SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૧] ભાવાર્થ :- રત્નપ્રભાપૃથ્વીના કેટલાક નારકીઓની સ્થિતિ ચોવીસ પલ્યોપમની છે. અધઃ સપ્તમ અર્થાત સાતમી નરક પૃથ્વીના કેટલાક નારકીઓની સ્થિતિ ચોવીસ સાગરોપમ છે. કેટલાક અસુરકુમાર દેવોની સ્થિતિ ચોવીસ પલ્યોપમ છે, સૌધર્મ-ઈશાન કલ્પમાં કેટલાક દેવોની સ્થિતિ ચોવીસ પલ્યોપમની છે. | ६ | हेट्ठिम-उवरिमगेवेज्जाणं देवाणं जहण्णेणं चउवीसं सागरोवमाई ठिई पण्णत्ता । जे देवा हेट्ठिममज्झिमगेवेज्जविमाणेसु देवत्ताए उववण्णा, तेसि णं देवाणं उक्कोसेणं चउवीसं सागरोवमाई ठिई पण्णत्ता । ते णं देवा चउवीसाए अद्धमासाणं आणमंति वा, पाणमंति वा, ऊससंति वा णीससंति वा । तेसि णं देवाणं चउवीसाए वाससहस्सेहिं आहारट्टे समुप्पज्जइ । ભાવાર્થ :- અધસ્તન ઉપરિમ (ત્રીજી) રૈવેયક દેવોની જઘન્ય સ્થિતિ ચોવીસ સાગરોપમની છે. જે દેવ અધતન મધ્યમ (બીજા) રૈવેયક વિમાનોમાં દેવરૂપે ઉત્પન્ન થાય છે, તે દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ ચોવીસ સાગરોપમ છે. તે દેવ ચોવીસ અર્ધમાસે (બાર મહિને) આન-પ્રાણ, ઉચ્છવાસ લે છે, નિઃશ્વાસ મૂકે છે, તે દેવોને ચોવીસ હજાર વર્ષ પછી આહારની ઈચ્છા ઉત્પન્ન થાય છે. ७ संतेगइया भवसिद्धिया जीवा जे चउवीसाए भवग्गहणेहि सिज्झिस्संति बुज्झिस्संति मुच्चिस्संति परिणिव्वाइस्संति सव्वदुक्खाणमंतं करिस्संति । ભાવાર્થ - કેટલાક ભવ્ય સિદ્ધિક જીવો ચોવીસ ભવ ગ્રહણ કરીને સિદ્ધ થશે, બુદ્ધ થશે, કર્મોથી મુક્ત થશે, પરમ નિર્વાણને પ્રાપ્ત કરશે અને સર્વ દુઃખોનો અંત કરશે. સમવાય-ર૪ સંપૂર્ણ
SR No.008757
Book TitleAgam 04 Ang 04 Samvayanga Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorVanitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages433
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_samvayang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy