________________
શતક—૩ : ઉદ્દેશક−૮
શતક-૩ : ઉદ્દેશક-૮
છŘØ
૪૮૯
સંક્ષિપ્ત સારRROR
આ ઉદ્દેશકમાં ચાર જાતિના દેવોના અધિપતિ દેવોનું કથન છે.
દશ ભવનપતિ દેવોમાં દશ અધિપતિ દેવો હોય છે. દક્ષિણ દિશાના અને ઉત્તરદિશાના બે ઈન્દ્રો અને ચાર–ચાર લોકપાલ હોય છે.
* ભવનપતિ દેવો :– દક્ષિણ દિશામાં ચમરેન્દ્ર સોમ, યમ, વરૂણ અને વૈશ્રમણ અને ઉત્તરદિશામાં બલીન્દ્ર, સોમ, યમ, વૈશ્રમણ અને વરૂણ અધિપતિ છે. આ રીતે નવનિકાયના અધિપતિ દેવોના નામ મૂળપાઠમાં છે.
* વ્યંતર ઃ– વ્યંતર અને જ્યોતિષી દેવોમાં ત્રાયસ્વિંશક અને લોકપાલ દેવ નથી. તેથી વ્યંતર જાતિમાં દક્ષિણ અને ઉત્તર દિશાના બે–બે ઈન્દ્રો અર્થાત્ ૧૬ ઈન્દ્રો જ અધિપતિ છે. ચાર ચાર લોકપાલ નથી.
* જ્યોતિષી :– જ્યોતિષીઓમાં ચંદ્ર અને સૂર્ય અધિપતિ છે. અસંખ્ય દ્વીપ સમુદ્રમાં અસંખ્ય ચંદ્ર અને અસંખ્ય સૂર્ય અધિપતિ છે. પ્રત્યેક ચંદ્ર—સૂર્યનો પોતાનો સ્વતંત્ર પરિવાર છે અને તેના પર તેનું આધિપત્ય છે.
* વૈમાનિક :– બાર દેવલોક સુધીના દેવોમાં જ સ્વામી–સેવકનો ભેદ છે. ઉપરના દેવો અહમેન્દ્ર– કલ્પાતીત છે.
બાર દેવલોકના દશ ઈન્દ્ર છે. એકથી આઠ દેવલોકના આઠ ઈન્દ્ર, નવમા અને દશમા દેવલોકમાં એક ઈન્દ્ર અને અગિયારમાં અને બારમા દેવલોકમાં એક ઈન્દ્ર આ રીતે દશ ઈન્દ્ર થાય છે.
એક–એક ઈન્દ્રના ચાર-ચાર લોકપાલ દેવ હોય છે.