________________
૨૪ ]
શ્રી ભગવતી સૂત્ર
વિવેચન :
ઔપમિક કાલ :- પ્રસ્તુત બે સૂત્રોમાંથી પ્રથમ સૂત્રમાં પલ્યોપમ અને સાગરોપમ કાલનું પરિમાણ તથા દ્વિતીય સૂત્રમાં અવસર્પિણી–ઉત્સર્પિણી રૂપ બાર આરા સહિત કાલચક્રનું પરિમાણ સમજાવ્યું છે. તેનું ભેદ-પ્રભેદ યુક્ત વિશેષ વિવરણ અનુયોગદ્વાર સૂત્રથી જાણવું જોઈએ. જોડાજોડી -એક કરોડને એક કરોડથી ગુણતા જે સંખ્યા પ્રાપ્ત થાય, તેને એક ક્રોડાકોડ કહે છે. તેવા દસ ક્રોડાકોડ સાગરોપમ પ્રમાણ કાળને ઉત્સર્પિણી કાળ કહે છે. શેષ વર્ણન સૂત્રાર્થથી સ્પષ્ટ છે.
સુષમ-સુષમાકાલના ભાવ :| ९ जंबुद्दीवे णं भंते ! दीवे इमीसे ओसप्पिणीए सुसमसुसमाए समाए उत्तमट्ठपत्ताएभरहस्स वासस्स केरिसए आयारभावपडोयारे होत्था ? __गोयमा ! बहुसमरमणिज्जे भूमिभागे होत्था; से जहा णामएआलिंगपुक्खरे इ वा, एवं उत्तरकुरुवत्तव्वया णेयव्वा जाव आसयंति सयंति; तीसे णं समाए भारहे वासे तत्थ तत्थ, देसे देसे, तहिं तहिं, बहवे उद्दाला कुद्दाला जाव कुसविकुस- विसुद्धरुक्खमूला जाव छव्विहा मणुस्सा અજુનત્થા; તે નહીં- પહુધા, મિયથા, અમમાં, તેયની, સહ, સgિવારી છે તેવું મને ! સેવં મતે !! શબ્દાર્થ - ૩ત્તનક્ષત્તા= ઉત્તમ અર્થને પ્રાપ્ત થારભાવપોરે= સ્વરૂપ માલિનપુહરે = તબલાના મુખપટની સમાન આયંતિ = બેસે છે સયંતિ = સૂવે છે ૩૬ના = વૃક્ષ વિશેષ અનુાિલ્યા = પરંપરાથી આવતાં વાર = ઉત્સુકતારહિત ચાલનારા તેયની = તેજસ્વી સહ = સહનશીલ મિયTયા = મૃગગંધ- વાળા, કસ્તુરી સમાન ગંધવાળા.
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! આ જંબુદ્વીપ નામના દ્વીપમાં ઉત્તમાર્થ પ્રાપ્ત આ અવસર્પિણીકાલના સુષમસુષમા નામના પ્રથમ આરામાં ભરતક્ષેત્રના આકાર ભાવ પ્રત્યાવતાર કેવા પ્રકારના હતા? અર્થાત્ તેનું સ્વરૂપ કેવું હતું?
ઉત્તર-હે ગૌતમ! સુષમસુષમા આરાના સમયે ભરતક્ષેત્રનો ભૂમિભાગ બહુસમ હોવાથી અત્યંત રમણીય હતો- જે રીતે કોઈ મુરજ(આલિંગ-તબલા) નામના વાદ્યનું ચર્મમંડિત મુખપટ હોય, તેવો જ બહુ સમ ભૂભાગ ભરતક્ષેત્રનો હતો. આ રીતે સંપૂર્ણ વર્ણન ઉત્તરકુરુની વક્તવ્યતાની સમાન જાણવું થાવત મનુષ્યો બેસે છે, સૂવે છે, ત્યાં સુધી વક્તવ્યતા કહેવી જોઈએ. તે અવસર્પિણીકાલના પ્રથમ આરામાં ભારતવર્ષમાં તે તે દેશોના તે તે સ્થળોમાં ઉદ્દાલક, કુદાલક યાવતુ કુશ અને વિકુશથી વિશુદ્ધ વૃક્ષમૂળ હતા,