________________
શતક—૧ : ઉદ્દેશક—;
અહીં પ્રશ્ન એ છે કે દ્વીપ અને સમુદ્રોનો અંત પરસ્પર છ દિશામાં કેવી રીતે સ્પર્શે ? સર્વદ્વીપ અને સમુદ્રની ઊંડાઈ ૧૦૦૦ યોજનની છે. તેથી દ્વીપ અને સમુદ્રોનો અંત પરસ્પર નીચે, ઉપર અને ચારે દિશામાં સ્પર્શ કરે છે. આ રીતે છ દિશાની સ્પર્શના થઈ શકે છે. વસ્ત્ર વગેરેની જાડાઈ હોય છે તેની અપેક્ષા ઉપર નીચેની દિશા ઘટિત થઈ જાય છે.
૧૪૯
અઢાર પાપ સંબંધી ક્રિયા-વિચાર :
७ अत्थि णं भंते ! जीवाणं पाणाइवाय किरिया कज्जइ ? हंता, अत्थि । सा भंते! किं पुट्ठा कज्जइ, अपुट्ठा कज्जइ ? जाव णिव्वाघाएणं छद्दिसिं, वाघायं पडुच्च सिय तिदिसिं, सिय चउदिसिं, सिय पंचदिसिं ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! શું જીવો દ્વારા પ્રાણાતિપાત ક્રિયા કરાય છે ?
ઉત્તર– હા, ગૌતમ ! કરાય છે.
પ્રશ્ન- હે ભગવન્ ! જે ક્રિયા કરાય છે, તે શું સ્પષ્ટ છે કે અસ્પૃષ્ટ ?
ઉત્તર– હે ગૌતમ ! તે સ્પષ્ટ છે, તેમજ વ્યાઘાત ન હોય તો છ દિશાને અને વ્યાઘાત હોય તો કદાચિત્ ત્રણ, કદાચિત્ ચાર, કદાચિત્ પાંચ દિશાને સ્પર્શે છે. ત્યાં સુધીનું કથન કરવું જોઈએ.
ખ્ખર, અડા પ્નદ્ ? ગોયમાં !ડા ખ્ખર, ખો
८ સા મતે ! િડા
अकडा कज्जइ ।
સા મતે !વિ અત્તડા ખ્ખર, પરવડા ગ્ગર, પશુમયડા [ફ ? गोयमा ! अत्तकडा कज्जइ, णो परकडा कज्जइ, णो तदुभयकडा कज्जइ ।
सा भंते ! किं आणुपुव्विं कडा कज्जइ, अणाणुपुव्विं कडा कज्जइ ?
गोमा ! आणुपुव्विं कडा कज्जइ, जो अणाणुपुव्विं कडा कज्जइ । जा य कडा, जा य कज्जइ, जा य कज्जिस्सइ, सव्वा सा आणुपुव्विकडा, णो अणाणुपुव्विकडा त्ति वत्तव्वं सिया ।
છે?
ભાવાર્થ :- પ્રશ્ન– હે ભગવન્ ! જે ક્રિયા કરાય છે, શું તે કૃત છે કે અકૃત
ઉત્તર– હે ગૌતમ ! તે ક્રિયા કૃત છે, અકૃત નહિ.
પ્રશ્ન– હે ભગવન્ ! જે ક્રિયા કરાય છે, શું તે આત્મકૃત છે, પરકૃત છે કે ઉભયકૃત છે ? ઉત્તર– હે ગૌતમ ! તે ક્રિયા આત્મકૃત છે, પરકૃત કે ઉભયકૃત નથી.