SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ તેમાં ઓતપ્રોત થઈ જવું પડે છે. પરહેજ પ્રમાણે વર્તન કરે ત્યારે તે ધાર્મિક અનુષ્ઠાનો બાર વ્રત રૂપે પાળે તેટલી શુભ અવસ્થા સહિત અણારંભી પુણ્યનો કામી બને છે. આવી રીતે આ પાંચ-પાંચ સ્થાનોને ત્રણ ઉદ્દેશકમાં વહેંચી, એકાંત શ્રેયના માર્ગે જવાના તથા શુભાશુભ કર્મ બંધના અનેક નુસખાઓ દર્શાવતા ત્રણ ઉર્શકના કુલ ૨૦૫ સૂત્રો દર્શાવ્યા છે. જેઓએ પ્રથમ નુસખાઓનું આલંબન લીધું તેઓ અરિહંત જિનેશ્વર બની ગયા. તેવા પદ્મપ્રભુથી લઈને મહાવીર પ્રભુ સુધીના ચૌદ તીર્થકરનાં મહિમાવંત મહાપ્રસંગો એક જ નક્ષત્રમાં બન્યા હતા, તેનું આબેહૂબ વર્ણન આ સ્થાનમાં કર્યું છે. પ્રથમ પદમાં બિરાજિત થઈને, લોકોને જ્ઞાનથી ચેતવણી આપીને, જાગૃત કરતા ગયા અને ચાર અઘાતિ કર્મ ક્ષય કરી બીજા પદમાં બિરાજિત થઈ ગયા. જેઓએ પ્રથમ નુસખાનું આલંબન સરાગપણે લીધું તેઓ આચાર્ય, ઉપાધ્યાય, સાધુ પદે શોભતા, વ્યવહાર માર્ગે આગળ વધતા રહે છે. તેની જે આરાધના કરે તે આરાધક બને છે, વિરાધના કરે તે વિરાધક બને છે અને સંસારમાં પરિભ્રમણ કરાવનારા પુદ્ગલ સ્કંધોને ગ્રહણ કરી અનંત કર્મ બાંધે છે. તેનું વર્ણન પાંચ-પાંચ બોલથી જોવા મળશે. તે પ્રકરણ ખોલીને વાંચી– વિચારવા યોગ્ય છે. છઠ્ઠું સ્થાન : - છઠ્ઠા સ્થાનમાં છ છ પ્રકારનાં નુસખાઓ દર્શાવ્યા છે. જીવાદિની પર્યાયો શુદ્ધ કરવા, અનંત-અનંત કર્મવર્ગણાઓથી મુક્ત બનવા, પાંચ મહાવ્રતધારી અણગારો માટે ઔષધ સેવનની છ પ્રકારની અનોખી રીતે દર્શાવી છે. આચાર્ય, ઉપાધ્યાય, સાધુ ભગવંતો માટે આ ઔષધ અમૃતતુલ્ય છે. ગણધારણ કરી પ્રસન્નતા ઈચ્છતા સાધકે – (૧) જેમણે ઔષધ આપ્યું છે તેવા તીર્થંકર પરમાત્મા પ્રત્યે તેણે અનન્ય શ્રદ્ધા રાખવી ઘટે કે આ ઔષધ અવશ્ય મને નીરોગી કરશે. (૨) સત્ય તત્ત્વ યથાર્થ છે. તેમાં ફેર નથી. એમ સમજીને અસત્યનો કયારેય પ્રયોગ કરે નહીં. તે સત્યવચન બોલતા આદેય વચનવાળો બની, બીજા જીવોના હિતનું ચિંતન કરે.(૩) બુદ્ધિમત્તાપૂર્વક ઔષધ લેવાની ધારણા ધારી લે છે અને તે કાર્પણ સુંદરીને વશ થતો નથી. બીજાને પણ આ પદ્ધતિ શીખવાડી પ્રભુ પ્રત્યેની શ્રદ્ધામાં ઢાળે છે. (૪) પ્રભુએ દર્શાવેલા માર્ગને ઝડપથી શીખી લે છે. (૫) બીજા જીવોનો પ્રેરક બની, પ્રભુના માર્ગનું ઔષધ પાન કરાવી, નીરોગી બનાવવાની કોશિષ કરે છે. (૬) 34
SR No.008756
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorVirmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages474
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy