________________
Th( 5.
મોટા સંઘના પ્રમુખ ચંદ્રકાન્તભાઈ તથા કાર્યાન્વિત સર્વ સભ્યગણો, કાર્યકર્તાઓ મુદ્રણ કરનાર નેહલભાઈ તેમના પિતાશ્રી હસમુખભાઈ તથા સહયોગી જીગ્નેશ જોષી, નીતા દરિયાનાણી; આગમના શ્રુતાધાર અને અન્ય દાનદાતા મહાનુભાવો વગેરેને અભિનંદન સાથે સાધુવાદ આપું છું.
આગમના અનુવાદ, સંશોધન, સંપાદનમાં ઉપયોગી થયેલા પૂર્વ પ્રકાશિત આગમોના પ્રકાશકોને સાધુવાદ.
આગમ અવગાહન કરવામાં ઉપયોગની શૂન્યતાથી કંઈક શબ્દો, અક્ષરો, પાઠમાં અશુદ્ધિ રહી જવા પામી હોય, વીતરાગ વાણી વિરુદ્ધ લખાયું, વંચાયું હોય તો ત્રિવિધ મિચ્છામિ દુક્કડં આપું છું.
પ્રિય પાઠકો! તમો આગમ વાંચો ત્યારે કંઈક અશુદ્ધિ રહી જવા પામી હોય તો તેની નોંધ કરી અમને મોકલવા પ્રયત્ન કરશો. નમિ સવ્વ વિMM - GAમિ सव्वजीवाणं ।
વિતરાગ વચન વિરુદ્ધ લખાયું હોય તો માગુ પુનઃ પુનઃ ક્ષમાપના, મંગલમૈત્રી પ્રમોદ ભાવમાં વહોસહુ, એવી કરું છું વિજ્ઞાપના.
પરમ પૂ. સૌમ્યમૂર્તિ અંબાબાઈ મ.સ.ના
સુશિષ્યા- આર્યાલીલમ.
42