________________
૧૪૪
શ્રી ઠાણાંગ સૂત્ર–૧
पण्णत्ता । एवं जाव दुगुणलुक्खा पोग्गला अणंता पण्णता ।
ભાવાર્થ :- દ્વિપ્રદેશી પુદ્ગલ સ્કંધ અનંત છે. દ્વિપ્રદેશાવગાઢ પુદ્ગલ અનંત છે. તે જ રીતે બે સમયની સ્થિતિવાળા અને બે ગુણવાળા પુદ્ગલ અનંત છે. શેષ સર્વ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શના બે—બે ગુણવાળા રૂક્ષ, પુદ્ગલ પર્યંત અનંત અનંત કહ્યા છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં દ્વિપ્રદેશી, દ્વિપ્રદેશાવગાઢ, દ્વિસમય સ્થિતિક અને દ્વિગુણ કાળાથી દ્વિગુણ રૂક્ષ પુદ્ગલ પર્યંતનું વર્ણન છે. અર્થાત્ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી દ્વિત્વસૂચિત પુદ્ગલોનું વર્ણન છે. દ્રવ્યથી– બે પરમાણુ ! ભેગા મળી દ્વિપ્રદેશી સ્કંધ બને છે. તે અનંત છે.
ક્ષેત્રથી— બે આકાશપ્રદેશને અવગાહીને સ્થિત પુદ્ગલ સ્કંધ દ્વિપ્રદેશાવગાઢ સ્કંધ કહેવાય છે. તે અનંત છે. કાળથી– બે સમયની સ્થિતિવાળા સ્કન્ધો અનંત છે.
ભાવથી– વર્ણ—ગંધ–રસ—સ્પર્શ પુદ્ગલ દ્રવ્યના ગુણ છે. પાંચવર્ણ, બેગંધ, પાંચરસ અને આઠ સ્પર્શ છે. તે પ્રત્યેક વર્ણાદિમાં એક અંશથી લઈ અનંત અંશ સુધીની અનંત પર્યાયો હોય છે. જેમ કે એક ગુણ કાળો, દ્વિગુણ કાળો, સંખ્યાતગુણ કાળો. અસંખ્યાતગુણ કાળો, અનંતગુણ કાળો, આ કાળા વર્ણની અનંત પર્યાય છે. તેમાંથી બે ગુણ કાળા, બે ગુણ નીલા વર્ણવાળા પુદ્ગલો અનંત છે. આ રીતે વર્ણ, ગંધ, રસ, સ્પર્શના પ્રત્યેક ગુણમાં દ્વિગુણત્વધારી પુદ્ગલો અનંત છે. દ્વિતીય સ્થાનના કારણે પ્રસ્તુત સૂત્રમાં બધા બે ગુણવાળા વિષયોનું નિરૂપણ છે.
॥ ચોથો ઉદ્દેશક સંપૂર્ણ ॥
॥ બીજું સ્થાન સંપૂર્ણ ॥