________________
ત્રીસ સમવાય
૧૪૭
जायतेयं समारब्भ, बहु आरंभिया जणं ।
अंतोधूमेण मारेइ, महामोहं पकुव्वइ ।। ४।। ભાવાર્થ - જે વ્યક્તિ અનેક પ્રાણીઓને એક ઘરમાં કે ભવનમાં બાંધીને કે પૂરીને અગ્નિ પ્રજ્વલિત કરી ધુમાડાથી ગુંગળાવીને મારે છે, તે મહામોહનીયકર્મ બાંધે છે. આ ચોથું મહામોહ બંધસ્થાન છે.
सीसम्मि जे पहणइ, उत्तमंगम्मि चेयसा ।
विभज्ज मत्थयं फाले, महामोह पकुव्वइ ।।५।। ભાવાર્થ :- જે વ્યક્તિ કલુષિત ચિત્તથી(મારવાના કુવિચારથી) પ્રાણીના માથા પર શસ્ત્રથી પ્રહાર કરી, માથાને ફોડે છે, તે મહામોહનીયકર્મ બાંધે છે. આ પાંચમું મહામોહ બંધ સ્થાન છે.
पुणो पुणो पणिहिए, हणित्ता उवहसे जणं ।
फलेणं अदुवा दंडेणं, महामोह पकुव्वइ ।।६।। ભાવાર્થ :- જે મલિન મનથી કોઈ વ્યક્તિને મારીને ઉપહાસ કરે છે, તે મહામોહનીયકર્મ બાંધે છે. કોઈ વ્યક્તિ ગાંડા-ભોળા આદિ મનુષ્યોને ઇરાદાપૂર્વક બીલા આદિ કઠોર ફળથી, દંડ આદિથી મારીને ઉપહાસ કરે છે, તે મહામોહનીય કર્મ બાંધે છે. આ છઠ્ઠ મહામોહ બધસ્થાન છે.
गूढायारी णिगूहिज्जा, मायं मायाए छायए ।
લવવા નિષ્ઠા, મહામોદ પશુળ શાળા ભાવાર્થ - જે વ્યક્તિ છૂપી રીતે અનાચારનું સેવન કરીને, માયા-કપટ કરીને તેને છૂપાવે, અસત્ય બોલે અને સૂત્રોના યથાર્થ અર્થોને છૂપાવે છે, તે મહામોહનીયકર્મ બાંધે છે. આ સાતમું મહામોહબંધ સ્થાન છે.
धंसेइ जो अभूएणं, अकम्मं अत्तकम्मणा ।
अदुवा तुमऽकासि त्ति, महामोहं पकुव्वइ ।।८।। ભાવાર્થ- જે વ્યક્તિ નિર્દોષ વ્યક્તિ પર ખોટા આક્ષેપો મૂકી કલંકિત કરે, પોતાના દુષ્કર્મોનું તેના પર આરોપણ કરે છે અથવા તે જ આ કાર્ય કર્યું છે, આ રીતે દોષોનું આરોપણ કરે છે, તે મહામોહનીયકર્મ બાંધે છે. આ આઠમ મહામોહ બંધિસ્થાન છે.
जाणमाणो परिसओ, सच्चामोसाणि भासइ ।
अक्खीणझंझे पुरिसे, महामोह पकुव्वइ ।।९।। ભાવાર્થ :- જે વ્યક્તિ ભરી સભામાં જાણી જોઈને મિશ્રભાષા બોલે, અસત્ય ભાષણ દ્વારા કલહને ઉતેજિત કરે છે, તે મહામોહનીયકર્મ બાંધે છે. આ નવમું મહામોહ બંધસ્થાન છે.