઃ
દેશતઃ ઉત્તરગુણ પ્રત્યાખ્યાન - દિશા પરિમાણ વ્રત, ઉવભાગ પરિભોગ પરિમાણવ્રત, અનર્થદંડ વેરમણ વ્રત; તે ત્રણ ગુણવ્રત છે અને સામાયિક, દેશાવગાસિક, પૌષધોપવાસ, અતિથિ સંવિભાગ વ્રત તે ચાર શિક્ષાવ્રત છે આ સાતે ય દેશતઃ ઉત્તર ગુણ પ્રત્યાખ્યાન છે.
સર્વતઃ ઉત્તરગુણ પ્રત્યાખ્યાન - તેના દશ ભેદ છે. યથા
(૧) અનાગત– ભવિષ્યમાં જે પ્રત્યાખ્યાન કરવાના હોય તેને ભવિષ્યમાં આવતી બાધાને જોઈને પહેલાં કરી લેવા. (૨) અતિક્રાંત- ભૂતકાળમાં પ્રત્યાખ્યાન કરવાના હતા, તે સેવા આદિ કોઈ કારણે થઈ શક્યા ન હોય તો તેને પછી કરવા તે. (૩) કોટિ સહિત– એક પ્રત્યાખ્યાનની સમાપ્તિ તથા બીજા પ્રત્યાખ્યાનની આદિ એક દિવસે થાય તે કડિબદ્ધ પ્રત્યાખ્યાન. (૪) નિયંત્રિત-જે દિવસે જે પ્રત્યાખ્યાન કર્યા હોય તેને રોગાદિ બાધા આવે છતાં તે દિવસે જ પૂર્ણ કરવા. (૫) સાગાર- આગાર–છૂટ સહિતના પ્રત્યાખ્યાન. () અનાગાર- આગાર રહિતના પ્રત્યાખ્યાન. (૭) પરિમાણ- દત્તી, દ્રવ્ય આદિની મર્યાદા.