________________
શતક-પ: ઉદેશક-૭
૧૧૭]
जहण्णेणं एगं समयं, उक्कोसेणं असंखेज्ज कालं ।।
असद्दपरिणयस्स णं भंते ! पोग्गलस्स अंतरं कालओ केवच्चिर होइ? गोयमा! जहण्णेणं एगं समयं, उक्कोसेणं आवलियाए असंखेज्जइभागं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શબ્દ પરિણત પુલનું અંતર કેટલા કાલનું હોય છે?
ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કાલનું અંતર હોય છે. પ્રશ્ન- હે ભગવન્! અશબ્દ પરિણત યુગલનું અંતર કેટલા કાલનું હોય છે?
ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ આવલિકાના અસંખ્યાતમા ભાગનું હોય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પરમાણુ પુદ્ગલ અને દ્વિપ્રદેશી અંધથી લઈને અનંતપ્રદેશી સ્કંધ સુધીનો સામાન્ય અંતરકાલ તથા સકંપ-નિષ્ઠપ, એક પ્રદેશાવગાઢથી અસંખ્યપ્રદેશાવગાઢ સુધીના સ્કંધોનો અંતરકાલ, ત્યાર પછી વર્ણ–ગંધ-રસ–સ્પર્શ, સૂક્ષ્મ–બાદરપરિણત યુગલનો અંતરકાલ અને અંતે શબ્દ પરિણત, અશબ્દ પરિણત પુદ્ગલના અંતરકાલનું નિરૂપણ કર્યું છે. અંતરકાલ – એક વિશિષ્ટ પુગલ પોતાનું વૈશિષ્ટયે છોડીને અન્યરૂપમાં પરિણત થઈને, પુનઃ તે જ ભૂતપૂર્વ વિશિષ્ટરૂપને જેટલા કાલ પછી પ્રાપ્ત કરે તે કાલમર્યાદાને અંતરકાલ કહે છે. પરમાણનું અંતર - એક પરમાણુ પોતાનું પરમાણુપણું છોડીને સ્કંધ રૂપે પરિણત થાય અને તેમાંથી પુનઃ પરમાણુપણાને પ્રાપ્ત કરે, તેની વચ્ચેનો કાલ અંધકાલ છે અને તે જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ અસંખ્યાતકાલ છે.
એક પરમાણુ કોઈપણ સ્કંધ સાથે પરિણત થાય અને તે અંધ એક જ સમયમાં પુનઃ પરમાણુ રૂપે પરિવર્તિત થઈ જાય(બધા વિખેરાઈ જાય) અથવા તે પરમાણુ સ્વયં સ્કંધમાંથી છૂટો પડી જાય તો જઘન્ય અંતર એક સમયનું થાય છે અને જો તે અસંખ્યાત કાલ સુધી સ્કંધ રૂપે રહે અને ત્યાર પછી પરમાણુપણાને પ્રાપ્ત કરે, તો તેનું ઉત્કૃષ્ટ અંતર અસંખ્યાત કાલનું થાય છે. સ્કંધો અનંત છે છતાં પરમાણુ અસંખ્યાત કાલ પછી પરમાણુપણાને અવશ્ય પ્રાપ્ત કરે, તેથી અનંતકાળનું અંતર થતું નથી. તેમાં તથા પ્રકારનો પુલ સ્વભાવ જ કારણ છે.
ઢિપ્રદેશી ઔધનું અંતર :- દ્વિપ્રદેશી સ્કંધ પોતાનું સ્વરૂપ છોડીને પરમાણુ રૂપે અથવા અન્ય સ્કંધ રૂપે પરિણત થાય, પુનઃ તે દ્ધિપ્રદેશી ઢંધ રૂપે પરિણત થાય, તેમાં જેટલો કાલ વ્યતીત થાય, તેને તેનું અંતર કહે છે. તેનું અંતર અનંતકાલનું છે. કારણ કે શેષ સ્કંધો અનંત છે અને તે પ્રત્યેક સ્કંધની સ્થિતિ અસંખ્યાત કાલની છે. ઢિપ્રદેશી ઢંધ ક્રમશઃ અનંત સ્કંધ રૂપે પરિણત થતો જ જાય તો તેમાં અનંતકાલ વ્યતીત થઈ