________________
શતક–૬ : ઉદ્દેશક−૮
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! શું આ રત્નપ્રભા પૃથ્વીની નીચે વિશાળ પ્રમાણમાં વાદળાઓ ઉત્પન્ન થાય છે, ભેગા થઈ વિસ્તાર પામે છે અને વર્ષા વરસાવે છે ?
ઉત્તર– હા, ગૌતમ ! તેમ થાય છે. આ સર્વ કાર્ય ત્રણે ય પ્રકારના દેવ કરે છે યથા– (૧) વૈમાનિક દેવો પણ કરે છે (૨) અસુરકુમાર દેવ પણ કરે છે (૩) નાગકુમાર દેવ પણ કરે છે.
૨૦૯
५ अत्थि णं भंते ! इमीसे रयणप्पभाए पुढवीए बायरे थणियसद्दे ? નોયમા ! દંતા, અસ્થિ તિષ્નિ વિ પતિ । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! શું રત્નપ્રભા પૃથ્વીમાં મેઘગર્જનાનો અવાજ હોય છે ?
ઉત્તર– હા ગૌતમ ! ત્યાં મેઘગર્જના હોય છે, જેને ઉપરોક્ત ત્રણે ય પ્રકારના દેવો કરે છે. ६ अत्थि णं भंते ! इमीसे रयणप्पभाए पुढवीए अहे बायरे अगणिकाए ? गोयमा ! णो इणट्ठे समट्ठे; णण्णत्थ विग्गहगइसमावण्णएणं । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! શું આ રત્નપ્રભા પૃથ્વીની નીચે બાદર અગ્નિકાય છે ?
ઉત્તર– હે ગૌતમ ! તે શક્ય નથી પરંતુ વિગ્રહગતિ સમાપન્નક અગ્નિકાયના જીવો હોય છે. ७ अत्थि णं भंते ! इमीसे रयणप्पभाए पुढवीए अहे चंदिम जाव तारारूवा ? નોયમા ! જો ફળકે સમદે ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! શું આ રત્નપ્રભા પૃથ્વીની નીચે ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારારૂપ છે ? ઉત્તર– હે ગૌતમ ! ત્યાં ચંદ્રાદિ હોતા નથી.
८
अत्थि णं भंते ! इमीसे रयणप्पभाए पुढवीए चंदाभा इ वा सूराभा इ वा ? गोयमा ! णो इणट्टे समट्ठे एवं जाव रयणप्पभाए तहा दोच्चाए पुढवीए सव्वं आलावगं भाणियव्वं ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! શું આ રત્નપ્રભા પૃથ્વીમાં ચંદ્રનો પ્રકાશ અને સૂર્યનો પ્રકાશ છે ?
ઉત્તર– હે ગૌતમ ! ત્યાં ચંદ્રાદિનો પ્રકાશ નથી.
આ જ રીતે પ્રથમ નરકના પૂર્વોક્ત કથનની જેમ બીજી નરક(શર્કરાપ્રભા) માટે પણ કથન કરવું
જોઈએ.