SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ | અધ્યયન-૧: પુંડરીક . [ ૭૩ ] पत्तेयं सण्णा, पत्तेयं मण्णा, एवं विण्णू वेयणा इति खलु णाइसंजोगा णो ताणाए वा णो सरणाए वा, पुरिसो वा एगया पुव्विं णाइसंयोगे विप्पजहइ, णाइसंयोगा वा एगया पुव्वि पुरिसं विप्पजहंति, अण्णे खलु णाइसंयोगा अण्णो अहमंसि, से किमंग पुण वयं अण्णमण्णेहिं णाइसंयोगेहिं मुच्छामो ? इति संखाए णं वयं णाइसंजोगे विप्पजहिस्सामो । શબ્દાર્થ - વત્તેવું = પ્રત્યેક, એકલા, વય = ત્યાગ કરે છે, સેવવા ? = ઉત્પન્ન થાય છે, ફાંફા = કલહ, = ચિંતન, વિUબૂ = વિદ્વાન, વેચT = વેદના, બાફર્સનો = જ્ઞાતિ સંયોગ, ભાવાર્થ :- વાસ્તવમાં અન્યના દુઃખને અન્ય વ્યક્તિ વહેંચીને લઈ શકતી નથી. બીજાએ કરેલાં કર્મનાં ફળ બીજા ભોગવી શક્તા નથી. પ્રત્યેક પ્રાણી એકલો જ જન્મે છે, આયુષ્ય પૂર્ણ થતાં એકલો જ મરે છે, પ્રત્યેક વ્યક્તિ એકલી જ ધન-ધાન્ય વગેરે પરિગ્રહ, શબ્દાદિ વિષયો કે માતા-પિતાના સંયોગોનો ત્યાગ કરે છે, પ્રત્યેક વ્યક્તિ એકલી જ વસ્તુઓનો ઉપભોગ કે સ્વીકાર કરે છે, પ્રત્યેક વ્યક્તિ એકલી જ કલહ આદિ કષાયોને ગ્રહણ કરે છે, એકલી જ પદાર્થોનું સંજ્ઞાન કરે છે. તથા પ્રત્યેક વ્યક્તિ એકલી ચિંતન-મનન કરે છે, પ્રત્યેક વ્યક્તિ એકલી વિદ્વાન બને છે, પ્રત્યેક વ્યક્તિ એકલી જ પોત-પોતાના સુખ દુઃખનો અનુભવ કરે છે, તેથી સ્વજનો કે જ્ઞાતિજનો રક્ષણ કરનાર કે શરણભૂત નથી. ક્યારેક ક્રોધાદિવશ કે મૃત્યુ સમયે મનુષ્ય પોતે જ સ્વજનોનો સંયોગ પહેલેથી છોડી દે છે, ક્યારેક સ્વજનો પણ તે પુરુષને પહેલેથી છોડી દે છે, માટે સ્વજનાદિનો સંયોગ મારાથી ભિન્ન છે, હું પણ સ્વજન આદિ સંયોગથી ભિન્ન છું.' તો પછી મારે આત્માથી ભિન્ન આ સ્વજનોના સંયોગમાં શા માટે આસક્ત થવું? આ તત્ત્વનો વિચાર કરીને તે સંકલ્પ કરે કે અમે સ્વજન સંયોગનો પરિત્યાગ કરશું. ४९ से मेहावी जाणेज्जा बाहिरगमेतं; इणमेव उवणीयतरागं, तं जहा- हत्था मे, पाया मे, बाहा मे, उरू मे, उदरं मे, सीसं मे, सील मे, आउ मे, बलं मे, वण्णो ને, તથા મે, છાયા છે, તો , ઘણું મે, યા કે, ફિલ્મ મે, પાલ ને, મનના जंसि वयाओ परिजूरइ तं जहा- आऊओ बलाओ वण्णाओ तयाओ छायाओ सोयाओ जाव फासाओ, सुसंधिता संधी विसंधी भवइ, वलितरंगे गाए भवइ, किण्हा केसा पलिया भवंति, जंपि य इमं सरीरगं उरालं आहारोवचियं एयं पि य मे अणुपुव्वेणं विप्पजहियव्वं भविस्सइ । શબ્દાર્થ:-૩વળતરા નિકટતમ ૩= જાંઘત ત્વચા છાયા = કાંતિલોયં શ્રોત્ર વય= ઉંમર વધતાં, ઉંમર વ્યતીત થતાં પરિબૂર = જીર્ણ થતું જાય છે સુસંધતા = સુઘટિત, દઢ પત્રિય = શ્વેતકેશ. ભાવાર્થ - મેધાવી સાધક એ નિશ્ચિતપણે જાણે છે કે સ્વજન આદિનો સંયોગ તો બાહ્ય સંયોગ છે. તે તો આત્માથી ભિન્ન છે જ, પરંતુ જે અત્યંત નિકટતમ અંગ છે, જેના પર પ્રાણી મમત્વ કરે છે કે- આ મારા હાથ છે, આ મારા પગ છે, આ મારી ભુજાઓ છે, આ મારું મસ્તક છે, આ મારું પેટ છે, આ મારી જાંઘ છે, આ મારો સદાચાર છે, આ રીતે મારું આયુષ્ય, મારું બળ, મારો વર્ણ, મારી ચામડી, મારી કાંતિ, મારા કાન, મારા નેત્રો, મારું નાક, મારી જીભ, મારી સ્પર્શેન્દ્રિય છે, આ પ્રકારે પ્રાણી “મારું મારું” કરે છે, પરંતુ ઉંમર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008754
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorUrmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages286
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy