SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાન-પ: ઉદ્દેશક - ૨ [ ૬૯] ઉપાધ્યાયને જે વિશેષ અધિકાર પ્રાપ્ત થયા હોય તે અધિકારને જ અહીં અતિશય રૂપે કહ્યા છે. તે સૂત્રાર્થથી સ્પષ્ટ છે. વ્યવહાર સૂત્ર ઉદ્દે.-૬, સૂત્ર-૨ માં પણ આ અતિશયો નિર્દિષ્ટ છે. આચાર્ય-ઉપાધ્યાયના ગણ ત્યાગનાં કારણો:६३ पंचहिं ठाणेहिं आयरिय-उवज्झायस्स गणावक्कमणे पण्णत्ते, तं जहा आयरिय-उवज्झाए गणंसि आणं वा धारणं वा णो सम्मं पउंजित्ता भवइ । आयरिय-उवज्झाए गणंसि अहारायणियाए किइकम्मं वेणइयं णो सम्म पउंजित्ता भवइ । आयरिय-उवज्झाए गणंसि जे सुयपज्जवजाए धारेइ, ते काले-काले णो सम्ममणुपवादेत्ता भवइ । आयरिय-उवज्झाए गणंसि सगणियाए वा परगणियाए वा णिग्गंथीए बहिल्लेसे भवइ । मित्ते णाइगणे वा से गणाओ अवक्कमेज्जा, तेसिं संगहोवग्गहट्टयाए गणावक्कमणे पण्णत्ते । ભાવાર્થ :- પાંચ કારણે આચાર્ય-ઉપાધ્યાય ગણથી અપક્રમણ કરે છે(ગણથી પૃથક થાય છે), તે આ પ્રમાણે છે (૧) ગણમાં આચાર્ય કે ઉપાધ્યાયની આજ્ઞા અને ધારણાનું સમ્યફ પાલન થતું ન હોય. (૨) આચાર્ય કે ઉપાધ્યાય ગણમાં નાના-મોટાના ક્રમથી વંદન અને વિનયાદિનો સમ્યક પ્રયોગ કરાવી શકતા ન હોય. (૩) આચાર્ય અને ઉપાધ્યાયે જે મૃતપર્યાય ધારણ કર્યા હોય, તેની સમયે સમયે સમ્યફ વાચના આપી શકતા ન હોય. (૪) આચાર્ય કે ઉપાધ્યાય પોતાના ગણની અથવા બીજાના ગણની નિગ્રંથી પ્રતિ બહિર્લેશ્ય(આસક્ત) થયા હોય. (૫) આચાર્ય કે ઉપાધ્યાયના મિત્ર, જ્ઞાતિજન-કુટુંબી આદિ ગણમાંથી નીકળી ગયા હોય તેઓને પુનઃ ગણમાં લાવવા હોય અથવા તેનો ઉપકાર કરવો હોય તો તે ગણથી પૃથક થાય છે. વિવેચન : સાધુ-સાધ્વી તથા આચાર્ય, ઉપાધ્યાયે ગચ્છમાં જ રહેવું જોઈએ. તેમ છતાં સુત્રોક્ત પાંચ કારણોમાંથી કોઈ પણ કારણ ઉપસ્થિત થાય તો આચાર્ય કે ઉપાધ્યાય ગણને છોડે છે. આ અપવાદ માર્ગ છે. આચાર્ય અને ઉપાધ્યાય ગણના સ્વામી હોય છે. તેઓ સંઘનું સંચાલન સારી રીતે કરતા હોય છે પરંતુ તેઓને એવો અનુભવ થાય કે હવે આ ગણમાં મારી આજ્ઞા કે ધારણાની અવહેલના થાય છે, જ્ઞાનનો ઉપયોગ થતો નથી તો તેઓ ગણથી પૃથક થઈ શકે છે. હિને :- આચાર્યાદિ બ્રહ્મચર્યમાં ચલચિત્ત થઈ ગયા હોય તો તે પદવીધર ગણ ત્યાગ કરી શકે છે. પરંતુ પદવી ધારણ કરીને જિનશાસનની અવહેલના કરવી તે યોગ્ય નથી.
SR No.008756
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorVirmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages474
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy