________________
૪૯૬
D
R
શતક-૩ : ઉદ્દેશક-૧૦
પરિષદ
શ્રી ભગવતી સૂત્ર–૧
RO zÕØ
ઈન્દ્રની ત્રણ પરિષદ :
१ रायगिहे जाव एवं वयासी- चमरस्स णं भंते ! असुरिंदस्स असुररण्णो कइ परिसाओ पण्णत्ताओ ?
નોયમા ! તો પરિક્ષાઓ પળત્તાઓ, તેં ના- સમિયા, ચંડા, નાયા, एवं जहाणुपुव्वीए जाव अच्चुओ कप्पो ॥ सेवं भंते ! सेवं भंते ॥
ભાવાર્થ :- પ્રશ્ન- રાજગૃહ નગરમાં ગૌતમ સ્વામીએ આ પ્રમાણે પૂછ્યું, હે ભગવન્ ! અસુરેન્દ્ર અસુરરાજ ચમરની કેટલી પરિષદ–સભાઓ છે ?
ઉત્તર– હે ગૌતમ ! તેની ત્રણ પરિષદ છે. યથા—શમિકા અથવા શમિતા, ચંડા અને જાતા. આ રીતે અચ્યુત કલ્પ સુધી કહેવું જોઈએ. હે ભગવન્ ! આ [ભાવ] આ જ પ્રકારે છે, હે ભગવન્ ! આ [ભાવ] આ જ પ્રકારે છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં જીવાભિગમ સૂત્રના અતિદેશપૂર્વક ભવનપતિ દેવોના ઈન્દ્ર અસુરેન્દ્ર અસુરરાજ ચમરથી અચ્યુત દેવલોક સુધીના ઈન્દ્રની પરિષદોનું નિરૂપણ કર્યું છે.
ત્રણ પરિષદનું સ્વરૂપ :– ચમરેન્દ્રની ત્રણ પરિષદ છે. તેના નામ ક્રમશઃ આ પ્રમાણે છે. સમિકા—શમિકા, ચંડા અને જાતા.
સમિકા :– તેનો સ્વભાવ સ્થિર અને સમભાવી હોવાના કારણે તેને સમિકા કહે છે અથવા પોતાના સ્વામીના કોપ અને આવેશને શાંત કરવાની ક્ષમતા હોવાથી તેને શમિકા કહે છે. તેમ જ ઉદ્ધૃતતા રહિત અને શાંત સ્વભાવી હોવાથી તેને શમિતા પણ કહે છે.
ચેંડા :– શમિકાની સમાન મહત્વપૂર્ણ ન હોવાથી તથા સાધારણ કોપાદિના પ્રસંગ પર કુપિત થઈ જવાના કારણે બીજી પરિષદને ચંડા કહે છે.