________________
૪૪૮
શ્રી ભગવતી સૂત્ર–૧
પરિણામેત્તમ્ ? હતા, પમ્મૂ |
ભાવાર્થ :- પ્રશ્ન– હે ભગવન્ ! શું વાદળા, એક મોટું સ્ત્રીરૂપે અથવા સ્પંદમાનિકા વગેરે રૂપે પરિણત થવામાં સમર્થ છે ?
ઉત્તર– હા ગૌતમ ! બલાહક–મેઘ આ પ્રમાણે પરિણત થવામાં સમર્થ છે.
१२ भूणं भंते! बलाहए एगं महं इत्थिरूवं परिणामेत्ता अणेगाई जोयणाई નમિત્ત૫ ? હતા, નમ્ ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! શું બલાહક–મેઘ, એક મોટું સ્ત્રીરૂપ બનાવીને અનેક યોજન સુધી ગતિ કરી શકે છે ?
ઉત્તર– હા, ગૌતમ ! તે જઈ શકે છે.
१३ से भंते ! कि आयड्डीए गच्छइ, परिड्डीए गच्छइ ?
गोयमा ! णो आयडीए गच्छइ, परिड्डीए गच्छइ । एवं णो आयकम्मुणा, परकम्मुणा । णो आयप्पयोगेणं, परप्पयोगेणं । ऊसिओदयं वा गच्छइ, पययोदयं वा गच्छइ ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! શું તે બલાહક, આત્મઋદ્ધિથી ગતિ કરે છે કે ૫૨ઋદ્ધિથી ગતિ કરે છે?
ઉત્તર– હે ગૌતમ ! તે આત્મઋદ્ધિથી ગતિ કરતા નથી, પર ઋદ્ધિથી ગતિ કરે છે, તે જ રીતે આત્મકર્મ અને આત્મપ્રયોગથી ગતિ કરતા નથી, પરંતુ પરકર્મ અને પરપ્રયોગથી ગતિ કરે છે. તે ઉચ્છિત પતાકા—હવામાં ઊડતી ધ્વજા અને પતિત પતાકા નીચે પડેલી ધ્વજા બંને આકારના રૂપોથી ગતિ કરે છે.
१४ से भंते ! किं बलाहए इत्थी ?
ગોયમા ! વતાહ ખં તે, નો હતુ સા ફત્હી । વં પુણે, આલે, હથી ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! શું તે બલાહક સ્ત્રી છે ?
ઉત્તર– હે ગૌતમ ! તે બલાહક સ્ત્રી નથી, પરંતુ બલાહક–મેઘ છે. જે રીતે સ્ત્રીના સંબંધમાં કહ્યું, તે જ રીતે પુરુષ, ઘોડા, હાથીના વિષયમાં પણ કહેવું જોઈએ અર્થાત્ તે બલાહક પુરુષ, ઘોડો, હાથી નથી, પરંતુ તે બલાહક—મેઘ છે.